કાનુની સવાલ : જો પત્ની બીજા પુરુષ સાથે ભાગી જાય, તો હેબિયસ કોર્પસ અરજી ઉકેલ ન હોઈ શકે : મદ્રાસ હાઇકોર્ટ
કોર્ટે આખરે પોલીસને ગુમ થયેલી મહિલા અને બાળકોને શોધી કાઢવા અને તેમને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.અરજી કરનારની ફરિયાદ અનુસાર એક ગુમ મહિલાની એફઆઈઆર 7 માર્ચ 2026ના રોજ દાખલ થઈ હતી

મદ્રાસ હાઈકોર્ટનું કહેવું છે કે, જો મહિલા પોતાની મરજીથી કોઈ અન્ય સાથે ભાગી જાય છે. તો હેબિયસ કૉપર્સ હેઠળ આ મામલે વધારે કાંઈ કરી શકતા નથી. અરજીકરનારનું કહેવું છે કે, પોલીસમાં ફરિયાદ દાખલ કર્યા બાદ પણ પત્નીને પરત લાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી ત્યારબાદ પત્નીને પરત લાવવાની માંગ કોર્ટને કરી હતી.

મદ્રાસ હાઈકોર્ટેની મદુરાઈ બેન્ચે કહ્યું કે, જો પત્ની પોતાની મરજીથી સાસરિયું છોડી ચાલી ગઈ હોય તો તેને પરત લાવવા માટે હેબિયસ કૉપર્સ પિટિશનનો ઉપયોગ કરી શકાતો નથી. હેબિયસ કોપર્સ પિટીશનો મતલબ એ છે કે, કોર્ટની અરજી. જેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને અમાન્ય રીતે પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા હિરાસતમાં રાખવામાં આવ્યો હોય.

અરજી પર જસ્ટિસ એ આનંદ વેંકટેશ અને જસ્ટિશ પી ધનબલની બેન્ચે સુનાવણી કરી રહી હતી. આ મુરુગનનામના એક વ્યકિતએ હેબિયસ કોર્પશ પિટિશન દાખલ કરી હતી. અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, 6 માર્ચ 2026ના રોજ તેની પત્ની અને 2 બાળકો ગુમ થયા હતા. આ સાથે માંગ કરી હતી કે, તેને કોર્ટમાં રજુ કરવામાં આવે. કોર્ટે પોલીસને આદેશ આપ્યો કે, મહિલા અને બાળકોને શોધી કાઢે. આ સાથે મેજિસ્ટ્રેટ સામે રજુ કરવામાં આવે.

અરજી કરનારની ફરિયાદ અનુસાર એખ ગુમ મહિલાની એફઆઈઆર 7 માર્ચ 2026ના રોજ દાખલ થઈ હતી. જ્યારે રાજ્ય તરફથી કોર્ટમાં પહોચેલા વકીલે કહ્યું કે, મહિલાએ કથિત રીતે અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યો હતો અને બાળકોને પોતાની મરજીથી લઈ ગઈ છે.

આ દલીલ પર કોર્ટે કહ્યું કે જો સ્ત્રી પોતાની મરજીથી બીજા કોઈ સાથે ભાગી ગઈ હોય, તો હેબિયસ કોર્પસ હેઠળ બહુ કંઈ કરી શકાતું નથી.બેન્ચે પોલીસને મહિલા અને બાળકોને શોધી કાઢવાનો નિર્દેશ આપ્યો છે.

આ સાથે આલંગુલમમાં મેજિસ્ટ્રેટ સામે રજુ કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, મહિલાને રજુ કર્યા બાદ મેજિસ્ટ્રેટ તેનું નિવેદન નોંધશે. બાળકો સાથે વાત કરે અને કાનુનના મુજબ આગળનું પગલું લઈ શકશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
