Jagannath Puri Rath Yatra 2021 : પુરીમાં પણ નીકળી જગન્નાથજીની રથયાત્રા, જુઓ ફોટોઝ
Jagannath Rath Yatra 2021 : કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે પુરીમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી છે.

ઓરિસ્સાના પુરીમાં દર વર્ષે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને પગલે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર રથયાત્રા કાઢવામાં આવી.

સુપ્રીમ કોર્ટે ડેલ્ટા પ્લસ વેરિએંટ અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે સમગ્ર રાજ્યમાંથી રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે.

કોરોનાને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવામાં આવી છે.

હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું ઘણુ મહત્વ છે. અષાઠ શુક્લ પક્ષની દ્વિતીય તિથીને દિવસે આ યાત્રા કાઢવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર, રથયાત્રા કાઢીને ભગવાન જગન્નાથને પ્રસિદ્ધ ગુડિચા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં ભગવાન 7 દિવસ સુધી આરામ કરે છે.

જગન્નાથ યાત્રાને સમગ્ર ભારતમાં એક તહેવારની જેમ મનાવવામાં આવે છે.

પુરીનું જગન્નાથ ધામ ચાર ધામોમાંથી એક છે. પુરીને પુરુષોત્તમ પુરી પણ કહેવામાં આવે છે. રાધા-કૃષ્ણને ભેગા કરીને જગન્નાથનું સ્વરૂપ બનાવવામાં આવ્યુ છે.

માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીની પુજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.