Trending Video : ભક્તિ કે વ્યૂઝની ભૂખ ? પવિત્ર લાઈનમાં ઊભી રહીને ઠુમકા લગાવતી ‘રીલબાજ’ યુવતીને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું ખાટૂશ્યામ હિન્દુઓનું અત્યંત પવિત્ર તીર્થધામ છે. તાજેતરમાં ખાટૂશ્યામ મંદિર પરિસરમાં એક યુવતી દ્વારા ડાન્સ રીલ બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મંદિરની ગરિમા જાળવવા માટે ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓએ યુવતીને રીલ બનાવતા રોકી હતી.

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું ખાટૂશ્યામ હિન્દુઓનું અત્યંત પવિત્ર તીર્થધામ છે. ખાટુશ્યામ બાબાનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. તાજેતરમાં ખાટૂશ્યામ મંદિર પરિસરમાં એક યુવતી દ્વારા ડાન્સ રીલ બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મંદિરની ગરિમા જાળવવા માટે ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓએ યુવતીને રીલ બનાવતા રોકી હતી.
ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાનો વધતો ટ્રેન્ડ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવતી મંદિર પરિસરની લાઈનમાં ઊભી રહીને ગીત પર ડાન્સ કરતી અને વીડિયો રેકોર્ડ કરતી જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર એક પોલીસકર્મીએ તાત્કાલિક કાર્યવાહી કરતા યુવતીને રોકી હતી અને તેને લાઈનમાંથી બહાર જવા કહ્યું હતું.
View this post on Instagram
પોલીસે કરી કાર્યવાહી
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યારે યુવતી કેમેરા સામે ડાન્સ સ્ટેપ્સ કરી રહી હતી ત્યારે સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારી તેની પાસે પહોંચ્યા હતો. તેણે તરત જ રેકોર્ડિંગ બંધ કરવા અને ત્યાંથી દૂર જવા માટે સૂચના આપી હતી. પોલીસકર્મીઓએ જણાવ્યું કે ધાર્મિક સ્થળો પ્રાર્થના અને શ્રદ્ધાના કેન્દ્રો છે, તેનો ઉપયોગ મનોરંજન અથવા કન્ટેન્ટ બનાવવાના સ્થળ તરીકે ન કરવો જોઈએ.
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મોટાભાગના યુઝર્સે પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. લોકોએ કહ્યું કે Instagram રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો પવિત્ર સ્થળોની ગરિમા ભૂલી જાય છે. ઘણા લોકોએ એવી પણ માંગ કરી છે કે દેશના મોટા મંદિરોમાં મોબાઈલ ફોન અથવા ઓછામાં ઓછા વીડિયો રેકોર્ડિંગ પર કડક નિયમો લાગુ કરવા જોઈએ.
ભક્તોએ પોલીસની કરી પ્રશંસા
ભક્તોએ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી છે. લોકોનું કહેવું છે કે ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવી ખૂબ જ જરૂરી છે. રીલ અને સોશિયલ મીડિયા માટે પવિત્ર સ્થળોનો દુરુપયોગ ન થવો જોઈએ. ઘણા ભક્તોએ પોલીસના સમયસર પગલાને યોગ્ય ગણાવ્યું છે.
