Breaking News : બંગાળમાં જીતની ઉજવણી પર લાગ્યો બ્રેક, રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ
પશ્ચિમ બંગાળમાં મતગણતરી દરમિયાન ચૂંટણી આયોગે જીતના જશ્નમાં રેલીઓ અને જુલસ પર પ્રતિબંધ લગાવ્યો છે. તો ચાલો જાણીએ કે,આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં સોમવાર એટલે કે, આજે મતગણતરી શરૂ થતાં ચૂંટણી પંચે કડક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંય પણ જીતની ઉજવણી માટે રેલીઓની મંજૂરી આપવામાં આવશે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.પત્રકારો સાથે વાત કરતા, ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે પરિણામો જાહેર થયા પછી કોઈપણ ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે ,કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈપણ સંભવિત તણાવને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
એજન્ટોની ફરિયાદો અંગે તેમણે શું કહ્યું?
વિવિધ રાજકીય પક્ષોના એજન્ટો સમયસર મતગણતરી કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે કમિશન આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે એજન્ટો કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાના મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચે કડક પગલાં લીધાં છે. 4 મે, 2026ના રોજ મત ગણતરીના દિવસે જીતની ઉજવણી, રેલીઓ અને સરઘસો પર સખત પ્રતિબંધ છે.તાજેતરના અહેવાલો અને વહીવટી આદેશો અનુસાર, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
બંગાળમાં ભાજપ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે મમતા બેનર્જી ભવાનીપુરમાં પાછળ છે, જ્યારે સુવેન્દુ અધિકારી આગળ છે.
