ઉમેદવારી રદ થયાના 5 દિવસ બાદ સામે આવ્યા નિલેશ કુંભાણી, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

ઉમેદવારી રદ થયાના 120 કલાક બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કુંભાણીએ નામ લીધા વગર કેટલાક કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે કેમ મને ઘરે પરત ફરવા મજબૂર કરાયો, કોના ઇશારે કાર્યકરો મારા ઘરે વિરોધ કરવા ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2024 | 6:09 PM

છેલ્લા થોડા સમયથી ગાયબ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નિલેશ કુંભાણી ખુબ મોટો દાવો કરી રહ્યા છે. હાલ ભલે કોંગ્રેસના લોકો તેમને શોધી રહ્યા હોય, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ કોંગ્રેસના માવડી મંડળના સંપર્કમાં જ હતા. ફોર્મ રદ થયા બાદથી ગાયબ થઇ ગયેલા કુંભાણીએ વીડિયો જાહેર કરી ચોંકાવનારો દાવો કર્યો છે.

કુંભાણી કહ્યું છે કે, હું પીટીશન દાખલ કરવા અમદાવાદ ગયો હતો અને મોવડી મંડળના સંપર્કમાં હતો. પોતાની ઉમેદવારી રદ થયાના 120 કલાક બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કુંભાણીનો દાવો છે કે બાબુ માંગુકીયા સહિત પક્ષની ટોચની નેતાગીરીના સીધા સંપર્કમાં હતા. કુંભાણીએ નામ લીધા વગર કેટલાક કોંગ્રેસના નેતાઓ સામે નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે કેમ મને ઘરે પરત ફરવા મજબૂર કરાયો, કોના ઇશારે કાર્યકરો મારા ઘરે વિરોધ કરવા ગયા હતા.

તો પ્રતાપ દુધાત પર પણ નિલેશ કુંભાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે, કુંભાણીનો દાવો છે કે, મોવડી મંડળના આદેશ છતાં પણ પ્રતાપ દુધાત ઉમેદવારી વખતે હાજર નહોતા રહ્યા. આરોપ એ પણ છે કે પ્રતાપ દુધાતે ફોન પણ ન ઉપાડ્યો. નિલેશ કુંભાણીનું કહેવું છે કે જો પ્રતાપ દુધાત ઉમેદવારી વખતે હાજર રહ્યા હોત તો આ સ્થિતિ ન સર્જાત.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">