કાનુની સવાલ : તમે ઘરે કેટલા લિટર ડીઝલ અને પેટ્રોલનો સંગ્રહ કરી શકો છો ? નિયમો જાણો નહીંતર જેલ ભેગા થશો
આજકાલ ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલનો સંગ્રહ કરવાનું વિચારી રહ્યા છે. સૌ પ્રથમ તમને જણીવી દઈએ કે, ડીઝલ અને પેટ્રોલ બંનેનો સંગ્રહ કરવાના નિયમો અલગ અલગ છે.

પેટ્રોલ ડિઝલની કિંમત વધવાની ચર્ચા તેમજ પેટ્રોલ ડિઝલની અછતની ચર્ચા વચ્ચે અનેક મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોનું એ પણ માનવું છે કે,ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. રીઝલ્ટ પણ આવું ગયું છે. પરંતુ સરકારે આને લઈ હજુ સુધી કોઈ ઓફિશિયલી જાણકારી આપી નથી કે, છતાં, ભવિષ્યની બચતના ડરથી, ઘણા લોકો મોટા પ્રમાણમાં ઇંધણનો સંગ્રહ કરવાની યોજના બનાવી રહ્યા છે.

જો જ્વલનશીલ પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહથી જાનહાનિ થાય છે, તો હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવી શકે છે.જો પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવો જરૂરી છે, તો નિયમોનું પાલન કરો, નહીં તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

તમને જણાવી દઈએ કે, એક નક્કી કરેલા નિયમથી વધુ માત્રામાં ઈંધણ રાખવું એક ગુનો છે. વિસ્ફોટક અધિનિયન હેઠળ તમને સજા પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ લાઈસન્સ વગર તમે તમારા ઘરમાં કેટલું પેટ્રોલ અને ડીઝલ રાખી શકો છો.આગળ વધતા પહેલા, અમે તમને જણાવી દઈએ કે ડીઝલ અને પેટ્રોલ સ્ટોર કરવાના નિયમો અલગ અલગ છે.

પેટ્રોલ સ્ટોર કરવાના નિયમો વિશે આપણે વાત કરીએ તો, પેટ્રોલિયમ નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ લાઈસન્સ વગર ઘરમાં માત્ર 30 લીટર સુધી પેટ્રોલ સ્ટોર કરી શકે છે. આ 30 લીટર પેટ્રોલને 2.5 લીટરથી ઓછી ક્ષમતા વાળા સુરક્ષિત અને હવાદાર કન્ટેનરોમાં રાખવા જરુરી છે. જો તમે 30 લીટરથી વધુ પેટ્રોલ રાખવા માંગો છો તો વિસ્ફોટક વિભાગપાસેથી પરવાનગી લો અને લાઈસન્સ લેવું જરુરી છે.

ડીઝલ સ્ટોર કરવાના નિયમો વિશે વાત કરીએ તો. ડીઝલના મામલે નિયમ થોડા ઢીલા છે. એક વ્યક્તિ કોઈ પણ લાઇસન્સ વિના 2,500 લિટર સુધી ડીઝલનો સંગ્રહ કરી શકે છે, પરંતુ આ માટે કેટલીક શરતો પણ છે.

ડીઝલને સુરક્ષિત મેટલ ડ્રમ કે ટૈંકમાં રાખવું જોઈએ. તેમજ રહેણાંક વિસ્તારથી દુર રાખવું. આ છૂટ ત્યારે મળે છે. જ્યારે ડીઝલ 'નોન-બલ્ક' હોય, એટલે કે તેને ડ્રમ અથવા નાના કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેમાં એક પણ કન્ટેનર 1,000 લિટરથી વધુ ન હોય.

તમે ઘરે ડીઝલનો સંગ્રહ કરી શકો છો, પરંતુ તેને અન્ય વ્યક્તિને વેચવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.પેટ્રોલિયમ એક્ટ 1934ના ઉલ્લંઘન પર ભારે દંડ અને સંગ્રહિત તમામ ઇંધણ જપ્ત થઈ શકે છે.નિયમોની અવગણના કરવાથી ઓછામાં ઓછા છ મહિનાથી લઈને ઘણા વર્ષો સુધીની જેલની સજા થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
