AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Causes : ભારતમાં 38% લોકો ફેટી લીવરથી પીડાય છે, ઘરે બેઠા આ 5 સંકેતો વડે જાણો

ભારતમાં બદલાતી જીવનશૈલીને કારણે ફેટી લીવર રોગ (NAFLD) ઝડપથી વધી રહ્યો છે, જેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. પરંતુ ધીરે ધીરે લાંબા ગાળે સીધી અસર દેખાય છે.

| Updated on: Jan 19, 2026 | 5:33 PM
Share
ભારતમાં બદલાતી જીવનશૈલી અને ખોરાકની ટેવને કારણે અનેક રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં ફેટી લીવર ડિસીઝ પણ સામેલ છે. અંદાજ મુજબ, દેશમાં લગભગ 38 ટકા પુખ્ત વયના લોકો નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) થી પ્રભાવિત થઈ શકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ રોગ શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો બતાવતો નથી અને ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

ભારતમાં બદલાતી જીવનશૈલી અને ખોરાકની ટેવને કારણે અનેક રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં ફેટી લીવર ડિસીઝ પણ સામેલ છે. અંદાજ મુજબ, દેશમાં લગભગ 38 ટકા પુખ્ત વયના લોકો નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) થી પ્રભાવિત થઈ શકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ રોગ શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો બતાવતો નથી અને ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

1 / 8
ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી (MD, MPH) જણાવે છે કે ફેટી લીવરનું ચોક્કસ નિદાન અલ્ટ્રાસાઉન્ડ અથવા લીવર ફંક્શન ટેસ્ટ દ્વારા થાય છે. તેમ છતાં, શરીરમાં દેખાતા કેટલાક પ્રારંભિક સંકેતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ઘરે જ સાવચેત થઈ શકે છે.

ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી (MD, MPH) જણાવે છે કે ફેટી લીવરનું ચોક્કસ નિદાન અલ્ટ્રાસાઉન્ડ અથવા લીવર ફંક્શન ટેસ્ટ દ્વારા થાય છે. તેમ છતાં, શરીરમાં દેખાતા કેટલાક પ્રારંભિક સંકેતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ઘરે જ સાવચેત થઈ શકે છે.

2 / 8
ફેટી લીવરથી થતો થાક સામાન્ય નબળાઈ કરતાં અલગ હોય છે. પૂરતો આરામ કર્યા બાદ પણ શરીરમાં ઉર્જાનો અભાવ અનુભવાય છે. લીવર ખોરાકમાંથી પોષક તત્વોને ઉર્જામાં ફેરવે છે, પરંતુ જ્યારે તેમાં ચરબી જમા થાય છે, ત્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે, વ્યક્તિને દિવસભર સુસ્તી, ભારપણું અને સતત થાક લાગતો રહે છે. ઘણીવાર લોકો તેને તણાવ કે વધુ કામનું પરિણામ માનીને અવગણે છે, પરંતુ જો આ રોજિંદી સમસ્યા બની જાય, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.

ફેટી લીવરથી થતો થાક સામાન્ય નબળાઈ કરતાં અલગ હોય છે. પૂરતો આરામ કર્યા બાદ પણ શરીરમાં ઉર્જાનો અભાવ અનુભવાય છે. લીવર ખોરાકમાંથી પોષક તત્વોને ઉર્જામાં ફેરવે છે, પરંતુ જ્યારે તેમાં ચરબી જમા થાય છે, ત્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે, વ્યક્તિને દિવસભર સુસ્તી, ભારપણું અને સતત થાક લાગતો રહે છે. ઘણીવાર લોકો તેને તણાવ કે વધુ કામનું પરિણામ માનીને અવગણે છે, પરંતુ જો આ રોજિંદી સમસ્યા બની જાય, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.

3 / 8
ફેટી લીવરનું એક મહત્વપૂર્ણ ચિહ્ન કમર અને પેટની આસપાસ વધતી ચરબી છે. ક્યારેક વ્યક્તિ બહારથી પાતળી દેખાય છે, પરંતુ તેની કમર ધીમે ધીમે વધી રહી હોય છે. ડૉ. સેઠી અનુસાર, લીવર અને આંતરિક અંગોની આસપાસ જમા થતી ચરબી ત્વચા નીચેની ચરબી કરતાં વધુ જોખમી હોય છે. આ સ્થિતિ ઇન્સ્યુલિન પ્રતિકાર અને ખરાબ મેટાબોલિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય છે, જે ફેટી લીવરના પ્રારંભિક સંકેતો છે.

ફેટી લીવરનું એક મહત્વપૂર્ણ ચિહ્ન કમર અને પેટની આસપાસ વધતી ચરબી છે. ક્યારેક વ્યક્તિ બહારથી પાતળી દેખાય છે, પરંતુ તેની કમર ધીમે ધીમે વધી રહી હોય છે. ડૉ. સેઠી અનુસાર, લીવર અને આંતરિક અંગોની આસપાસ જમા થતી ચરબી ત્વચા નીચેની ચરબી કરતાં વધુ જોખમી હોય છે. આ સ્થિતિ ઇન્સ્યુલિન પ્રતિકાર અને ખરાબ મેટાબોલિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય છે, જે ફેટી લીવરના પ્રારંભિક સંકેતો છે.

4 / 8
પેટની જમણી બાજુ, પાંસળીની નીચે વારંવાર ભારેપણું, દબાણ અથવા હળવો દુખાવો અનુભવાય તો તે ફેટી લીવરનું લક્ષણ હોઈ શકે છે. આ દુખાવો સામાન્ય રીતે તીવ્ર નથી હોતો, પરંતુ ભરાઈ જવાની કે અકળામણ જેવી લાગણી આપે છે. લીવર શરીરની જમણી બાજુ સ્થિત હોવાથી, જો આ લક્ષણો થાક અને વજન વધવાની સાથે દેખાય, તો તેને અવગણવું ન જોઈએ.

પેટની જમણી બાજુ, પાંસળીની નીચે વારંવાર ભારેપણું, દબાણ અથવા હળવો દુખાવો અનુભવાય તો તે ફેટી લીવરનું લક્ષણ હોઈ શકે છે. આ દુખાવો સામાન્ય રીતે તીવ્ર નથી હોતો, પરંતુ ભરાઈ જવાની કે અકળામણ જેવી લાગણી આપે છે. લીવર શરીરની જમણી બાજુ સ્થિત હોવાથી, જો આ લક્ષણો થાક અને વજન વધવાની સાથે દેખાય, તો તેને અવગણવું ન જોઈએ.

5 / 8
ફેટી લીવરનો સીધો સંબંધ ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે છે, જેમાં શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપતા નથી. તેના સંકેતોમાં ખાધા પછી તરત જ ફરીથી ભૂખ લાગવી, અચાનક ઉર્જા ઘટી જવી, અથવા ગરદન અને બગલની આસપાસ ત્વચા કાળી પડવી સામેલ છે. આ લક્ષણો ઘણીવાર ડાયાબિટીસ થવાના પહેલાના ચેતવણી સંકેત તરીકે દેખાય છે.

ફેટી લીવરનો સીધો સંબંધ ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે છે, જેમાં શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપતા નથી. તેના સંકેતોમાં ખાધા પછી તરત જ ફરીથી ભૂખ લાગવી, અચાનક ઉર્જા ઘટી જવી, અથવા ગરદન અને બગલની આસપાસ ત્વચા કાળી પડવી સામેલ છે. આ લક્ષણો ઘણીવાર ડાયાબિટીસ થવાના પહેલાના ચેતવણી સંકેત તરીકે દેખાય છે.

6 / 8
જ્યારે લીવર ચરબી અને ઝેરી પદાર્થોને યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં અસમર્થ બને છે, ત્યારે પાચન સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. હળવી ઉબકા આવવી, થોડું ખાધા બાદ જ પેટ ભરેલું લાગવું અથવા ભૂખમાં ઘટાડો થવો તેના સંકેતો હોઈ શકે છે. ડૉ. સેઠીના જણાવ્યા અનુસાર, આ લીવરના કાર્યમાં ઘટાડાને દર્શાવે છે. શરૂઆતમાં આ લક્ષણો ગંભીર લાગતા નથી, પરંતુ સમય જતાં તે મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે.

જ્યારે લીવર ચરબી અને ઝેરી પદાર્થોને યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં અસમર્થ બને છે, ત્યારે પાચન સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. હળવી ઉબકા આવવી, થોડું ખાધા બાદ જ પેટ ભરેલું લાગવું અથવા ભૂખમાં ઘટાડો થવો તેના સંકેતો હોઈ શકે છે. ડૉ. સેઠીના જણાવ્યા અનુસાર, આ લીવરના કાર્યમાં ઘટાડાને દર્શાવે છે. શરૂઆતમાં આ લક્ષણો ગંભીર લાગતા નથી, પરંતુ સમય જતાં તે મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે.

7 / 8
નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

8 / 8

શિયાળામાં આંગળીઓમાં સોજો અને દુખાવો થયા છે ? આ ઘરેલું ઉપાયોથી મેળવો રાહત

ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">