સ્પીચથી વિરોધીઓને હંફાવનાર મમતા દીદીનો આવો છે પરિવાર
મમતા બેનર્જી 71 વર્ષના છે. આજે ચાલો દીદીની રાજકીય સફર વિશે જાણીએ. મમતા બેનર્જી આજે પણ રાજકારણમાં સક્રિય છે. મમતા બેનર્જી ત્રણ ટર્મ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે,મમતા બેનર્જીનો પરિવાર જુઓ.

પોતાના સ્પીચથી વિરોધીઓને હરાવનાર મમતા બેનર્જી માત્ર રાજકારણમાં જ નહીં પણ શિક્ષણમાં પણ અનેક નેતાઓ કરતા ઘણી આગળ છે. રાજકારણમાં તેમનો પ્રવેશ કોઈ આયોજિત પ્રયાસ નહોતો, પરંતુ જુસ્સાનું પરિણામ હતો. ચાલો જાણીએ કે તેઓ કેટલા શિક્ષિત છે અને તેમણે રાજકારણમાં કેવી રીતે પ્રવેશ કર્યો.

મમતા બેનર્જીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

મમતા બેનર્જી હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. "દીદી" તરીકે ઓળખાય છે, તેમનો જન્મ 5 જાન્યુઆરી, 1955ના રોજ થયો હતો. બંગાળની રાજધાની (કોલકાતા) માં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી, મમતાએ 15 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે માધ્યમિક પરીક્ષા પાસ કરી છે. તેમના પિતા, એક સ્વાતંત્ર્ય સેનાની, તેમને રાજકારણમાં લાવવાનો શ્રેય જાય છે. બીએ પૂર્ણ કર્યા પછી, તેમણે ઇસ્લામિક ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી. તે સમય દરમિયાન, તેઓ કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં આવ્યા અને વિદ્યાર્થી પરિષદ સંઘની સ્થાપના કરી.

તેમણે લાંબા સમય સુધી કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું. 1984માં તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા, સોમનાથ ચેટરજીને હરાવ્યા અને સંસદ સભ્ય બન્યા. મમતા બેનર્જી અપરિણીત છે.

2011માં, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે SUCI અને INC સાથે મળીને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ડાબેરી ગઠબંધન સામે 227 બેઠકો જીતી હતી.

TMC એ 184 બેઠકો જીતી હતી જેમાં INC એ 42 બેઠકો જીતી હતી અને SUCIએ એક બેઠક મેળવી હતી. આનાથી 34 વર્ષ લાંબી ડાબેરી મોરચાની સરકારનો અંત આવ્યો હતો.

તેઓ હંમેશા વાદળી બોર્ડર વાળી સફેદ સાડી અને સફેદ ચંપલ પહેરે છે. તેઓ ફક્ત જરૂરી વસ્તુઓ જ રાખે છે. તેઓ વધારાના કપડાં એકઠા કરવામાં માનતા નથી અને સાદું જીવન જીવે છે. તેઓ 20 મે 2011ના રોજ પહેલીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા અને ત્યારથી રાજ્યની કમાન સંભાળી રહ્યા છે.

1975માં, તેમણે રાષ્ટ્રીય નેતા જેપી નારાયણની કારના બોનેટ પર વિરોધ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સમાચારોમાં ચર્ચાનું સ્થાન મેળવ્યું. આ કૃત્ય કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધી પ્રત્યેની તેમની વફાદારી દર્શાવે છે. ત્યારબાદ, તેમણે ચાર વર્ષ સુધી મહિલા કોંગ્રેસના મહાસચિવ તરીકે સેવા આપી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક સરળ પણ ઉચ્ચ શિક્ષિત મુખ્યમંત્રી છે.

તેમણે ઇતિહાસ, ઇસ્લામિક ઇતિહાસ, શિક્ષણ અને કાયદાનો પણ અભ્યાસ કર્યો છે. તેમને માનદ ડોક્ટરેટની પદવી પણ મળી છે. તેમણે ત્રણ ટર્મ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે.

અત્યાર સુધીમાં તેમના દ્વારા લખાયેલા અસંખ્ય પુસ્તકો પ્રકાશિત થયા છે.

2022માં તેમને 'કબિતા બિતાન' માટે પશ્ચિમબંગા અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો જેમાં 946 કવિતાઓનો સમાવેશ થાય છે.

તેઓ એક સ્વ-શિક્ષિત ચિત્રકાર પણ છે.તેમના ચિત્રોની પણ ઘણી વખત હરાજી કરવામાં આવી છે. તેઓ એક ગીતકાર પણ છે.શ્રેયા ઘોષાલ દ્વારા ગવાયેલ 'મા ગો તુમી સરબોજાનીં' તેના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે. (all photo : PTI)
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
