AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks : તમે તમારા રસોડામાં વાપરો છો તે કાળા મરી ભેળસેળવાળા છે? અસલી અને નકલી કાળા મરી ઓળખવાની સરળ રીતો જાણો

કાળા મરી દરેક રસોડામાં વપરાતો મહત્વપૂર્ણ મસાલો અને ઔષધીય ગુણ ધરાવતો ઘટક છે. પરંતુ તેની વધતી માંગને કારણે બજારમાં ભેળસેળનો પ્રશ્ન પણ વધ્યો છે. કેટલાક વ્યાપારીઓ સાચા મરીના બદલે નકલી દાણા અથવા રંગ ચડાવેલા કૃત્રિમ ઉત્પાદનો વેચી રહ્યા છે. આ નકલી મરી દેખાવમાં બિલકુલ અસલી જેવા લાગે છે, તેથી સામાન્ય ગ્રાહક માટે સાચા અને નકલી વચ્ચે ફરક ઓળખવો સરળ નથી.

| Updated on: Jan 17, 2026 | 10:15 AM
Share
શિયાળામાં કાળા મરીનો વપરાશ ખાસ કરીને વધી જાય છે. ચા, સૂપ અને વિવિધ વાનગીઓમાં તેનો સ્વાદ અને ઔષધીય ગુણો માટે વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ તેની વધતી માંગને કારણે બજારમાં ભેળસેળ પણ વધતી જોવા મળે છે. કેટલાક વેપારીઓ સાચા મરીની જગ્યાએ પપૈયાના બીજ, નકલી દાણા અથવા રંગ લગાવેલી કૃત્રિમ મરી વેચે છે. દેખાવમાં આ બધું અસલી મરી જેવું જ લાગતું હોવાથી સામાન્ય માણસ માટે ફરક ઓળખવો મુશ્કેલ બને છે. તેથી, તમારા ઘરમાં રહેલા કાળા મરી સાચા છે કે ભેળસેળવાળા તે ઓળખવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ કે અસલી અને નકલી મરીની ઓળખ કેવી રીતે  કરી શકાય. ( Credits: AI Generated )

શિયાળામાં કાળા મરીનો વપરાશ ખાસ કરીને વધી જાય છે. ચા, સૂપ અને વિવિધ વાનગીઓમાં તેનો સ્વાદ અને ઔષધીય ગુણો માટે વ્યાપક ઉપયોગ થાય છે. પરંતુ તેની વધતી માંગને કારણે બજારમાં ભેળસેળ પણ વધતી જોવા મળે છે. કેટલાક વેપારીઓ સાચા મરીની જગ્યાએ પપૈયાના બીજ, નકલી દાણા અથવા રંગ લગાવેલી કૃત્રિમ મરી વેચે છે. દેખાવમાં આ બધું અસલી મરી જેવું જ લાગતું હોવાથી સામાન્ય માણસ માટે ફરક ઓળખવો મુશ્કેલ બને છે. તેથી, તમારા ઘરમાં રહેલા કાળા મરી સાચા છે કે ભેળસેળવાળા તે ઓળખવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ કે અસલી અને નકલી મરીની ઓળખ કેવી રીતે કરી શકાય. ( Credits: AI Generated )

1 / 6
કાળા મરી સાચા છે કે ભેળસેળવાળા, તે જાણવા માટે પાણીની એક સરળ કસોટી કરી શકાય છે. એક ગ્લાસમાં પાણી ભરો અને તેમાં થોડા કાળા મરીના દાણા નાખો. અસલી મરીના દાણા સામાન્ય રીતે હળવા હોવાથી પાણીની ઉપર તરતા રહે છે, જ્યારે નકલી અથવા ભેળસેળવાળા દાણા નીચે બેસી જાય છે. ખાસ કરીને પપૈયાના બીજથી બનેલી ભેળસેળ વધારે થતી હોવાથી તરતી નથી. આ સરળ પરીક્ષણથી થોડી જ વારમાં મરીની અસલિયત જાણી શકાય છે. ( Credits: AI Generated )

કાળા મરી સાચા છે કે ભેળસેળવાળા, તે જાણવા માટે પાણીની એક સરળ કસોટી કરી શકાય છે. એક ગ્લાસમાં પાણી ભરો અને તેમાં થોડા કાળા મરીના દાણા નાખો. અસલી મરીના દાણા સામાન્ય રીતે હળવા હોવાથી પાણીની ઉપર તરતા રહે છે, જ્યારે નકલી અથવા ભેળસેળવાળા દાણા નીચે બેસી જાય છે. ખાસ કરીને પપૈયાના બીજથી બનેલી ભેળસેળ વધારે થતી હોવાથી તરતી નથી. આ સરળ પરીક્ષણથી થોડી જ વારમાં મરીની અસલિયત જાણી શકાય છે. ( Credits: AI Generated )

2 / 6
મરીની અસલિયત ચકાસવાનો એક સરળ ઉપાય સુગંધ દ્વારા પણ કરી શકાય છે. થોડા દાણા હાથમાં લઈ હળવેથી ઘસો. જો તે અસલી અને તાજા હશે તો તરત જ તેની તીખી અને મસાલેદાર સુગંધ બહાર આવશે, જે તેની સાચી ઓળખ છે. પરંતુ જો દાણામાં કોઈ ખાસ વાસ ન આવે અથવા માટી જેવી ગંધ લાગે, તો સમજવું કે તે વાસી છે અથવા તેમાં ભેળસેળ હોઈ શકે છે. ખરાં મરીના દાણા તેમની તાજી અને તીવ્ર સુગંધથી તરત ઓળખાઈ જાય છે. ( Credits: AI Generated )

મરીની અસલિયત ચકાસવાનો એક સરળ ઉપાય સુગંધ દ્વારા પણ કરી શકાય છે. થોડા દાણા હાથમાં લઈ હળવેથી ઘસો. જો તે અસલી અને તાજા હશે તો તરત જ તેની તીખી અને મસાલેદાર સુગંધ બહાર આવશે, જે તેની સાચી ઓળખ છે. પરંતુ જો દાણામાં કોઈ ખાસ વાસ ન આવે અથવા માટી જેવી ગંધ લાગે, તો સમજવું કે તે વાસી છે અથવા તેમાં ભેળસેળ હોઈ શકે છે. ખરાં મરીના દાણા તેમની તાજી અને તીવ્ર સુગંધથી તરત ઓળખાઈ જાય છે. ( Credits: AI Generated )

3 / 6
બજારમાં મરીના દાણાને ચમકદાર દેખાડવા માટે ઘણી વખત તેના પર ખનિજ તેલ અથવા ઘી લગાવવામાં આવે છે. તેની સાચી ઓળખ કરવા માટે સફેદ કાગળ પર થોડા દાણા રાખીને હળવેથી દબાવો. જો કાગળ પર તેલ જેવી લાઇન  કે ડાઘ પડી જાય, તો સમજવું કે દાણાને કૃત્રિમ રીતે પોલિશ કરવામાં આવ્યા છે. જ્યારે અસલી અને શુદ્ધ કાળા મરીના દાણા કોઈપણ ચીકાશ અથવા તેલિયું નિશાન છોડતા નથી, જે તેમની કુદરતી સ્વરૂપ અને શુદ્ધતાનું સૂચન કરે છે. ( Credits: AI Generated )

બજારમાં મરીના દાણાને ચમકદાર દેખાડવા માટે ઘણી વખત તેના પર ખનિજ તેલ અથવા ઘી લગાવવામાં આવે છે. તેની સાચી ઓળખ કરવા માટે સફેદ કાગળ પર થોડા દાણા રાખીને હળવેથી દબાવો. જો કાગળ પર તેલ જેવી લાઇન કે ડાઘ પડી જાય, તો સમજવું કે દાણાને કૃત્રિમ રીતે પોલિશ કરવામાં આવ્યા છે. જ્યારે અસલી અને શુદ્ધ કાળા મરીના દાણા કોઈપણ ચીકાશ અથવા તેલિયું નિશાન છોડતા નથી, જે તેમની કુદરતી સ્વરૂપ અને શુદ્ધતાનું સૂચન કરે છે. ( Credits: AI Generated )

4 / 6
અસલી કાળા મરીના દાણા ગાઢ કાળા રંગના, કરચલીવાળા અને મોટાભાગે સમાન કદના જોવા મળે છે. જો ખરીદેલી મરીમાં ક્યાંક ભૂરા કે ફિક્કા રંગના દાણા નજરે પડે, તો શક્ય છે કે તે સૂકવેલા પપૈયાના બીજ હોય. આ બીજ સામાન્ય રીતે કાળા મરી કરતાં થોડા નાના અને હળવા હોય છે. ધ્યાનપૂર્વક જોવામાં આવે તો રંગ અને સપાટીની રચનામાં રહેલો ફરક જોઈને સાચા અને નકલી દાણાની ઓળખ સરળતાથી કરી શકાય છે. ( Credits: AI Generated )

અસલી કાળા મરીના દાણા ગાઢ કાળા રંગના, કરચલીવાળા અને મોટાભાગે સમાન કદના જોવા મળે છે. જો ખરીદેલી મરીમાં ક્યાંક ભૂરા કે ફિક્કા રંગના દાણા નજરે પડે, તો શક્ય છે કે તે સૂકવેલા પપૈયાના બીજ હોય. આ બીજ સામાન્ય રીતે કાળા મરી કરતાં થોડા નાના અને હળવા હોય છે. ધ્યાનપૂર્વક જોવામાં આવે તો રંગ અને સપાટીની રચનામાં રહેલો ફરક જોઈને સાચા અને નકલી દાણાની ઓળખ સરળતાથી કરી શકાય છે. ( Credits: AI Generated )

5 / 6
કાળા મરીના થોડા દાણા લઈને તેમને પથ્થર અથવા રોલિંગ પિનથી ક્રશ કરો. અસલી મરીના દાણાની અંદરનો ભાગ સામાન્ય રીતે સફેદ કે હળવા ભૂરો રંગનો હોય છે, જે તેની સારી ગુણવત્તાનું સૂચક છે. જો દાણા અંદરથી ખોખલા લાગતા હોય અથવા તેનો રંગ ખૂબ ઘેરો કે અતિ ભૂરો રંગ ધરાવતો હોય, તો સમજવું કે તે નબળી ક્વોલિટીનો છે અથવા તેમાં ભેળસેળ થયેલી હોઈ શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

કાળા મરીના થોડા દાણા લઈને તેમને પથ્થર અથવા રોલિંગ પિનથી ક્રશ કરો. અસલી મરીના દાણાની અંદરનો ભાગ સામાન્ય રીતે સફેદ કે હળવા ભૂરો રંગનો હોય છે, જે તેની સારી ગુણવત્તાનું સૂચક છે. જો દાણા અંદરથી ખોખલા લાગતા હોય અથવા તેનો રંગ ખૂબ ઘેરો કે અતિ ભૂરો રંગ ધરાવતો હોય, તો સમજવું કે તે નબળી ક્વોલિટીનો છે અથવા તેમાં ભેળસેળ થયેલી હોઈ શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

6 / 6

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે.તો ડાયાબિટીસ અને હૃદય રોગને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">