Breaking News : ગીર-સોમનાથમાં બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા, તપાસ શરૂ, જુઓ Video
ગીર-સોમનાથના ઉના નજીક વલસાડની ‘માધવી’ નામની ફિશિંગ બોટ પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. ભારે પવન અને મોજાં વચ્ચે બોટ ડૂબવા લાગતા 12 માછીમારોએ દરિયામાં કૂદકો લગાવ્યો.
ગીર-સોમનાથના ઉના નજીક દરિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વલસાડની માધવી નામની ફિશિંગ બોટ ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. આ ઘટના ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે બની હતી, જેના કારણે બોટને મોટું નુકસાન થયું હતું અને તે ડૂબવા લાગી હતી.
બોટ ડૂબી રહી હોવાનું જણાતા તેમાં સવાર કુલ 12 માછીમારોએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદકો લગાવ્યો હતો. સદનસીબે, અકસ્માતની જાણ થતા જ આસપાસ ફિશિંગ કરી રહેલી અન્ય બોટો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવી હતી. સમયસરના રેસ્ક્યૂ ઓપરેશનને કારણે તમામ 12 માછીમારોને દરિયામાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને અન્ય બોટોમાં લાવવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બોટ કેવી રીતે પથ્થર સાથે અથડાઈ અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે કાર્યવાહી ચાલુ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી તે એક રાહતની વાત છે.
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

