કાનુની સવાલ : વિદેશી કોર્ટમાંથી છૂટાછેડા ભારતમાં માન્ય નથી ! સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ લગ્નને રદ કર્યા
સુપ્રીમ કોર્ટે એમેરિકી કોર્ટ તરફથી આપેલા છુટાછેડાના નિર્ણયને સ્વીકારવાની ના પાડી છે. આ સાથે એ પણ જોયું કે, પતિ-પત્ની 2008થી અલગ રહે છે. એટલે કે, અંદાજે 18 વર્ષથી તેનો કોઈ સંબંધ ન હતો.આને જોઈ સુપ્રીમ કોર્ટે તેના લગ્ન તોડ્યા હતા.

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં એક વિદેશમાં રહેતા ભારતીય (એનઆઈઆર) કપલના લગ્નને પૂર્ણ કર્યા છે. કોર્ટે કહ્યું કે, આ લગ્નનો સંબંધ હવે સંપૂર્ણ રીતે તુટી ગયા છે, હવે ફરી સાથે રહેવાની કોઈ શક્યતા રહી નથી.

આ મામલો એક એવા કપલ સાથે જોડાયેલો હતો. જેના લગ્ન 25 ડિસેમ્બર 2005ના રોજ મુંબઈમાં હિંદુ રીતિ-રીવાજથી થયા હતા. ત્યારબાદ બંન્ને અમેરિકામાં રહેવા લાગ્યા હતા પરંતુ થોડા જ વર્ષોમાં બંન્ને વચ્ચે વિવાદ શરુ થયો હતો. પત્નીએ 2008માં અમેરિકાની કોર્ટેમાં છુટાછેડાની અરજી આપી હતી. જ્યારે પતિએ તે સમયે ભારતમાં પુણેની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

અમેરિકાની કોર્ટે 2009માં લગ્નને અપરિવર્તનીય વિધટન એટલે કે, લગ્ન સંપૂર્ણ રીતે તુટવાના આધાર પર છુટાછેડા આપ્યા હતા. તેમજ સંપત્તિ અને પૈસાના વિભાજન અંગે પણ આદેશો આપવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવા વિદેશી છૂટાછેડા ભારતમાં માન્ય નથી, ખાસ કરીને જો તે માન્ય ભારતીય કાયદા પર આધારિત ન હોય.

કોર્ટે એ પણ કહ્યું કે, પતિએ અમેરિકાની કોર્ટમાં કાર્યવાહીમાં યોગ્ય રીતે ભાગ પણ લીધો ન હતો. આ માટે એવું ન કહી શકાય કે, તેને પોતાની વાત રાખવાની સંપૂર્ણ તક મળી નથી.

સુપ્રીમ કોર્ટે પોતાના જુના નિર્ણયને લઈ કહ્યું કે, વિદેશી છુટાછેડા ત્યારે જ માન્ય થશે. જ્યારે તે ભારતીય કાનુન અનુસાર હોય અને બંન્ને પક્ષો યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા હોય.

આ મામલો તેવો ન હતો. આ માટે કોર્ટે અમેરિકી છુટાછેડાના નિર્ણયને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ આ સાથે એ પણ જોવા મળ્યું હતુ કે, પતિ-પત્ની 2008થી અલગ રહે છે એટલે કે, અંદાજે 18 વર્ષથી તેનો કોઈ સંબંધ નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
