AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cloudburst : ઉત્તરાખંડના ધારલીમાં વાદળ ફાટ્યું,જાણો વાદળ કેવી રીતે ફાટે છે?

આજે બુધવારે ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે, 9 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. તો આજે આપણે જાણીએ કે, વાદળો કેમ ફાટે છે

| Updated on: Aug 06, 2025 | 9:21 AM
Share
શનિવારે બપોરે ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. પૂરને કારણે ગામના અનેક  ઘરો અને હોટલો ડૂબી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે 70 થી વધુ લોકો ગુમ થયા હોવાની આશંકા છે.

શનિવારે બપોરે ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. પૂરને કારણે ગામના અનેક ઘરો અને હોટલો ડૂબી ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે 70 થી વધુ લોકો ગુમ થયા હોવાની આશંકા છે.

1 / 8
આ ઘટના બાદ ભારતીય સેના, ITBP, NDRF અને SDRF એ સંયુક્ત રીતે બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું છે. પરંતુ, ભારે વરસાદ અને સતત ભૂસ્ખલનને કારણે, બચાવ ટીમે કામગીરી શરુ કરી છે.

આ ઘટના બાદ ભારતીય સેના, ITBP, NDRF અને SDRF એ સંયુક્ત રીતે બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું છે. પરંતુ, ભારે વરસાદ અને સતત ભૂસ્ખલનને કારણે, બચાવ ટીમે કામગીરી શરુ કરી છે.

2 / 8
દર વર્ષે, ચોમાસાની ઋતુ આવતાની સાથે જ અનેક પ્રકારની આફતો પણ આવે છે. જેમાં પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ બધી આફતોમાં ઘણું જાનહાનિ થાય છે.

દર વર્ષે, ચોમાસાની ઋતુ આવતાની સાથે જ અનેક પ્રકારની આફતો પણ આવે છે. જેમાં પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ બધી આફતોમાં ઘણું જાનહાનિ થાય છે.

3 / 8
પૂર લાખો ઘરોને ડૂબાડી દે છે. ખેતી અને પ્રાણીઓને પણ ઘણું નુકસાન થાય છે. ભારે વરસાદને કારણે, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામાન્ય બની જાય છે. આનાથી ટ્રાફિક પર અસર પડે છે. ઘણા લોકો ભૂસ્ખલનનો ભોગ પણ બને છે. આ બધી ઘટનાઓમાં, વાદળ ફાટવું પણ એક મોટી આફત છે.

પૂર લાખો ઘરોને ડૂબાડી દે છે. ખેતી અને પ્રાણીઓને પણ ઘણું નુકસાન થાય છે. ભારે વરસાદને કારણે, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામાન્ય બની જાય છે. આનાથી ટ્રાફિક પર અસર પડે છે. ઘણા લોકો ભૂસ્ખલનનો ભોગ પણ બને છે. આ બધી ઘટનાઓમાં, વાદળ ફાટવું પણ એક મોટી આફત છે.

4 / 8
ક્લાઉડબર્સ્ટ (વાદળ ફાટવું) શું છે? થોડા સમયમાં એક જગ્યાએ ખુબ ભારે વરસાદ પડે છે. તો આ ઘટનાને ક્લાઉડ બર્સ્ટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ક્લાઉડબર્સ્ટ’ અથવા ‘ફ્લેશ ફ્લડ’ પણ કહેવામાં આવે છે જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ.

ક્લાઉડબર્સ્ટ (વાદળ ફાટવું) શું છે? થોડા સમયમાં એક જગ્યાએ ખુબ ભારે વરસાદ પડે છે. તો આ ઘટનાને ક્લાઉડ બર્સ્ટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ક્લાઉડબર્સ્ટ’ અથવા ‘ફ્લેશ ફ્લડ’ પણ કહેવામાં આવે છે જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ.

5 / 8
ક્લાઉડબર્સ્ટ ત્યારે થાય છે, જ્યારે મોટી માત્રામાં ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે. જેના કારણે ત્યાં હાજર પાણીના ટીપા એક સાથે ભળી જાય છે. ટીપાંનું વજન એટલું બને છે કે વાદળની ઘનતા વધી જાય છે. ગીચતામાં વધારો થવાને કારણે અચાનક ભારે વરસાદ શરૂ થાય છે.

ક્લાઉડબર્સ્ટ ત્યારે થાય છે, જ્યારે મોટી માત્રામાં ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે. જેના કારણે ત્યાં હાજર પાણીના ટીપા એક સાથે ભળી જાય છે. ટીપાંનું વજન એટલું બને છે કે વાદળની ઘનતા વધી જાય છે. ગીચતામાં વધારો થવાને કારણે અચાનક ભારે વરસાદ શરૂ થાય છે.

6 / 8
મોટાભાગે, પહાડી રાજ્યોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ બને છે.વાદળ ફાટવાની ઘટના એ એક અવી ઘટના છે જેમાં કોઈ વિસ્તારમાં અચાનક અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે. તે સામાન્ય રીતે થોડી મિનિટોથી લઈને થોડા કલાકો સુધીમાં વિનાશ જેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે,  તેની અસર અત્યંત વિનાશક હોઈ શકે છે.

મોટાભાગે, પહાડી રાજ્યોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ બને છે.વાદળ ફાટવાની ઘટના એ એક અવી ઘટના છે જેમાં કોઈ વિસ્તારમાં અચાનક અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે. તે સામાન્ય રીતે થોડી મિનિટોથી લઈને થોડા કલાકો સુધીમાં વિનાશ જેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે, તેની અસર અત્યંત વિનાશક હોઈ શકે છે.

7 / 8
જૂન 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે આવેલા પૂરે કેદારનાથ અને રામબાડામાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 5,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજારો લોકો ગુમ થયા હતા. તે ભારતની સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક હતી.

જૂન 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે આવેલા પૂરે કેદારનાથ અને રામબાડામાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 5,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હજારો લોકો ગુમ થયા હતા. તે ભારતની સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક હતી.

8 / 8

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે.  જનરલ નોલેજના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">