PHOTOS : ભક્તો એ કરી ગજરાજની પૂજા, જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આદિવાસીઓ કર્યુ પરંપરાગત નૃત્ય
Rathyatra 2023: 20 જૂન અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની પ્રખ્યાત રથયાત્રા નીકળશે. આ રથયાત્રાની પૂર્વ સંધ્યા એ અમદાવાદમાં આહલાદ્ક દ્રશ્યો જોવા મળ્યા હતા. 19 જૂનના સાંજ સુધીમાં રથ યાત્રાની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 19 જૂનના રોજ જમાલપુર મંદિરે જઈ સોનાવેશમાં નાથના દર્શન કર્યા હતા. સાથે તેમણે સંધ્યા આરતી પણ કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે નવા રથની પૂજા વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.

અમદાવાદની 146મી જગન્નાથ રથયાત્રા પૂર્વે રજગાજને રંગોથી શણગારીને અદ્દભુત રુપ આપવામાં આવ્યો હતો.

146મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યા એ આદિવાસી કલાકારો એ ડાન્સ કર્યો હતો. આ કલાકારો રથયાત્રા દરમિયાન પોતાના કરતબો બતાવશે.

ઘણા ભક્તો એ મંદિર પહોંચીને રંગબેરંગી વસ્ત્રોથી શણગારેલા ગજરાજની પૂજા કરી હતી.

રથયાત્રા પૂર્વે ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચાર ટીમ દ્વારા કુલ 14 ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 14 ગજરાજમાંથી 1 નર અને બીજા માદા ગજરાજ છે. આ ગજરાજ 146મી જગન્નાથ રથયાત્રાની શોભા વધારશે.