Women’s health : શું પીરિયડ્સ બંધ થવા એ કોઈ બીમારી છે? જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
પીરિયડ્સ મહિલાના શરીરમાં એક પ્રાકૃતિક પ્રકિયા હોય છે પરંતુ આ સમય પર ન આવે તો ચિંતા થવું સ્વાભાવિક છે. ત્યારે કેટલીક મહિલાઓના મનમાં સવાલ થાય છે કે, શું આ કોઈ બીમારીનો સંકેત છે. તો ચાલો આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

મહિલાઓના શરીરમાં દર મહિને પીરિયડ્સ આવવા એક સામન્ય અને પ્રાકૃતિક પ્રકિયા હોય છે પરંતુ કેટલીક વખત પીરિયડ્સ સમય પર ન આવવાનું કારણ મહિલાઓ માટે ચિંતાનું કારણ બની જાય છે. કેટલીક મહિલાઓના પીરિયડ્સ થોડા મોડા આવે છે. તો ક્યારેક એક મહિના સુધી મોડા પણ આવે છે. ત્યારે મનમાં સવાલ આવવો સ્વાભાવિક છે કે, આ કોઈ બીમારીનો સંકેત તો નથી ને.

જો પીરિયડ્સ અનિયમિત વારંવાર થાય છે. તો આને નજરઅંદાજ કરવું જોઈએ નહી. તો ચાલો આપણે જાણીએ કે પીરિયડ્સ સમયસર ન આવવા કેટલી હદ સુધી સામાન્ય છે અને ક્યારે સાવધાની રાખવી જરૂરી છે.

પીરિયડ્સ સમયસર ન આવવા કોઈ બીમારીનો સંકેત હોતો નથી. કેટલીક મહિલાઓમાં તણાવ,લાઈફસ્ટાઈલ કે શારીરિક ફેરફારના કારણે આવું થાય છે. જો પીરિયડ્સ થોડા સમય મોડા આવે છે. કે પછી નોર્મલ આવે છે તો ચિંતા કરવાની વાત નથી.

પરંતુ જો પીરિયડ્સ લાંબા સમય સુધી મોડા આવે કે પછી પીરિયડ્સ અચાનક બંધ થઈ જાય તો કોઈ સમસ્યા હોય શકે છે. આ સાથે જો પેટમાં દુખાવો કે પછી બ્લીડિંગ ઓછું આવવું,નબળાઈ કે, હોર્મોન સાથે જોડાયેલ કોઈ સમસ્યા છે. તો ડોક્ટરની સલાહ જરુર લેવી જોઈએ, કારણ કે, તેનાથી સમયસર જાણ થઈ શકે છે અને સારવાર પણ શક્ય હોય છે.

પીરિયડ્ વારંવાર સમયસર ન આવવા કેટલીક બીમારીઓ સાથે જોડાયેલ હોય શકે છે, તેનાથી હોર્મોલન અસંતુલન, થાઈરોડની સમસ્યા,પીસીઓડી કે પછી પીસીઓએસ વજન વધારે વધવો કે પછી ઓછો થવો સામેલ છે. આ સિવાય વધારે તણાવ કે લાંબા સમય સુધી ખરાબ લાઈફસ્ટાઈલ પણ આનું કારણ બની શકે છે.

કેટલાક કેસમાં ગર્ભાવસ્થા કે એનીમિયા જેવી સ્થિતિમાં પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે. જો સમસ્યા લાંબા સમય સુધી રહે તો ભવિષ્યમાં ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે આ લક્ષણો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

આ માટે તમે સંતુલિત અને પૌષ્ટિક ડાયટ લો, તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરો. નિયમિત દિનચર્યા અપનાવો. તેમજ પુરતી ઉંઘ લો. નોર્મલ કસરત કરો. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
