Video: હેડ કોચે વીરેન્દ્ર સેહવાગનો કોલર પકડ્યો, જોરથી મુક્કો મારી દીધો, સૌરવ ગાંગુલીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
વીરેન્દ્ર સેહવાગ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક શાનદાર ઓપનર રહ્યો છે. પરંતુ એક વાર તેની સાથે એક એવી ઘટના બની જેણે બધાને ચોંકાવી દીધા. સેહવાગ એક મેચમાં જલ્દી આઉટ થઈ ગયો, જેનાથી ટીમ ઈન્ડિયાનો કોચ ગુસ્સે થયો, સેહવાગનો કોલર પકડી લીધો હતો અને તેને મુક્કો માર્યો હતો. વર્ષો બાદ પૂર્વ કેપ્ટન ગાંગુલીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગની આક્રમક શૈલી ઘણીવાર કોચ અને ટીમ મેમ્બર્સ સાથે ટકરાવનું કારણ બની હતી. આવો જ એક કિસ્સો એજબેસ્ટનમાં શ્રીલંકા સામેની મેચ બાદ થયો હતો. ભારતના વિદેશી કોચે વીરેન્દ્ર સેહવાગને ડ્રેસિંગ રૂમમાં મુક્કો માર્યો હતો. ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
સેહવાગ સાથે બની ચોકાવનારી ઘટના
એજબેસ્ટનમાં ભારતીય ટીમ પાસે માત્ર 210 રનનો નાનો ટાર્ગેટ હતો. વીરેન્દ્ર સેહવાગે ધમાકેદાર શોટ ફટકાર્યા અને ટીમ માટે જીત સુનિશ્ચિત કરી. મેચ પૂર્ણ થયા પછી, ડ્રેસિંગ રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ, જે ટીમ માટે અસામાન્ય ઘટના હતી. ગાંગુલીએ આ શાંત વાતાવરણ પાછળનું કારણ શોધવા પ્રયાસ કર્યો.
કોચ જોન રાઈટનો ગુસ્સો
ગાંગુલીએ જાણ્યું કે કોચ જોન રાઈટ ગુસ્સામાં આવી ગયા હતા. અનિલ કુંબલેએ જણાવ્યું કે, સેહવાગ જ્યારે ડ્રેસિંગ રૂમમાં આવ્યો ત્યારે કોચે તેનો કોલર પકડીને તેને ખૂણામાં ધક્કો માર્યો અને પછી જોરથી મુક્કો મારી દીધો. કુંબલેએ જણાવ્યું કે, “જોન રાઈટ સેહવાગ દ્વારા રમાયેલા શોટથી ગુસ્સે થયો હતો.”
સેહવાગે શાંતિપૂર્વક આપ્યો જવાબ
જોકે ગાંગુલીએ જોન રાઈટને સીધો પ્રશ્ન કર્યો, તો તેણે સાફ જણાવ્યું, “હા, મેં મારો ગુસ્સો બતાવ્યો.” સેહવાગે પણ સ્વીકાર કર્યો અને કહ્યું કે, “આવું થયું છે. મેં ખરાબ શોટ રમ્યો, તેથી તે ગુસ્સે થયો અને મેં મુક્કો ખાધો.” જો કે સદનસીબે આ ઘટનાથી ટીમમાં કોઈ મોટો વિવાદ નહીં થયો.
View this post on Instagram
ટીમ બસમાં ગાંગુલી-સેહવાગની વાતચીત
ટીમ બસમાં પહોંચતા, કેપ્ટન સૌરવ વીરેન્દ્ર ગાંગુલી સેહવાગની બાજુમાં બેઠો અને પુછ્યું, “શું ખરેખર કોચે તને મુક્કો માર્યો?” સેહવાગે શાંતિથી જવાબ આપ્યો અને પોતાની ભૂલ પણ સ્વીકારી. બંનેએ હાથ મિલાવ્યો, અને વાત અહીં સમાપ્ત થઈ.
સચિન તેંડુલકરની પ્રતિક્રિયા
સચિન તેંડુલકર સમગ્ર ઘટનાને માત્ર નિહાળતો રહ્યો. તેની મૌન પ્રતિક્રિયા દર્શાવે છે કે ટીમની એકતા અને શાંતિ જ સૌથી મહત્વપૂર્ણ છે. આ ઘટના સેહવાગની ખેલશૈલી અને કોચિંગના અનોખા સંબંધને દર્શાવે છે, જે ભારતીય ક્રિકેટમાં એક ઉદાહરણ તરીકે યાદગાર બની છે.
