‘ભારતીય કરન્સી’ પર કોનું નિયંત્રણ હોય છે ? આખરે ભારતમાં કઈ જગ્યાએ નોટોનું ‘છાપકામ’ થાય છે?
ભારતમાં રોજબરોજની લેણદેણ કરોડો અને અબજોના હિસાબે થાય છે. ભારતીય જનતા 10 ની નોટથી લઈને 500 ની નોટ સુધીની લેણદેણ દરરોજ કરે છે. એવામાં લોકોના મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે, ભારતીય કરન્સી નોટો ક્યાં છપાય છે? નોટ છાપવાનું નિયંત્રણ (કંટ્રોલ) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે હોય છે કે કેન્દ્ર સરકાર પાસે?

ભારતમાં રોજબરોજની લેણદેણ કરોડો અને અબજોના હિસાબે થાય છે. ભારતીય જનતા 10 ની નોટથી લઈને 500 ની નોટ સુધીની લેણદેણ દરરોજ કરે છે. એવામાં લોકોના મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે, ભારતીય કરન્સી નોટો ક્યાં છપાય છે? નોટ છાપવાનું નિયંત્રણ (કંટ્રોલ) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે હોય છે કે કેન્દ્ર સરકાર પાસે?

ભારતમાં કરન્સી નોટોનું છાપકામ ચાર મુખ્ય પ્રિન્ટિંગ પ્રેસમાં કરવામાં આવે છે, જે ભારતના અલગ-અલગ 4 રાજ્યમાં આવેલી છે. ભારતના નાસિક (મહારાષ્ટ્ર), દેવાસ (મધ્ય પ્રદેશ), મૈસૂર (કર્ણાટક) અને સાલબોની (પશ્ચિમ બંગાળ) માં નોટો છાપવામાં આવે છે. આમાંથી નાસિકની કરન્સી પ્રેસ ભારતની સૌથી જૂની પ્રિન્ટિંગ પ્રેસ છે. આ સિવાય જોવા જઈએ તો, મૈસૂરમાં મોટા પ્રમાણમાં કરન્સીનું છાપકામ થાય છે.

ભારતમાં ઘણા લોકોને એવું લાગે છે કે, 'રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા' પોતે જ કરન્સી નોટો છાપે છે પરંતુ આની વાસ્તવિકતા થોડી અલગ છે. વાસ્તવમાં, નોટોનું છાપકામ ખાસ સરકારી અને RBI સાથે જોડાયેલી કંપનીઓમાં કરાવવામાં આવે છે. જો કે, ચલણ (કરન્સી) જાહેર કરવાનું અને તેનું નિયંત્રણ કરવાનું કામ RBI પાસે જ રહે છે.

ભારતના લોકોને એવું લાગતું હશે કે, કરન્સીનું છાપકામ માત્ર RBI જ કંટ્રોલ કરે છે પરંતુ આવું બિલકુલ નથી. નોટોના છાપકામ માટે RBI અને સરકાર બંને મહત્વની ભૂમિકા ભજવે છે. RBI નક્કી કરે છે કે, માર્કેટમાં કેટલી નોટોની જરૂરિયાત છે અને કેટલી નોટો બહાર પાડવી પડશે.

બીજીબાજુ કેન્દ્ર સરકાર નોટોની ડિઝાઇન, સુરક્ષા ફીચર્સ (સિક્યોરિટી ફીચર્સ) તેમજ વહીવટી અને કાનૂની પાસાઓની દેખરેખ રાખે છે. 1934 ના કાયદા હેઠળ 2 રૂપિયાની નોટથી લઈને 500 ની નોટ સુધીની કે તેનાથી મોટી નોટો બહાર પાડવાનો અધિકાર માત્ર RBI પાસે જ છે.
‘કપૂર’ અસલી છે કે નકલી? આ પદાર્થ ખરીદતી વખતે છેતરાતા નહીં, દેશી ટ્રિકથી કરો ‘પાકી ઓળખ’
