AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના બજારમાં નવી રમત શરૂ ! આ એક નિર્ણયથી આખો ગેમપ્લાન બદલાશે, હવે કોને થશે મોટો ફાયદો અને કોને પડશે ફટકો?

સોનાના રોકાણ અને તેના બજારમાં ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે, જેણે રોકાણકારોના આખા ગેમપ્લાનને બદલી નાખ્યો છે. આ પગલાથી સોનાના બજારમાં મોટી હલચલ જોવા મળી શકે છે.

| Updated on: Feb 01, 2026 | 6:42 PM
Share
સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સાથે જોડાયેલા ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે અને ટેક્સ વર્ષ 2026-27 તથા તે પછીના વર્ષો માટે પ્રભાવી રહેશે. નવા નિયમો અનુસાર, હવે SGB પર ટેક્સ ફ્રી મેચ્યોરિટીનો લાભ ફક્ત એ જ રોકાણકારોને મળશે, જેમણે આ બોન્ડ્સ સીધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસેથી ઓરિજિનલ ઇશ્યૂ સમયે ખરીદ્યા છે અને મેચ્યોરિટી સુધી પોતાની પાસે રાખ્યા છે.

સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સાથે જોડાયેલા ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે અને ટેક્સ વર્ષ 2026-27 તથા તે પછીના વર્ષો માટે પ્રભાવી રહેશે. નવા નિયમો અનુસાર, હવે SGB પર ટેક્સ ફ્રી મેચ્યોરિટીનો લાભ ફક્ત એ જ રોકાણકારોને મળશે, જેમણે આ બોન્ડ્સ સીધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસેથી ઓરિજિનલ ઇશ્યૂ સમયે ખરીદ્યા છે અને મેચ્યોરિટી સુધી પોતાની પાસે રાખ્યા છે.

1 / 5
ફાઇનાન્સ બિલ 2025 મુજબ, RBI દ્વારા બહાર પાડવામાં આવેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB) ના રિડેમ્પશન પર મળતી કેપિટલ ગેઈન ટેક્સની છૂટ ત્યારે જ મળશે, જ્યારે કોઈ વ્યક્તિએ આ બોન્ડ શરૂઆતના ઇશ્યૂ સમયે સબસ્ક્રાઇબ કર્યા હોય તેમજ તેને મેચ્યોરિટી સુધી સતત પોતાની પાસે રાખ્યા હોય. સરકારનું કહેવું છે કે, આ ફેરફારનો હેતુ ટેક્સ છૂટ અંગેની મૂંઝવણ દૂર કરવાનો છે.

ફાઇનાન્સ બિલ 2025 મુજબ, RBI દ્વારા બહાર પાડવામાં આવેલા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB) ના રિડેમ્પશન પર મળતી કેપિટલ ગેઈન ટેક્સની છૂટ ત્યારે જ મળશે, જ્યારે કોઈ વ્યક્તિએ આ બોન્ડ શરૂઆતના ઇશ્યૂ સમયે સબસ્ક્રાઇબ કર્યા હોય તેમજ તેને મેચ્યોરિટી સુધી સતત પોતાની પાસે રાખ્યા હોય. સરકારનું કહેવું છે કે, આ ફેરફારનો હેતુ ટેક્સ છૂટ અંગેની મૂંઝવણ દૂર કરવાનો છે.

2 / 5
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) એ સરકાર સમર્થિત બોન્ડ છે, જેના દ્વારા રોકાણકારો ફિઝિકલ ગોલ્ડ ખરીદ્યા વગર સોનામાં રોકાણ કરી શકે છે. આ બોન્ડ ભારત સરકાર વતી RBI દ્વારા બહાર પાડવામાં આવે છે અને તેની કિંમત સોનાના ભાવ સાથે બદલાતી રહે છે. SGB રોકાણકારોને સોનાના ભાવ વધવાનો લાભ મળે છે અને સાથે જ વાર્ષિક 2.5 ટકા ફિક્સ્ડ વ્યાજ પણ આપવામાં આવે છે, જેની ચુકવણી દર 6 મહિને કરવામાં આવે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) એ સરકાર સમર્થિત બોન્ડ છે, જેના દ્વારા રોકાણકારો ફિઝિકલ ગોલ્ડ ખરીદ્યા વગર સોનામાં રોકાણ કરી શકે છે. આ બોન્ડ ભારત સરકાર વતી RBI દ્વારા બહાર પાડવામાં આવે છે અને તેની કિંમત સોનાના ભાવ સાથે બદલાતી રહે છે. SGB રોકાણકારોને સોનાના ભાવ વધવાનો લાભ મળે છે અને સાથે જ વાર્ષિક 2.5 ટકા ફિક્સ્ડ વ્યાજ પણ આપવામાં આવે છે, જેની ચુકવણી દર 6 મહિને કરવામાં આવે છે.

3 / 5
SGB ની મેચ્યોરિટી અવધિ 8 વર્ષની હોય છે. જો કે, રોકાણકારોને પાંચ વર્ષ પછી એક્ઝિટ (બહાર નીકળવાનો)નો વિકલ્પ પણ મળે છે. આમાં ફિઝિકલ ગોલ્ડ જોડાયેલું હોતું નથી, તેથી સ્ટોરેજ અને સિક્યોરિટીની ચિંતા રહેતી નથી. આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ પણ કરી શકાય છે.

SGB ની મેચ્યોરિટી અવધિ 8 વર્ષની હોય છે. જો કે, રોકાણકારોને પાંચ વર્ષ પછી એક્ઝિટ (બહાર નીકળવાનો)નો વિકલ્પ પણ મળે છે. આમાં ફિઝિકલ ગોલ્ડ જોડાયેલું હોતું નથી, તેથી સ્ટોરેજ અને સિક્યોરિટીની ચિંતા રહેતી નથી. આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ પણ કરી શકાય છે.

4 / 5
હવે નવા નિયમો હેઠળ, જો કોઈ રોકાણકાર સ્ટોક માર્કેટમાંથી બીજી કોઈ વ્યક્તિ પાસેથી SGB ખરીદે છે અને પછી તેને મેચ્યોરિટી પર રિડીમ કરે છે, તો તેને કેપિટલ ગેઈન ટેક્સમાં છૂટનો લાભ મળી શકશે નહીં. ટેક્સમાં છૂટનો ફાયદો માત્ર એ જ રોકાણકારોને મળશે, જેમણે RBIના ઓરિજિનલ ઈશ્યૂ સમયે બોન્ડ ખરીદ્યા હોય અને તેને મેચ્યોરિટી સુધી જાળવી રાખ્યા હોય.

હવે નવા નિયમો હેઠળ, જો કોઈ રોકાણકાર સ્ટોક માર્કેટમાંથી બીજી કોઈ વ્યક્તિ પાસેથી SGB ખરીદે છે અને પછી તેને મેચ્યોરિટી પર રિડીમ કરે છે, તો તેને કેપિટલ ગેઈન ટેક્સમાં છૂટનો લાભ મળી શકશે નહીં. ટેક્સમાં છૂટનો ફાયદો માત્ર એ જ રોકાણકારોને મળશે, જેમણે RBIના ઓરિજિનલ ઈશ્યૂ સમયે બોન્ડ ખરીદ્યા હોય અને તેને મેચ્યોરિટી સુધી જાળવી રાખ્યા હોય.

5 / 5

આ પણ વાંચો: સોનાના ભાવમાં મોટો ખેલ! શું તોતિંગ ઘટાડા બાદ બદલાશે આખો ટ્રેન્ડ? એક નવા રિપોર્ટે બજારમાં હલચલ મચાવી દીધી

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
g clip-path="url(#clip0_868_265)">