ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો
ઘણીવાર આપણને ઓફિસ કે કાર્યસ્થળ પર અચાનક ગરોળી અથવા તો તેનું નાનું બચ્ચું જોવા મળી જતું હોય છે, જેને આપણે સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્ર અને શુકનશાસ્ત્ર અનુસાર ઓફિસમાં ગરોળીનું દેખાવું એ ભવિષ્ય સાથે જોડાયેલા ઘણા મોટા સંકેતો આપે છે.

ઓફિસમાં ગરોળીનું દેખાવું મોટાભાગે શુભ માનવામાં આવે છે. ગરોળીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આથી, કાર્યસ્થળ પર તેનું આવવું ધન લાભ અને પ્રગતિનો સંકેત આપે છે. જો ઓફિસમાં રાખેલા નાના મંદિરમાં કે ભગવાનની મૂર્તિની આસપાસ ગરોળી દેખાય, તો તે અતિ શુભ છે. આનો અર્થ એ છે કે, ઓફિસમાં બરકત આવશે અને કોઈ મોટો આર્થિક લાભ થઈ શકે છે.

જો ગરોળી ઓફિસની જમીન કે ફ્લોર પર ચાલતી દેખાય, તો તે આર્થિક સધ્ધરતા (Financial Gain) અને અટકેલા નાણાં પાછા મળવાનો સંકેત છે. જો ગરોળી દીવાલ પર નીચેથી ઉપર તરફ જતી દેખાય, તો તે બિઝનેસમાં પ્રોગ્રેસ, નોકરીમાં પ્રમોશન અથવા કોઈ નવી ડીલ ફાઇનલ થવાનો સંકેત આપે છે.

જો ગરોળી ઉપરથી નીચે તરફ ઉતરતી દેખાય, તો વાસ્તુ મુજબ તેને બહુ સારી નથી માનવામાં આવતી. આનાથી કામમાં થોડું નુકસાન કે અડચણ આવી શકે છે. જો ઓફિસમાં બે ગરોળી આપસમાં લડતી દેખાય, તો તે અશુભ સંકેત છે. આનો અર્થ એ થાય કે, ઓફિસમાં સ્ટાફ કે પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે અથવા કોઈની સાથે મતભેદ વધી શકે છે.

ઓફિસમાં મરેલી ગરોળી દેખાવી નકારાત્મક ઊર્જા (Negative Energy) લાવે છે. જો આવી ગરોળી દેખાય, તો તેને તરત જ સાવધાનીપૂર્વક બહાર ફેંકી દેવી જોઈએ અને તે જગ્યાને સાફ કરી લેવી જોઈએ. જો ઓફિસમાં કામ કરતી વખતે ગરોળી તમારા જમણા ખભા પર પડે, તો તે પદ-પ્રતિષ્ઠા અને સન્માન વધવાનો સંકેત છે. જો ડાબા ખભા પર પડે, તો આર્થિક નુકસાનની આશંકા રહે છે.

અડધી કાળી અને અડધી ચીકણી રંગની ગરોળી એ રાહુ-કેતુ અને શનિનો પ્રભાવ માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર મુજબ, કાળો રંગ રાહુ-કેતુ અથવા શનિ સાથે જોડાયેલો છે, જ્યારે ચીકણો અથવા આછો પીળો-કથ્થઈ રંગ બુધ અને લક્ષ્મીજી (ધન) સાથે જોડાયેલો છે. જો આવી બે રંગ વાળી (ડ્યુઅલ કલર) ગરોળી ઓફિસમાં દેખાય, તો તે સંકેત આપે છે કે તમારા અટકેલા કે ફસાયેલા કામો હવે અચાનક ગતિ પકડશે. શનિ કે રાહુના કારણે કામમાં જે નડતરો કે વિઘ્નો આવતા હતા, તે હવે દૂર થશે અને ધન લાભના યોગ બનશે. આ એક રીતે 'સંકટ ટળવા' અને નફો શરૂ થવાનો સંકેત છે.

ધ્યાન રાખો કે, જો ઓફિસમાં ગરોળી દેખાય, તો તેને ક્યારેય મારવી ન જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. જો તેને બહાર કાઢવી જ હોય, તો લાકડીની મદદથી ડરાવીને બહાર કાઢી શકાય. જો ઓફિસમાં ગરોળીનું નાનું બચ્ચું જોવા મળે, તો તે નવી શરૂઆત અને બિઝનેસના ગ્રોથ (Growth) નું પ્રતીક છે. આનો અર્થ એ થાય છે કે, ઓફિસમાં કોઈ નવો પ્રોજેક્ટ આવવાનો છે અથવા નાનો દેખાતો બિઝનેસ ભવિષ્યમાં ખૂબ મોટો આકાર લેશે. તે નવી આશા અને પ્રગતિનો સંકેત છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’
