ટી 20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટી 20 વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. (PC-PTI)
જસપ્રીત બુમરાહ કમરના દુખાવાને કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 મેચ રમ્યો નહોતો. હવે એવા સમાચાર આવ્યા છે કે, તેના કમરના દુખાવાને કારણે તેને ફ્રેકચર થયું છે પરંતુ તેને હાલ સર્જરીની જરુર નથી (PC-PTI)
મીડિયા રિપોર્ટસ મુજબ બુમરાહને સ્વસ્થ થવામાં અંદાજે 4થી 6 મહિના લાગી શકે છે. બુમરાહ આ પહેલા પણ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે ફરી એકવાર તે આવી જ ઈજાનો શિકાર બન્યો છે. (PC-PTI)
જસુપ્રીત બુમરાહના સ્થાને ભારતીય ટીમમાં દીપક ચહર અથવા મોહમ્મદ શમીમાંથી કોઈ એક બોલરને સ્થાન મળી શકે છે. બંન્ને ખેલાડી ટી20 વર્લ્ડકપના રિઝર્વ બોલરોમાં સામેલ છે, (PC-PTI)
જસપ્રીત બુમરાહ એશિયા કપમાં પણ અનફિટ હોવાના કારણે રમી શક્યો ન હતો. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં પરત ફર્યો હતો અને 2 મેચ રમી હતી પરંતુ હવે ફરી એકવખત તે ઈજાગ્રસ્ત થયો છે. (PC-PTI)