AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri Special: મહાશિવરાત્રિ પર ભોળેનાથને પ્રિય ‘ઠંડાઈ’ ઘરે બનાવો

Mahashivratri Special Thandai Recipe : મહાશિવરાત્રિના પાવન અવસરે ભગવાન શિવને અર્પણ કરો ઘરે બનેલી શુદ્ધ અને સ્વાદિષ્ટ ઠંડાઈ. જાણો જરૂરી સામગ્રી અને સરળ રેસીપી.

Mahashivratri Special:  મહાશિવરાત્રિ પર ભોળેનાથને પ્રિય 'ઠંડાઈ' ઘરે બનાવો
Mahashivratri Special Thandai Recipe
| Updated on: Feb 10, 2026 | 11:20 AM
Share

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવની આરાધના અને પૂજા કરવાનો મહત્વપૂર્ણ અવસર છે, જે આત્મિક શુદ્ધિ અને શાંતિ માટે અનિવાર્ય માનવામાં આવે છે. વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો ઉપવાસ, જાગરણ અને પૂજા-અર્ચના કરીને મહાદેવની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. શિવપૂજામાં ભોગનું વિશેષ મહત્વ હોય છે અને તેમાં ઠંડાઈને ખૂબ પવિત્ર અને પ્રિય માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને ઠંડક આપતી વસ્તુઓ બહુ ગમે છે. ઠંડાઈ એક પરંપરાગત ભારતીય પેય છે, જે શરીરને ઠંડક આપે છે અને સાથે જ આરોગ્ય માટે પણ લાભદાયી છે. તેમાં વપરાતા સૂકા મેવા, મસાલા અને દૂધ શરીરને ઉર્જા આપે છે. મહાશિવરાત્રિના દિવસે ઘરે બનાવેલી શુદ્ધ ઠંડાઈ મહાદેવને પ્રસાદ તરીકે અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

ઠંડાઈ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 2 મોટી ચમચી બદામ
  • 1 મોટી ચમચી વરિયાળી
  • 8-10 કાળી મરી
  • 4-5 એલચી
  • 10-12 કાજુ
  • 8-10 પિસ્તા
  • 1 મોટી ચમચી ગુલાબની પાંખડીઓ
  • 4 કપ દૂધ
  • 2 મોટી ચમચી ગુલાબજળ
  • 3 મોટી ચમચી ગોળ અથવા ખાંડ
  • 1-2 ચપટી કેસર
  • અડધી નાની ચમચી જાયફળ પાઉડર

ઠંડાઈ બનાવવાની રીત:

સૌ પ્રથમ બદામ, વરિયાળી, કાળી મરી, એલચી, કાજુ, પિસ્તા અને ગુલાબની પાંખડીઓને 4-5 કલાક અથવા આખી રાત્ર પાણીમાં પલાડી રાખો. પછી આ તમામ સામગ્રીને થોડા દૂધમાં ઉમેરીને મિક્સીમાં બારીક પીસી લો. હવે એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ગોળ અથવા ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી, ઠંડુ થવા દો. દૂધ ઠંડુ થયા બાદ તેમાં તૈયાર કરેલું પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ગુલાબજળ, કેસર અને જાયફળ પાઉડર ઉમેરો. મિશ્રણને છાણી લો જેથી મોટા કણ ન રહે. અંતે ઠંડાઈને 1-2 કલાક ફ્રિજમાં ઠંડી થવા મૂકો.

તૈયાર ઠંડાઈને ગ્લાસમાં પીરસી ઉપરથી પિસ્તા-બદામની કતરણ અને ગુલાબની પાંખડીઓથી સજાવો. આ પવિત્ર ઠંડાઈ મહાદેવને અર્પણ કરી પછી પ્રસાદરૂપે ગ્રહણ કરો.

રેસિપિ વિભાગમાં તમે નવી વાનગીઓ અને રસોઈ ટિપ્સ વિશે જાણી શકો છો. આમાં પરંપરાગત ખોરાક, સ્ટ્રીટ ફૂડ અને વિવિધ સ્થળોની લોકપ્રિય વાનગીઓ કહેવામાં આવે છે અને શીખવવામાં આવે છે. તેમાં તમામ પ્રકારની મસાલેદાર, મીઠી, ખાટી અને ઓછી મસાલેદાર વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી અવનવી રેસિપી જોવા માટે જોડાયેલા રહો TV9 ગુજરાતીના રેસિપી પેજ પર.

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">