Joshi Surname History : TMKOC ફેમ દિલીપ જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે જોષી અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

ભારતમાં સામાન્ય રીતે વિવિધ અટક ધરાવતા લોકો વસવાટ કરતા હોય છે. ત્યારે જોષી અટક પણ સામાન્ય રીતે જોવા મળતી સરનેમ છે.

ભારતમાં મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે જોષી અટક સંકળાયેલી છે. આ અટક ભારતના વિવિધ રાજ્યોમાં જોવા મળે છે.

જો આ અટકની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, નેપાળ સહિતના વિસ્તારમાં વસવાટ કરતો સમુદાય છે.

જોષી શબ્દ સંસ્કૃત શબ્દ "જ્યોતિષી" પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. "જ્યોતિષ" નો અર્થ જે વ્યક્તિ જ્યોતિષનું જ્ઞાન ધરાવે છે, એટલે કે પંડિત અથવા પૂજારી જે ગ્રહો અને તારાઓના આધારે આગાહી કરે છે, શુભ મુહૂર્ત કાઢે છે અને ધાર્મિક વિધિઓ કરે છે.

સમય જતાં "જ્યોતિષ" નો ઉચ્ચાર "જોશી"માં બદલાઈ ગયો. કેટલાક લોકો જોશી લખે છે જ્યારે કેટલાક લોકો જોષી નામ લખે છે. જોષી અટક ધરાવતા લોકો સામાન્ય રીતે બ્રાહ્મણ જાતિના હોય છે. આ ઉપરાંત કેટલીક વાર અન્ય સમુદાયના લોકો પણ આ અટકનો ઉપયોગ કરે છે.

ઐતિહાસિક રીતે આ લોકો રાજાઓના દરબારમાં જ્યોતિષીઓ, પૂજારીઓ અથવા ગુરુઓ તરીકે સેવા આપતા હતા. કેટલાક વિસ્તારોમાં જોષી પરિવારો સ્થાનિક દેવી-દેવતાઓના મંદિરોમાં પૂજારી પણ રહ્યા છે.

મહારાષ્ટ્ર મરાઠી ઘણા જોશીઓ ચિત્પાવન અથવા દેશસ્થ બ્રાહ્મણ છે.ઉત્તરાખંડ ગઢવાલી, કુમાઉની પહાડી બ્રાહ્મણ જોશી, સ્થાનિક રિવાજોમાં સારી રીતે વાકેફ છે. ગુજરાતમાં જોશી અટક ધરાવતા ઘણા લોકો વૈદિક વિધિઓ કરે છે.

દરેક જોષી પરિવારનું એક ગોત્ર તેમની ઋષિ પરંપરા સાથે જોડાયેલું છે. ઉપરાંત, કેટલાક જોષી પરિવારોમાં અલગ અલગ કુલદેવતા હોય છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
