AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનથી બચાવશે ‘Vitamin C’, રોજ ડાયટમાં લો આ ‘હેલ્ધી ફૂડ્સ’

ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો આપે છે, પણ સાથે જ શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ પણ લાવે છે. ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા ઝડપથી વધતા હોવાથી આ દિવસોમાં શરીરની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત હોવી ખૂબ જરૂરી છે. આ ઇન્ફેક્શનથી બચવા માટે Vitamin C સૌથી શ્રેષ્ઠ ગણાય છે.

| Updated on: Jul 18, 2026 | 7:00 PM
Share
ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીમાંથી રાહત તો અપાવે છે પરંતુ પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ અને વાયરલ ઇન્ફેક્શન પણ લઈને આવે છે. આ ઋતુમાં હવામાં ભેજ વધવાને કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય છે, જેનાથી શરદી-ખાંસી, ઉધરસ, ફ્લૂ તેમજ પેટની ગરબડ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં પોતાની જાતને સ્વસ્થ રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે, પોતાની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ને મજબૂત બનાવવી.

ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીમાંથી રાહત તો અપાવે છે પરંતુ પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ અને વાયરલ ઇન્ફેક્શન પણ લઈને આવે છે. આ ઋતુમાં હવામાં ભેજ વધવાને કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય છે, જેનાથી શરદી-ખાંસી, ઉધરસ, ફ્લૂ તેમજ પેટની ગરબડ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં પોતાની જાતને સ્વસ્થ રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે, પોતાની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ને મજબૂત બનાવવી.

1 / 7
ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન C સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે વ્હાઇટ બ્લડ સેલ્સ (શ્વેત કણો) ના નિર્માણમાં મદદ કરે છે અને શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. આવી સ્થિતિમાં ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનના જોખમને ઓછું કરવા માટે તમે તમારા ડાયટમાં વિટામિન C થી ભરપૂર ફૂડ્સનો સમાવેશ કરી શકો છો.

ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન C સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. આ એક પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે વ્હાઇટ બ્લડ સેલ્સ (શ્વેત કણો) ના નિર્માણમાં મદદ કરે છે અને શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. આવી સ્થિતિમાં ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનના જોખમને ઓછું કરવા માટે તમે તમારા ડાયટમાં વિટામિન C થી ભરપૂર ફૂડ્સનો સમાવેશ કરી શકો છો.

2 / 7
લીંબુ, સંતરા, મોસંબી અને ગ્રેપફ્રૂટ (ચકોતરા) વિટામિન C ના ઉત્તમ સ્ત્રોત છે. સવારના સમયે નવશેકા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવો અથવા દિવસમાં એક સંતરું ખાવું એ તમારી વિટામિન C ની જરૂરિયાતને પૂરી કરી શકે છે. આ ફળો માત્ર ઇન્ફેક્શન સામે જ નથી લડતા પરંતુ પાચનક્રિયાને પણ તંદુરસ્ત રાખે છે.

લીંબુ, સંતરા, મોસંબી અને ગ્રેપફ્રૂટ (ચકોતરા) વિટામિન C ના ઉત્તમ સ્ત્રોત છે. સવારના સમયે નવશેકા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવો અથવા દિવસમાં એક સંતરું ખાવું એ તમારી વિટામિન C ની જરૂરિયાતને પૂરી કરી શકે છે. આ ફળો માત્ર ઇન્ફેક્શન સામે જ નથી લડતા પરંતુ પાચનક્રિયાને પણ તંદુરસ્ત રાખે છે.

3 / 7
આયુર્વેદમાં આમળાને સુપરફૂડ માનવામાં આવ્યું છે. તેમાં અન્ય કોઈપણ ખાટા ફળની તુલનામાં 20 ગણું વધુ વિટામિન C હોય છે. ચોમાસામાં રોજ એક આમળું ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી માત્ર ઇમ્યુનિટી જ મજબૂત નથી થતી પરંતુ તે ઝેરી તત્વોને (ટોક્સિન્સ) શરીરની બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

આયુર્વેદમાં આમળાને સુપરફૂડ માનવામાં આવ્યું છે. તેમાં અન્ય કોઈપણ ખાટા ફળની તુલનામાં 20 ગણું વધુ વિટામિન C હોય છે. ચોમાસામાં રોજ એક આમળું ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી માત્ર ઇમ્યુનિટી જ મજબૂત નથી થતી પરંતુ તે ઝેરી તત્વોને (ટોક્સિન્સ) શરીરની બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

4 / 7
ઘણીવાર લોકો એવું વિચારે છે કે, માત્ર ખાટા ફળોમાં જ વિટામિન C હોય છે પરંતુ જામફળમાં સંતરા કરતાં પણ ક્યાંય વધુ વિટામિન C જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં ડાયટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે ચોમાસા દરમિયાન થતી પેટની સમસ્યાઓથી રાહત અપાવે છે.

ઘણીવાર લોકો એવું વિચારે છે કે, માત્ર ખાટા ફળોમાં જ વિટામિન C હોય છે પરંતુ જામફળમાં સંતરા કરતાં પણ ક્યાંય વધુ વિટામિન C જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં ડાયટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે ચોમાસા દરમિયાન થતી પેટની સમસ્યાઓથી રાહત અપાવે છે.

5 / 7
'કીવી' એક એવું ફળ છે, જે પોષક તત્વોનું પાવરહાઉસ છે. એક નાના કીવીમાંથી જ તમારી આખા દિવસની જરૂરિયાતનું વિટામિન C મળી જાય છે. તે શરીરમાં સોજો ઓછો કરે છે અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે.

'કીવી' એક એવું ફળ છે, જે પોષક તત્વોનું પાવરહાઉસ છે. એક નાના કીવીમાંથી જ તમારી આખા દિવસની જરૂરિયાતનું વિટામિન C મળી જાય છે. તે શરીરમાં સોજો ઓછો કરે છે અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે.

6 / 7
શાકભાજીમાં લીલા, પીળા અને લાલ કેપ્સિકમ (શિમલા મરચાં) વિટામિન C નો ભંડાર છે. ખાસ કરીને લાલ કેપ્સિકમમાં વિટામિન C ની માત્રા ખૂબ વધારે હોય છે. તેને તમે સલાડ, સૂપ કે શાક તરીકે ખાઈ શકો છો.

શાકભાજીમાં લીલા, પીળા અને લાલ કેપ્સિકમ (શિમલા મરચાં) વિટામિન C નો ભંડાર છે. ખાસ કરીને લાલ કેપ્સિકમમાં વિટામિન C ની માત્રા ખૂબ વધારે હોય છે. તેને તમે સલાડ, સૂપ કે શાક તરીકે ખાઈ શકો છો.

7 / 7
Disclaimer: (આ આર્ટિકલમાં સૂચવવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે જ છે. તમારા ડાયટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈપણ પ્રકારના દાવાની પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી.)

શું તમે પણ ગેસ, છીંક કે યુરિન રોકી રાખો છો? આ સામાન્ય આદતો બની શકે છે બીમારીનું કારણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">