Tv9 ના અહેવાલ બાદ સફાળા જાગ્યા ભાવનગર મનપાના સત્તાધિશો, હવે ધૂળ ખાતી ઈ-બસ રસ્તા પર થશે દોડતી- Video
ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સર્વિસ બંધ થઈ ગઈ છે. એવુ નથી કે આ સર્વિસ શરૂ કરવા માટે બસ નથી, નવી નકોર બસો ધૂળ ખાઈ રહી છે પરંતુ મનપાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે આ બસો ધૂળખાઈ રહી હતી. જે હવે tv9 એ અહેવાલ પ્રસારીત કર્યા બાદ રસ્તા પર દોડતી થશે.
ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધિશોનો જ્યા સુધી કાન ન આમળવામાં આવે ત્યા સુધી તેમને કોઈ કામગીરી દેખાતી નથી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં સિટી બસ સેવા ઠપ્પ થઈ છે. કેન્દ્ર સરકારની યોજનાથી શહેરને નવી નકોર ઈલેક્ટ્રીક બસો ફાળવાઈ હતી. કૂલ 100 બસ પૈકી 40 બસો મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી. કરોડોના ખર્ચે આ બસોને રાખવા માટેનો ડેપો પણ બનાવી દેવાયો હતો. પરંતુ મનપાના શાસકો અને અધિકારીઓ પ્લાનિંગ અને કાગળ પર જ બસોના રૂટ નક્કી કરવામાં રહ્યા. છેલ્લા એક મહિનાથી આ બસો ધૂળ ખાઈ રહી હતી પરંતુ મનપાના સત્તાધિશોને કોઈ સારુ મુહૂર્ત નહોંતુ દેખાતુ. આ મુદ્દે tv9 એ વધુ એકવાર લોકોના હિતમાં ધારદાર અહેવાલ પ્રસારીત કરતા મનપાના સત્તાધિશો હરકતમાં આવ્યા છે અને 14 ફેબ્રુઆરીથી ઈ-બસોનું લોકાર્પણ કરવાનું નક્કી કરાયુ છે.
ભાવનગર શહેરની વસતી અને વિસ્તાર વધ્યો હોવાથી ભાવનગર શહેરમાં સિટી બસની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયે કેન્દ્ર સરકારની યોજનાથી હાલ 40 ઈલેક્ટ્રીક બસો ફાળવત ભાવનગરના લોકોની મોટી મુશ્કેલી ઉકેલાઈ છે અને TV9ના અહેવાલ બાદ ઈ-બસો શહેરમાં ફરતી થશે. જેને લઈ વિપક્ષે પણ TV9નો આભાર વ્યક્ત કર્યો છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar