Toll Tax Rules : ટોલ પ્લાઝાનો 10 સેકન્ડનો નિયમ જો જાણી લીધો, તો નહિ દેવો પડે ટેક્સ, જાણો સંપૂર્ણ વિગતો
મોટાભાગના લોકો FASTagના ફાયદા વિશે જાણે છે.NHAI એ ટોલ બૂથ પર રાહ જોવાના સમય અંગે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી હતી. નિયમ મુજબ, જો વાહન 10 સેકન્ડથી વધુ સમય માટે અટવાયેલું રહે, તો તમારી પાસેથી કોઈ ચુકવણી લેવામાં આવશે નહીં.

ભારતમાં રોડ ટ્રીપ હંમેશા એક રોમાંચક અનુભવ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં ટોલ પ્લાઝાથી રસ્તાઓનો ઝડપી વિકાસ થયો છે. જેના કારણે મુસાફરી વધુ અનુકૂળ અને ઝડપી બની છે. ટોલ પ્લાઝાના રસ્તાઓ પર મુસાફરી કરવાના પોતાના ફાયદા અને પડકારો પણ છે.


ટોલ પ્લાઝાનો મુખ્ય ઉદ્દશ્ય રસ્તાઓના બાંધકામ અને જાળવણી માટે ભંડોળ એકત્ર કરવાનો છે. જે રસ્તાને સારા બનાવવામાં મદદ કરે છે. મુસાફરો ટોલ રોડ દ્વારા સરળતાથી હાઇવેનો ઉપયોગ કરી શકે છે. જે અન્ય રસ્તાઓ કરતાં વધુ સારા અને સુરક્ષિત હોય છે. હવે મોટાભાગના લોકો પોતાની પર્સનલ કાર લઈને મુસાફરી કરતા હોય છે. જે ફાસ્ટટેગનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ કેટલાક એવા નિયમ હશે. જેના વિશે તે અજાણ હશે.

તમારામાંથી ઘણા લોકો ટોલ ચૂકવવા માટે FASTag રિચાર્જ કરી રહ્યા હશે. જોકે, ઘણા લોકો તેના ઉપયોગો અને ફાયદાઓથી વાકેફ નથી. આ નિયમો તમને બિનજરૂરી ટોલ ચૂકવવાથી બચાવી શકે છે. આની મદદથી, તમે જરૂર કરતાં વધુ પૈસા ચૂકવવાનું પણ ટાળી શકો છો.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ટોલ બૂથ પર રાહ જોવાના સમય અંગે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી હતી. નિયમ મુજબ જો કોઈ કાર ટોલ બૂથની લાઈનમાં 10 સેકન્ડથી વધુ સમય માટે અટવાઈ રહે છે, તો તેને ટોલ ટેક્સ ભર્યા વગર જવા દેવામાં આવશે.

10 સેકન્ડના વેટિગ ટાઈમની સાથે સાથે એક જરુરી માર્ગદર્શિકા એ પણ છે. જેના વિશે તમામ લોકોને જાણ હોવી જોઈએ. 100 મીટરનો વેટિંગ લાઈન નિયમ છે.NHAI અનુસાર કોઈ પણ ટોલ પ્લાઝા પર વેટિંગ લાઈન 100 મીટથી વધારે રહેવો જોઈએ નહિ.

જો આવું થયું તો લાઈનમાં ઉભેલા વાહનો પાસેથી ટોલ ટેક્સ વસુલવામાં આવશે નહિ. 100 મીટરની વેટિંગ લાઈન મીટરની ઓળખ માટે દરેક ટોલ લેનમાં એક પીળી લાઈન માર્ક હોય છે. જેને જોઈ તમે ફાયદો ઉઠાવી શકો છો.

જો તમે એવી પરિસ્થિતિમાં હોવ કે જ્યાં નિયમોનું પાલન થતું નથી, તો તમે પગલાં લઈ શકો છો, તમને પગલાં લેવાનો સંપૂર્ણ અધિકાર છે. જો ટોલ કર્મચારીઓ તમારી સાથે યોગ્ય વર્તન ન કરે અથવા આ નિયમો તોડવા છતાં તમને જવા ન દે, તો તમે ટોલ ફ્રી નંબર 1033 પર કૉલ કરીને ફરિયાદ કરી શકો છો.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. નોલેજના વધુ સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો
