MI vs LSG : ખરાબ ફોર્મ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સનો સંઘર્ષ, લખનૌ સામે મહત્વની ટક્કર
મુંબઈ ઈન્ડિયન્સને IPL પ્લેઓફમાં સ્થાન મેળવવાના મુશ્કેલ માર્ગમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો તેમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે 04 મે 2026 સોમવારના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે.

પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ નવ મેચમાંથી માત્ર બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

હાર્દિક (146 રન અને 4 વિકેટ) અને સૂર્યકુમાર (186) એ અત્યાર સુધી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેનાથી મુંબઈ ઈન્ડિયન્સને ઘણું નુકસાન થયું છે.

IPL પ્લેઓફમાં સ્થાન મેળવવાની મુંબઈ ઈન્ડિયન્સની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. ક્વોલિફાય થવાની આશા જીવંત રાખવા માટે, મુંબઈએ બાકીની બધી મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો અનુકૂળ રહે તેવી પ્રાર્થના પણ કરવી પડશે.

બીજી બાજૂ લખનૌના ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી. મુંબઈ અને લખનૌના નબળા પ્રદર્શનના કારણે ટીમના કેપ્ટનશીપ પર પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે.

MI અને LSGનું પ્રદર્શન આ સિઝનમાં સરખું રહ્યું છે. બંને ટીમો બેટિંગ નિષ્ફળતાનો સામનો કરી રહી છે. જેના કારણે અંતિમ ચારમાં પહોંચવાની તેમની તકો જોખમમાં મુકાઈ ગઈ છે.

LSGના કેપ્ટન ઋષભ પંત પણ સારું પ્રદર્શન કરી રહ્યા નથી. તેમની ટીમ સતત પાંચ મેચ હારી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં નીચે છે.
આ પણ વાંચો, પિતા ઉપર કર્યો કેસ, છુટાછેડાની ઉડી ચૂકી છે અફવા, હિટ ફિલ્મો આપ્યા બાદ રાજકારણમાં કરી એન્ટ્રી
