જામનગર બેઠક પર પૂનમ માડમનું જ લેવામાં આવે છે નામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે વખાણ
વર્ષ 2014માં પૂનમ માડમ પહેલી વખત સાંસદ બન્યા હતા. પૂનમ માડમે પોતાના કાકા વિક્રમ માડમને હાર આપી હતી. 6 વખત ધારાસભ્ય રહેલા હેમંત માડમની પુત્રી છે. તો ચાલો આજે આપણે આહિર પૂનમ માડમના પરિવાર વિશે જાણીએ.

જામનગરથી ભાજપના પૂનમ માડમની જીત થઈ છે, તો જામનગરમાં ફરી એક વખત કમળ ખીલ્યું છે.જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રીક લગાવી છે તમને જણાવી દઈએ કે પૂનમ માડમે 2,33,923 મતોની લીડ મેળવી છે આ સાથે પૂનમ માડમને 6,11,661 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયાને 3,77,738 મતો મળ્યા છે.

આજે આપણે વાત કરીશું આહિર સમાજની દિકરી અને જામનગરના સાંસદ પૂનમ માડમના પરિવાર વિશે.

પૂનમ માડમનો જન્મ 1974ના રોજ જામનગરમાં એક આહિર પરિવારને ત્યાં થયો છે. તેઓ એક રાજકારણી છે. જે જામનગરથી લોકસભાના સાંસદ છે. પહેલા તેઓ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.

જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ રહેલું છે. પૂનમ માડમના પિતા અને દાદા પણ રાજકારણમાં સક્રિય હતા. પૂનમ માડમ પણ આજ પરિવારમાંથી આવે છે.

2 એપ્રિલ 2019ના રોજ એફિટેવિટ મુજબ પૂનમ માડમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 1995માં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ ધોરણ 10 વર્ષ 1990 અને 12નો અભ્યાસ 1992માં પૂર્ણ કર્યો છે.

પૂનમ માડમ દિનાબેન અને હેમતભાઈ માડમના પુત્રી છે. જેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. પૂર્વ સંરક્ષણ અધિકારી પરમિન્દર મહાજન સાથે લગ્ન કર્યા છે.

આજે આપણે જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમના પરિવાર વિશે વાત કરીશું., જેના આજે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. તો ચાલો પૂનમ માડમના પરિવાર વિશે જાણીએ.

પૂનમ માડમને એક પુત્રી હતી.તેમની પુત્રી શિવાનીનો જન્મ 22 ફેબ્રુઆરી 1995 રોજ થયો હતો. 9 ડિસેમ્બર 2018 ના રોજ દાઝી જવાથી ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું. પૂનમ માડમને સંતાનમાં એક પુત્રી જ હતી.

પૂનમ માડમના પિતાએ જામખંભાળિયામાં 1972-1990 દરમિયાન સતત ચાર વખત અપક્ષ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમના દાદા રામભાઈ માડમ શિક્ષણ ક્ષેત્રે આહીર/યાદવ સમુદાયના કાર્યમાં સક્રિય હતા. જામ ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ તેમના કાકા છે.

વિક્રમભાઈ અરજણભાઈ માડમનો જન્મ 23 માર્ચ 1958 રોજ થયો છે. 2004 થી 2014 સુધી બે ટર્મ માટે ભારતની લોકસભાના સભ્ય હતા. તેમણે ગુજરાતના જામનગર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. તેઓ જામનગરમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં તેમની ભત્રીજી પૂનમ માડમ સામે હારી ગયા હતા.

રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તે કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા પરંતુ બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના સાંસદ પૂનમ માડમ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

49 વર્ષીય પૂનમ માડમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ધાર્મિક અને સામાજીક કાર્યોમાં પણ સક્રિય હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂનમ માડમના કામના વખાણ કરી ચૂક્યા છે.

તેઓ સામાજિક રીતે પણ ખૂબ સક્રિય છે. પૂનમ માડમ આહીર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પણ છે.રમતગમત, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં જાગૃતિ ફેલાવે છે.

પૂનમ માડમને ભાજપમાંથી ટિકિટ મળવાનો મામલો ઘણો રસપ્રદ હતો. બપોરે તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી અને સાંજ સુધીમાં ભાજપે તેમને ટિકિટ પણ આપી દીધી હતી. જે મુદ્દો ખુબ ચર્ચામાં પણ રહ્યો હતો.

તેઓ 2012 થી 2014 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે 2014ની લોકસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના તેના કાકા વિક્રમ માડમ સામે જીત મેળવી હતી. તેમને કુલ 484,412 મત મળ્યા અને 175,289 મતોના માર્જિનથી જીતી ગયા. 2019માં 5,91,588 મત મળ્યા અને 17મી લોકસભા માટે 2,36,804 ના માર્જિન સાથે ફરીથી ચૂંટાયા હતા.

પૂનમ માડમ વિવિધ સંસદીય સમિતિઓની સભ્ય રહી ચૂક્યા છે, પૂનમ માડમ નાના માણસોથી લઈ સૌ કોઈના કામમાં આગળ આવે છે.

બીજેપી સાંસદ પૂનમ માડમ મે 2017માં ડિમોલિશનની ઝુંબેશ રોકવા જામનગર શહેરના જલારામનગર વિસ્તારની મુલાકાત દરમિયાન ઘાયલ થયા હતા. તેમનો પશુ પક્ષીઓ સાથે પણ ખુબ પ્રેમ છે.

પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતા અને આજે સાંસદ પૂનમ માડમની ગણતરી ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં થાય છે. લોકો તેને ખુબ પ્રેમ પણ કરે છે.

મહત્વનું છે કે પૂનમ માડમ વર્ષ 2014 અને 2019 એમ છેલ્લી બે ટર્મથી જામનગર બેઠક પરથી સાંસદ છે અને હવે 2024માં પણ તેમને ત્રીજી વખત ટિકિટ મળી ચૂકી છે.






































































