Breaking News: જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બન્યો, 13 વર્ષમાં પહેલીવાર મળી તક
મુંબઈ ઈન્ડિયન્સે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તે પંજાબ કિંગ્સ સામે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. IPLમાં બુમરાહની પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે. હાર્દિક અને સૂર્યાની ગેરહાજરીમાં બુમરાહ MI નો કેપ્ટન બન્યો છે.

IPL 2026 માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સમાં સૌથી મોટો ફેરફાર થયો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે.

જસપ્રીત બુમરાહ 2013 થી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે, અને પહેલીવાર તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટેન્ડ-ઈન કેપ્ટન સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં તેને આ તક આપવામાં આવી છે.

હાર્દિક પંડ્યા કમરના દુખાવાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે છેલ્લી કેટલીક મેચોથી ટીમમાં રમી શક્યો નથી અને ટીમ સાથે ધર્મશાલા પણ પહોંચ્યો નથી. સૂર્યકુમાર યાદવ પણ અંગત કારણોસર ટીમ સાથે નથી. સૂર્યાએ છેલ્લી બે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું, જે બાદ હવે ટીમ મેનેજમેન્ટને નવા કેપ્ટનની નિમણૂક કરવાની ફરજ પડી હતી.

જસપ્રીત બુમરાહ અગાઉ ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે, તેણે આયર્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જોકે, તેને IPLમાં કેપ્ટનશીપ કરવાનો કોઈ અનુભવ નથી. અને આ IPL માં કેપ્ટન તરીકે તેની પહેલી મેચ છે.

જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનનાર દસમો ખેલાડી છે. આ યાદીમાં હરભજન સિંહ, શોન પોલોક, ડ્વેન બ્રાવો, રિકી પોન્ટિંગ, કિરોન પોલાર્ડ, સચિન તેંડુલકર, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.

કેપ્ટન બનવા અંગે ટોસ સમયે બોલતા બુમરાહએ કહ્યું, "સારું લાગે છે. હું 19 વર્ષની ઉંમરે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા અહીં આવ્યો હતો. MI કેપ્ટન બનતા પહેલા મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું કેપ્ટન બનીશ. મને જવાબદારી ગમે છે, તે એક નવો પડકાર છે, અને હું તેનો આનંદ માણીશ."

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રાયન રિકલ્ટન (વિકેટકિપર), નમન ધીર, તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બીન બોશ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રઘુ શર્મા. (PC:PTI/X/IPL/MI)
Breaking News: ધર્મશાલામાં વરસાદના કારણે મેચ રદ થાય તો મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સમાંથી કોને થશે વધુ નુકસાન?
