AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરરોજ 2 કાળા મરી ખાવાના 6 ચોંકાવનારા ફાયદા જાણી લો, થશે ફાયદો

કાળા મરી જે લગભગ દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે, માત્ર સ્વાદ વધારવા માટેનો મસાલો નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન બંનેમાં કાળી મરીના ગુણોનું મહત્વ માન્ય છે.

| Updated on: Oct 13, 2025 | 5:55 PM
Share

 

કાળા મરી એક સામાન્ય રસોડાનો મસાલો છે, જે લગભગ દરેક વાનગીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ તે માત્ર સ્વાદ માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયક છે. કાળા મરીમાં મેગ્નેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો રહેલા હોય છે. સાથે જ તેમાં વિટામિન A, K, E અને B સમૂહના વિટામિન પણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે. હવે જાણીએ કે કાળા મરીનું સેવન કોને ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Credits: - Canva)

કાળા મરી એક સામાન્ય રસોડાનો મસાલો છે, જે લગભગ દરેક વાનગીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ તે માત્ર સ્વાદ માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયક છે. કાળા મરીમાં મેગ્નેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો રહેલા હોય છે. સાથે જ તેમાં વિટામિન A, K, E અને B સમૂહના વિટામિન પણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે. હવે જાણીએ કે કાળા મરીનું સેવન કોને ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Credits: - Canva)

1 / 7
દિનચર્યામાં દરરોજ બે કાળા મરીનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત જેવી તકલીફમાં ધીમે ધીમે રાહત મળે છે.આ ઉપરાંત, કાળા મરી શરીરમાંથી ઝેર જેવા તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે અને આંતરડાની સફાઈ જાળવે છે. નિયમિત રીતે તેની ઓછી માત્રામાં સેવન કરવાથી પેટ હળવું રહે છે, ગેસ અથવા ફૂલાવાની તકલીફ ઓછી થાય છે અને ભૂખ પણ સુધરે છે. (Credits: - Canva)

દિનચર્યામાં દરરોજ બે કાળા મરીનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત જેવી તકલીફમાં ધીમે ધીમે રાહત મળે છે.આ ઉપરાંત, કાળા મરી શરીરમાંથી ઝેર જેવા તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે અને આંતરડાની સફાઈ જાળવે છે. નિયમિત રીતે તેની ઓછી માત્રામાં સેવન કરવાથી પેટ હળવું રહે છે, ગેસ અથવા ફૂલાવાની તકલીફ ઓછી થાય છે અને ભૂખ પણ સુધરે છે. (Credits: - Canva)

2 / 7
જો તમે વધારાનું વજન ઘટાડવા ઈચ્છતા હો, તો તમારા દૈનિક આહારમાં કાળા મરીનો સમાવેશ કરવો લાભદાયી બની શકે છે. કાળા મરીમાં પાઈપરિન નામક તત્વ હોય છે, જે શરીરમાં ચરબીના સંગ્રહને ઘટાડવામાં અને ચયાપચયને તેજ બનાવવામાં મદદ કરે છે. જ્યારે ચયાપચય ઝડપી બને છે, જેના કારણે ધીમે ધીમે વજનમાં ઘટાડો થવા લાગે છે. ઉપરાંત, કાળા મરી ખોરાકના સ્વાદને પણ વધારતા હોવાથી તમે તે સરળતાથી તમારા રોજિંદા ભોજનમાં ઉમેરી શકો છો,  જેમ કે સલાડ, સૂપ, ચા અથવા રસોઈમાં મસાલા તરીકે.

જો તમે વધારાનું વજન ઘટાડવા ઈચ્છતા હો, તો તમારા દૈનિક આહારમાં કાળા મરીનો સમાવેશ કરવો લાભદાયી બની શકે છે. કાળા મરીમાં પાઈપરિન નામક તત્વ હોય છે, જે શરીરમાં ચરબીના સંગ્રહને ઘટાડવામાં અને ચયાપચયને તેજ બનાવવામાં મદદ કરે છે. જ્યારે ચયાપચય ઝડપી બને છે, જેના કારણે ધીમે ધીમે વજનમાં ઘટાડો થવા લાગે છે. ઉપરાંત, કાળા મરી ખોરાકના સ્વાદને પણ વધારતા હોવાથી તમે તે સરળતાથી તમારા રોજિંદા ભોજનમાં ઉમેરી શકો છો, જેમ કે સલાડ, સૂપ, ચા અથવા રસોઈમાં મસાલા તરીકે.

3 / 7
કાળા મરીનું સેવન શરદી અને ખાંસી જેવી તકલીફોમાં કુદરતી ઉપચાર તરીકે અસરકારક સાબિત થાય છે. તેમાં રહેલું પાઈપરિન  તત્વ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, કાળા મરી ખાંસીના કારણે બનેલો કફ નરમ કરે છે અને તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.  આ કારણે ગળાની ખંજવાળ, ખાંસી અને નાક બંધ થવાની સમસ્યામાં રાહત મળે છે. (Credits: - Canva)

કાળા મરીનું સેવન શરદી અને ખાંસી જેવી તકલીફોમાં કુદરતી ઉપચાર તરીકે અસરકારક સાબિત થાય છે. તેમાં રહેલું પાઈપરિન તત્વ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, કાળા મરી ખાંસીના કારણે બનેલો કફ નરમ કરે છે અને તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ કારણે ગળાની ખંજવાળ, ખાંસી અને નાક બંધ થવાની સમસ્યામાં રાહત મળે છે. (Credits: - Canva)

4 / 7
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તો રોજિંદા આહારમાં બે કાળા મરીનો સમાવેશ કરવાથી લાભ મળી શકે છે. કાળા મરીમાં રહેલા એન્ટિ-ઑક્સીડન્ટ્સ અને પાઈપરિન તત્વ રક્તપ્રવાહને સુધારવામાં મદદરૂપ થાય છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તે શરીરમાં સોડિયમ અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં સહાય કરે છે, જે બ્લડ પ્રેશર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે.  ( Credits: AI Generated )

જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તો રોજિંદા આહારમાં બે કાળા મરીનો સમાવેશ કરવાથી લાભ મળી શકે છે. કાળા મરીમાં રહેલા એન્ટિ-ઑક્સીડન્ટ્સ અને પાઈપરિન તત્વ રક્તપ્રવાહને સુધારવામાં મદદરૂપ થાય છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તે શરીરમાં સોડિયમ અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં સહાય કરે છે, જે બ્લડ પ્રેશર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે. ( Credits: AI Generated )

5 / 7
કાળા મરીમાં રહેલા પ્રાકૃતિક તત્વો ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે ત્વચામાંના બેક્ટેરિયા અને મેલાનિનના વધારે પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા પર થતા ડાઘ-ધબ્બા અને તેને લગતી  સમસ્યા ઘટે છે. વધુમાં, કાળા મરીમાં રહેલી ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણવત્તા ત્વચાને બિનજરૂરી કીડાણુઓથી બચાવે છે, અને તેને સ્વચ્છ, તેજસ્વી અને કોમળ બનાવવામાં સહાય કરે છે. (Credits: - Canva)

કાળા મરીમાં રહેલા પ્રાકૃતિક તત્વો ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે ત્વચામાંના બેક્ટેરિયા અને મેલાનિનના વધારે પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા પર થતા ડાઘ-ધબ્બા અને તેને લગતી સમસ્યા ઘટે છે. વધુમાં, કાળા મરીમાં રહેલી ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણવત્તા ત્વચાને બિનજરૂરી કીડાણુઓથી બચાવે છે, અને તેને સ્વચ્છ, તેજસ્વી અને કોમળ બનાવવામાં સહાય કરે છે. (Credits: - Canva)

6 / 7
જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો દરરોજ કાળા મરીનો સમાવેશ તમારા આહારમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળા મરીમાં રહેલા પાઈપરિન અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં સહાયરૂપ બને છે અને શરીરને સ્વસ્થ રાખે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો દરરોજ કાળા મરીનો સમાવેશ તમારા આહારમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળા મરીમાં રહેલા પાઈપરિન અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં સહાયરૂપ બને છે અને શરીરને સ્વસ્થ રાખે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

7 / 7

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે.તો ડાયાબિટીસ અને હૃદય રોગને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">