કાનુની સવાલ : શું બાઈકની પાછળ હેલ્મેટ વગર બેસનારને ચલણ ભરવું પડે છે? નિયમો જાણો
હંમેશા જે લોકો શહેરમાં નવા નવા આવે છે. તેને ખબર નથી હોતી કે, બાઈકની પાછળ બેસનાર મુસાફરને પણ દંડ ભરવો પડે છે. તો આજે આપમે આ વિશે વિસ્તારથી જાણીશું.

આપણા દેશમાં બાઈક ચલાવતી વખતે રાઈડરને હેલમેટ પહેરવું જરુરી છે. આ વાત તમે બધા જાણો છો. પરંતુ શું તમે જાણો છો કે, બાઈકની પાછળ બેસનાર મુસાફરને પણ હેલ્મેટ પહેરવું ખુબ જરુરી છે.

ઘણીવાર, નાના શહેરો અને નગરોમાં, જાગૃતિના અભાવે અથવા બેદરકારીને કારણે પાછળ બેઠેલા લોકોને ચલણ જાહેર કરવામાં આવે છે.આનો અર્થ એ નથી કે કોઈ નિયમો નથી. માહિતીના અભાવે, જ્યારે લોકો મોટા શહેરોમાં મુસાફરી કરે છે, ત્યારે તેઓ નિયમો પ્રત્યેની અજ્ઞાનતાને કારણે ઘણીવાર ગંભીર પરિણામોનો સામનો કરે છે.

તો ચાલો જાણીએ ટ્રાફિકનો નિયમ શું કહે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ બાઈક ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંન્નેએ સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જરુરી છે. જો તમારી પાછળ બેસલા વ્યક્તિ હેલ્મેટ વગર મુસાફરી કરી રહ્યો છે. તો તમને 1000નો ટ્રાફિક દંડ લાગી શકે છે.

કેટલાક રાજ્યોમાં આ નિયમના ઉલ્લંધ પર દંડની સાથે સાથે વ્યક્તિનું ડ્રાઈવિંગ લાઈસન્સ અમુક મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.નાના શહેરોમાં, પોલીસ ઘણીવાર પાછળ બેઠેલા સવારોને અવગણે છે, જેના કારણે લોકો એવું માને છે કે આવો કોઈ નિયમ નથી.

જાગૃતિના અભાવે, જ્યારે ગ્રામીણ કે નાના શહેરોના લોકો બાઇક પર મોટા શહેરોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ અજાણતાં આ નિયમનો ભોગ બને છે.માત્ર હેલ્મેટ પહેરવું જરુરી નથી. ફક્ત હેલ્મેટ પહેરવું પૂરતું નથી,કાયદેસર રીતે, હેલ્મેટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BSI) દ્વારા પ્રમાણિત હોવું આવશ્યક છે, એટલે કે ISI ચિહ્ન ધરાવતું હોવું જોઈએ.

પાછળ બેઠેલી મહિલાઓ કે પુરુષો દંડથી બચવા માટે ઘણીવાર સાદી પ્લાસ્ટિક કેપ અથવા અડધી હેલ્મેટ પહેરે છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેના પરિણામે દંડ પણ થશે.

હેલ્મેટના તળિયે સ્ટ્રેપ અથવા ક્લિપને યોગ્ય રીતે લોક કરવી મહત્વપૂર્ણ છે; ક્લિપ ખુલ્લી હોય તો પણ પોલીસ દંડ ફટકારી શકે છે. મહત્વની વાત એ કે, નવા ટ્રાફિક નિયમો અનુસાર જો બાઈકમાં 4 વર્ષથી મોટી ઉંમરનું બાળક તમારી સાથે છે. તો તેને પણ હેલ્મટ પહેરાવવું જરુરી છે.

આ નિયમ ફક્ત ચલણથી બચવા માટે જ નહીં પરંતુ કોઈપણ અનિચ્છનીય અકસ્માતમાં મુસાફરોના માથા અને જીવન બંનેનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
