Post Office ની સુપરહિટ સ્કીમ… ફક્ત એક વાર પૈસા ભરો, દર મહિને થશે 5500 ની કમાણી
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) સરકાર સમર્થિત, જોખમમુક્ત રોકાણ છે. એક વખત રોકાણ કરીને 7.40% વાર્ષિક વ્યાજ સાથે દર મહિને નિયમિત આવક મેળવો.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (Post Office MIS) સરકાર દ્વારા સમર્થિત એક સલામત રોકાણ યોજના છે. આ યોજનામાં ફક્ત એક જ વખત રોકાણ કરીને તમે નિયમિત માસિક આવક મેળવી શકો છો. જો તમે જોખમ વિના સ્થિર આવક ઈચ્છતા હો, તો આ યોજના તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.

સલામત રોકાણ અને સારા વળતરની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. ભારતીય પોસ્ટ બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વર્ગ માટે વિવિધ સરકારી યોજનાઓ ચલાવે છે. તેમાંની કેટલીક યોજનાઓ નિવૃત્તિ પછી નિયમિત આવકની ખાતરી આપે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) એવી જ એક વિશ્વસનીય યોજના છે.

દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી થોડી બચત કરીને એવી યોજના શોધે છે જેમાં નિયમિત આવક મળે. પોસ્ટ ઓફિસ MIS યોજના હેઠળ એક વખત રોકાણ કર્યા પછી તમને દર મહિને વ્યાજ સ્વરૂપે આવક મળે છે. સરકાર તમારા રોકાણની સંપૂર્ણ સુરક્ષા આપે છે, એટલે આ યોજના જોખમમુક્ત માનવામાં આવે છે. આ યોજનામાં માત્ર ₹1,000 થી ખાતું ખોલી શકાય છે.

18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ પોસ્ટ ઓફિસ MIS યોજના હેઠળ ખાતું ખોલી શકે છે. આ યોજના સિંગલ તેમજ સંયુક્ત ખાતા બંને વિકલ્પો આપે છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ત્રણ પુખ્ત વ્યક્તિઓ સામેલ થઈ શકે છે. હાલ સરકાર આ યોજના પર 7.40% વાર્ષિક વ્યાજ આપે છે અને તેની પરિપક્વતા અવધિ 5 વર્ષ છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક વખતની રોકાણ યોજના છે. એટલે કે, તમને ફક્ત એક જ વખત રકમ જમા કરાવવાની જરૂર છે અને ત્યારબાદ તમને દર મહિને વ્યાજ મળતું રહેશે. સિંગલ ખાતામાં મહત્તમ ₹9 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે, જ્યારે સંયુક્ત ખાતામાં આ મર્યાદા ₹15 લાખ સુધીની છે. ખાતું ખોલાવ્યા પછીના મહિના થી વ્યાજ મળવાનું શરૂ થાય છે.

જો તમે દર મહિને ₹5,500 ની આવક મેળવવા માંગતા હો, તો તમારે પોસ્ટ ઓફિસ MIS ખાતામાં ₹9 લાખનું એકમ રકમ રોકાણ કરવું પડશે. 7.40% વાર્ષિક વ્યાજ દર અનુસાર તમને દર મહિને આશરે ₹5,500 વ્યાજ રૂપે મળશે. જો તમે સંયુક્ત ખાતું ખોલીને ₹15 લાખનું રોકાણ કરો છો, તો તમને દર મહિને લગભગ ₹9,250 સુધીની આવક મળી શકે છે.આ યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે ખાતું 5 વર્ષની પરિપક્વતા પહેલાં બંધ ન કરવું યોગ્ય છે. જો ખાતું ખોલ્યા બાદ 1 થી 3 વર્ષની અંદર બંધ કરવામાં આવે, તો મુદ્દલ રકમમાંથી 2% કપાત થશે. જ્યારે 3 થી 5 વર્ષની વચ્ચે ખાતું બંધ કરવાથી 1% કપાત લાગુ પડશે. ખાતાધારકના અવસાનની સ્થિતિમાં ખાતું બંધ કરી નોમિનીને રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને રિફંડ સુધી વ્યાજ ચૂકવવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ MIS યોજના હેઠળ ખાતું ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરી શકો છો. ખાતું ખોલાવવા માટે અરજી ફોર્મ, KYC ફોર્મ, પાન કાર્ડની નકલ અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
Post Office Scheme : સુરક્ષિત રોકાણ સાથે બમ્પર વ્યાજના લાભ, જાણો યોજના વિશે A ટુ Z માહિતી
