AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૌની રોય

મૌની રોય

મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ કૂચ બિહાર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના દાદા શેખર ચંદ્ર રોય જાણીતા થિયેટર કલાકાર હતા. તેની માતા મુક્તિ થિયેટર આર્ટિસ્ટ હતી અને તેમના પિતા અનિલ રોય કૂચ બિહાર જિલ્લા પરિષદના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ હતા. મૌની રોયે તેનું શાળાકીય શિક્ષણ કૂચ બિહારની બાબરહાટ કેન્દ્રીય વિદ્યાલય મેળવ્યું. જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાંથી માસ કોમ્યુનિકેશન ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેનો અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો.

મૌની રોય એક ભારતીય એક્ટ્રેસ, સિંગર, કથક નર્તકી અને મોડેલ છે, મૌની રોય મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેને 2007માં ટીવી સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ’માં કૃષ્ણ તુલસીના રોલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2011 માં મૌની રોયને દેવો કે દેવ મહાદેવ શો સાથે સફળતા મળી, જેમાં મૌની રોયે સતીનો રોલ પ્લે કર્યો હતો.

મૌની રોયે જુનૂન, ઈશ્ક, જરા નચકે દિખા, પતિ પત્ની ઔર વો, ઝલક દિખલા જા 7, બોક્સ ક્રિકેટ લીગ 2 જેવી ઘણી ટીવી સિરિયલોમાં ભૂમિકાઓ ભજવી છે. મૌની રોયે થ્રિલર સીરીયલ નાગીન 1 (2015-16) માં નાગીનનો રોલ પ્લે કર્યો હતેો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. મૌની રોયે વર્ષ 2018માં ગોલ્ડ ફિલ્મથી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું અને આ માટે મૌની રોયને બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

Read More
Follow On:

શું મૌની રોય ખરેખર ‘ગે’ છે? ગર્લગેંગ અને દિશા પાટની સાથેના સંબંધો પર એક્ટ્રેસે ખોલ્યા ‘ચોંકાવનારા રાઝ’

બોલિવૂડ એક્ટ્રેસ 'મૌની રોય' પતિ સૂરજ નાંબિયારથી અલગ થયા બાદ સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. એવામાં તેની સેક્સ્યુઆલિટી અને એક્ટ્રેસ દિશા પાટની સાથેના સંબંધોને લઈને ઉડતી અફવાઓ પર હવે મૌનીએ મૌન તોડ્યું છે.

40 વર્ષની મૌની રોય બની 39 વર્ષના વરુણ ધવનની માતા ! યુઝર્સ કરી રહ્યા ટ્રોલ, કહ્યું આ શું બકવાસ?

'નાગિન' ફેમ મૌની રોય, જે 40 વર્ષની છે, તે ફિલ્મમાં વરુણ ધવનની નકલી માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ કાસ્ટિંગ પસંદગીથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. રસપ્રદ વાત એ છે કે, વરુણ આ વર્ષે 39 વર્ષનો થયો

Alimony, વિવાદ અને ત્રીજી વ્યક્તિ.. મૌની રોય સાથેના છૂટાછેડા બાદ સૂરજ નામ્બિયારે તોડી ચૂપ્પી, અફવાઓ પર વ્યક્ત કર્યો ગુસ્સો

સૂરજ નામ્બિયારે મૌની રોય સાથેના છૂટાછેડા પર ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના છૂટાછેડામાં કોઈ ત્રીજી વ્યક્તિ કે ભરણપોષણનો વિવાદ નથી.

Mouni Roy-Suraj Divorce : હું લગ્ન કરવા માગતો ન હતો પરંતુ… Mouni Roy ને લઈ સૂરજ નામ્બિયારનો ખુલાસો, જુઓ

અભિનેત્રી મૌની રોય અને પતિ સૂરજ નામ્બિયારના છૂટાછેડાની અફવાઓ વચ્ચે સૂરજનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી વાયરલ થયો છે. સૂરજે ત્યારે કહ્યું હતું કે તે લગ્ન માટે તૈયાર નહોતો, જ્યારે મૌની લગ્ન કરવા ઈચ્છતી હતી.

કોની પાસે વધુ સંપત્તિ છે, મૌની રોય કે તેના પતિ સૂરજ નામ્બિયાર? જાણો

મૌની રોયે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. હવે કપલની પર્સનલ લાઈફ ચર્ચામાં આવી છે. તો ચાલો જાણીએ કે, મૌની રોય કે સૂરજ નામ્બિયાર બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા

મૌની રોય અને પતિ સુરજ નાંબિયારની જોડી ચાહકોની ફેવરિટ જોડી હતી. પરંતુ એક સમાચારથી ચાહકોને ઝટકો લાગશે કે, કારણ કે, બંન્ને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ છુટાછેડાની ચર્ચા શરુ થઈ છે.

બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રીએ 4 મિનિટના રોલ માટે 50 લાખની ફી લીધી

બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રી મૌની રોય હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ અભિનેત્રી ખુબ એક્ટિવ રહે છે. એક ફિલ્મ માટે લાખોમાં ચાર્જ લે છે.

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">