IPL 2025 Qualifier 2 : અમદાવાદનું મેદાન MI માટે અનલકી છે ! આટલા વર્ષોથી આ સ્થળે મેચ જીતી નથી
આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદનું આ મેદાન મુંબઈ ઈન્ડિયન્સ માટે અનલકી છે.

આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 1 જૂનના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

પંજાબ કિંગ્સની ટીમની પહેલી ક્વોલિફાયર મેચ આરસીબી સીમે હતી. તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એલિમિનેટર મેચમાં ગુજરાત સામે જીત મેળવ્યા બાદ મેદાનમાં ઉતરશે. પરંતુ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક આંકડો ખુબ જ નિરાશાજનક રહ્યો છે.

અમદાવાદનું આ મેદાન છેલ્લા કેટલાક સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે અનલકી સાબિત થયું છે. છેલ્લી 6 મેચમાંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને આ મેદાન પર છેલ્લી જીત વર્ષ 2014માં મળી હતી. 11 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ આ મેદાન પર કોઈ મેચ જીતી નથી. આ આંકડો જોઈ કહી શકાય કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેદાન અનલકી રહ્યું છે.

ભલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શાનદાર ફોર્મમાં છે પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા આ આંકડા જોઈ હેરાન થઈ જશે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ આગામી મેચમાં આ હારનો રેકોર્ડ તોડવો પડશે.

મુંબઈ ઈન્ડિયન્સે આ મેદાન પર છેલ્લી મેચ આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમી હતી. જેમાં તેમને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં મુંબઈની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેમણે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હાર આપી છે.

રોહિત શર્માએ એલિમિનેટર મેચમાં 80 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય અન્ય ખેલાડીઓએ પણ સારી બેટિંગ કરી હતી. જેના કારણે ટીમને જીત મળી છે. હવે ક્વોલિફાયર મેચમાં પણ આ ફોર્મ રાખવા માંગશે.
અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

































































