AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Richest Businessman : સુરતના ડાયમંડ કિંગ, 180 રૂપિયા હતો પગાર, આજે કરોડોનો છે કારોબાર

સુરતના આ બિઝનેસમેને 180 રૂપિયાના માસિક પગારથી કારકિર્દી શરૂ કરીને આજે 16,000 કરોડના સામ્રાજ્ય સુધી પહોંચી લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

| Updated on: Jan 09, 2026 | 2:37 PM
Share
ભારતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ અને ગુજરાતના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા સવજી ધોળકિયા હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને માલિક છે. તેમની કંપની આજે વિશ્વના 79 દેશોમાં પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. નોંધનીય વાત એ છે કે તેમણે માત્ર 13 વર્ષની ઉંમરે હીરા ઉદ્યોગમાં પગલું મૂક્યું હતું.

ભારતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ અને ગુજરાતના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા સવજી ધોળકિયા હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને માલિક છે. તેમની કંપની આજે વિશ્વના 79 દેશોમાં પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. નોંધનીય વાત એ છે કે તેમણે માત્ર 13 વર્ષની ઉંમરે હીરા ઉદ્યોગમાં પગલું મૂક્યું હતું.

1 / 7
ગુજરાતે દેશને અનેક મહાન ઉદ્યોગપતિઓ આપ્યા છે. અંબાણી પરિવારથી લઈને અદાણી ગ્રુપ સુધી. જોકે, આ યાદીમાં કેટલાક એવા નામો પણ છે જે બહુ ઓછા ચર્ચાય છે, પરંતુ તેમનું કાર્ય અસાધારણ છે. તેમાં સવજી ધોળકિયાનું નામ પણ આવે છે. તમે કદાચ તેમનું નામ ઓછું સાંભળ્યું હશે, પરંતુ જ્યારે પણ સમાચાર આવે છે કે કોઈ ગુજરાતી ઉદ્યોગપતિએ પોતાના કર્મચારીઓને કાર અથવા ઘર ભેટમાં આપ્યા છે, ત્યારે એ પાછળ સવજી ધોળકિયા જ હોય છે.

ગુજરાતે દેશને અનેક મહાન ઉદ્યોગપતિઓ આપ્યા છે. અંબાણી પરિવારથી લઈને અદાણી ગ્રુપ સુધી. જોકે, આ યાદીમાં કેટલાક એવા નામો પણ છે જે બહુ ઓછા ચર્ચાય છે, પરંતુ તેમનું કાર્ય અસાધારણ છે. તેમાં સવજી ધોળકિયાનું નામ પણ આવે છે. તમે કદાચ તેમનું નામ ઓછું સાંભળ્યું હશે, પરંતુ જ્યારે પણ સમાચાર આવે છે કે કોઈ ગુજરાતી ઉદ્યોગપતિએ પોતાના કર્મચારીઓને કાર અથવા ઘર ભેટમાં આપ્યા છે, ત્યારે એ પાછળ સવજી ધોળકિયા જ હોય છે.

2 / 7
સુરતના આ જાણીતા હીરા વેપારીની સફળતાની કહાની ખાસ કરીને યુવા ઉદ્યોગસાહસિકો માટે અત્યંત પ્રેરણાદાયક છે. ફક્ત પાંચમું ધોરણ પૂર્ણ કરીને અને 13 વર્ષની ઉંમરે અભ્યાસ છોડનાર સવજી ધોળકિયાએ અવિરત મહેનત અને આત્મવિશ્વાસના આધારે એવો વ્યવસાય ઉભો કર્યો કે આજે હજારો લોકોને રોજગાર મળી રહ્યો છે.

સુરતના આ જાણીતા હીરા વેપારીની સફળતાની કહાની ખાસ કરીને યુવા ઉદ્યોગસાહસિકો માટે અત્યંત પ્રેરણાદાયક છે. ફક્ત પાંચમું ધોરણ પૂર્ણ કરીને અને 13 વર્ષની ઉંમરે અભ્યાસ છોડનાર સવજી ધોળકિયાએ અવિરત મહેનત અને આત્મવિશ્વાસના આધારે એવો વ્યવસાય ઉભો કર્યો કે આજે હજારો લોકોને રોજગાર મળી રહ્યો છે.

3 / 7
સવજી ધોળકિયા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમણે નાની ઉંમરે અભ્યાસ છોડી દીધો. વર્ષ 1977માં, તેઓ પોતાના કાકા સાથે હીરા ઉદ્યોગમાં કામ કરવા સુરત આવ્યા હતા. કહેવાય છે કે તે સમયે તેમના ખિસ્સામાં માત્ર 12 રૂપિયા હતા.

સવજી ધોળકિયા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમણે નાની ઉંમરે અભ્યાસ છોડી દીધો. વર્ષ 1977માં, તેઓ પોતાના કાકા સાથે હીરા ઉદ્યોગમાં કામ કરવા સુરત આવ્યા હતા. કહેવાય છે કે તે સમયે તેમના ખિસ્સામાં માત્ર 12 રૂપિયા હતા.

4 / 7
સવજી ધોળકિયાએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે સુરત તેમનું જીવન બદલી નાખશે. કાપડ ઉદ્યોગ માટે જાણીતા આ શહેરમાં તેમણે હીરા ઉદ્યોગમાં પોતાનું ભવિષ્ય ઘડ્યું. શરૂઆતમાં તેમણે સુરતની એક હીરા ફેક્ટરીમાં ₹179 પ્રતિ માસના પગાર પર કામ શરૂ કર્યું હતું. આ નાની આવકમાંથી પણ તેઓ દર મહિને ₹39 બચાવતા. આ જ નાની બચતથી તેમણે પોતાના વ્યવસાયની મજબૂત પાયાની શરૂઆત કરી, જે આગળ જઈને એક વિશાળ સામ્રાજ્યમાં બદલાઈ.

સવજી ધોળકિયાએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે સુરત તેમનું જીવન બદલી નાખશે. કાપડ ઉદ્યોગ માટે જાણીતા આ શહેરમાં તેમણે હીરા ઉદ્યોગમાં પોતાનું ભવિષ્ય ઘડ્યું. શરૂઆતમાં તેમણે સુરતની એક હીરા ફેક્ટરીમાં ₹179 પ્રતિ માસના પગાર પર કામ શરૂ કર્યું હતું. આ નાની આવકમાંથી પણ તેઓ દર મહિને ₹39 બચાવતા. આ જ નાની બચતથી તેમણે પોતાના વ્યવસાયની મજબૂત પાયાની શરૂઆત કરી, જે આગળ જઈને એક વિશાળ સામ્રાજ્યમાં બદલાઈ.

5 / 7
વર્ષ 1984માં, સવજી ધોળકિયાએ તેમના ભાઈઓ હિંમત અને તુલસી ધોળકિયા સાથે મળીને હરિ કૃષ્ણ એક્સપોર્ટર્સની શરૂઆત કરી. અહીંથી તેમની ઓળખ એક કર્મચારીમાંથી સફળ ઉદ્યોગસાહસિક તરીકે બની. શરૂઆતમાં કંપની હીરા અને કાપડ બંને ક્ષેત્રોમાં કાર્યરત હતી. પછી 1992માં, તેમણે હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી, જે આજે વિશ્વના 79 દેશોમાં પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. અંદાજ મુજબ, સવજી ધોળકિયાની કુલ સંપત્તિ લગભગ ₹16,000 કરોડ છે, જે તેમને ગુજરાતના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે.

વર્ષ 1984માં, સવજી ધોળકિયાએ તેમના ભાઈઓ હિંમત અને તુલસી ધોળકિયા સાથે મળીને હરિ કૃષ્ણ એક્સપોર્ટર્સની શરૂઆત કરી. અહીંથી તેમની ઓળખ એક કર્મચારીમાંથી સફળ ઉદ્યોગસાહસિક તરીકે બની. શરૂઆતમાં કંપની હીરા અને કાપડ બંને ક્ષેત્રોમાં કાર્યરત હતી. પછી 1992માં, તેમણે હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી, જે આજે વિશ્વના 79 દેશોમાં પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. અંદાજ મુજબ, સવજી ધોળકિયાની કુલ સંપત્તિ લગભગ ₹16,000 કરોડ છે, જે તેમને ગુજરાતના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે.

6 / 7
સવજી ધોળકિયા માત્ર સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ તેમની ઉદારતા માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે દિવાળી બોનસ તરીકે પોતાના કર્મચારીઓને કાર, ફ્લેટ અને ઘરો જેવી ભવ્ય ભેટો આપી છે. આ કારણે તેઓ માત્ર એક બિઝનેસમેન નહીં, પરંતુ એક સંવેદનશીલ અને માનવતાવાદી નેતા તરીકે પણ ઓળખાય છે.

સવજી ધોળકિયા માત્ર સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ તેમની ઉદારતા માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે દિવાળી બોનસ તરીકે પોતાના કર્મચારીઓને કાર, ફ્લેટ અને ઘરો જેવી ભવ્ય ભેટો આપી છે. આ કારણે તેઓ માત્ર એક બિઝનેસમેન નહીં, પરંતુ એક સંવેદનશીલ અને માનવતાવાદી નેતા તરીકે પણ ઓળખાય છે.

7 / 7

ગુજરાતના અમીર સાંસદ કોણ ? 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત, નામ જાણી ચોંકી જશો

ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">