ગળ્યું ખાવાની આદત કે જીવલેણ વ્યસન? જાણો કેમ તમે ચાહવા છતાં નથી છોડી શકતા ‘સ્વીટ પોઈઝન’!
ખાલી પેટ મીઠું ખાવું એટલે બીમારીને આમંત્રણ! જો તમને પણ રાત્રે કે જમ્યા પછી ગળ્યું ખાવાની તલપ લાગે છે, તો આ લેખ તમારા માટે ચેતવણી સમાન છે. જાણો કેવી રીતે તમારી ખાવાની આદતો તમને ડાયાબિટીસ તરફ ધકેલી રહી છે!

જ્યારે તમે રિફાઈન્ડ કાર્બ્સ કે ખાંડ ખાઓ છો, ત્યારે શરીરમાં બ્લડ શુગર રોકેટની જેમ વધે છે અને પછી અચાનક તળિયે બેસી જાય છે. આ 'શુગર ક્રેશ' શરીરને ફરીથી ગળ્યું ખાવા માટે મજબૂર કરે છે, જે એક ક્યારેય ન અટકતું ચક્ર બની જાય છે.

જો તમારા ભોજનમાં પ્રોટીન ઓછું અને કાર્બોહાઈડ્રેટ વધુ છે, તો તમારું પેટ ક્યારેય ભરાયેલું નહીં લાગે. આ સ્થિતિમાં શરીર 'ઈન્સ્ટન્ટ એનર્જી' માટે મીઠા ખોરાકની માંગ કરે છે, જે ધીમે ધીમે લત બની જાય છે.

તણાવ અને થાક સમયે મગજ તરત જ ખુશી શોધે છે. ગળ્યું ખાતા જ મગજમાં 'ડોપામાઈન' રીલીઝ થાય છે, જે તમને થોડીવાર માટે સુકૂન આપે છે. હાર્વર્ડના નિષ્ણાતો મુજબ, આ ડ્રગ્સ જેવી જ લત છે જે તમને માનસિક રીતે ગુલામ બનાવે છે.

તમારા પેટમાં રહેલા બેક્ટેરિયા તમારી પસંદ નક્કી કરે છે. જો ડાયટમાં ફાઈબર ઓછું હોય, તો ખરાબ બેક્ટેરિયા વધી જાય છે અને તેઓ જ તમારા મગજને ગળ્યું ખાવા માટે સિગ્નલ મોકલે છે.

શું તમે જાણો છો? ઘણીવાર શરીર તરસ્યું હોય છે અથવા તેને ઊંઘની જરૂર હોય છે, પણ મગજ તેને 'શુગર ક્રેવિંગ' સમજી લે છે. અપૂરતી ઊંઘ તમારા હોર્મોન્સ બગાડે છે અને તમને મીઠા તરફ ધકેલે છે.
આખો ટ્રક બળી ગયો, અમદાવાદમાં ડનલોપ સીટ બનાવટી ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ Video, વાંચવા માટે અહીં ક્લિક કરો
