AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જો DC v CSK મેચ વરસાદને કારણે રદ થાય, તો ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માંથી બહાર ફેંકાશે?

IPL 2026 ની 48મી મેચ 5 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાનારી છે. જોકે, મેચની સાંજે દિલ્હીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે, જે મેચને અસર કરી શકે છે. એવામાં મોટો સવાલ એ છે કે જો વરસાદને કારણે મેચ રદ થાય, તો શું ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માંથી બહાર ફેંકાશે?

| Updated on: May 05, 2026 | 5:17 PM
Share
IPL 2026 ની સફર એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં દરેક મેચ અને દરેક પરિણામ પ્લેઓફની દોડનો માર્ગ બદલી શકે છે. જીત હોય કે હાર, દરેક મેચ અંતિમ ચારનો આકાર નક્કી કરશે. પરંતુ માત્ર જીત કે હાર જ નહીં, વરસાદ પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આનું કારણ એ છે કે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આગામી મેચમાં વરસાદની આગાહી છે, અને મેચ રદ પણ થઈ શકે છે.

IPL 2026 ની સફર એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં દરેક મેચ અને દરેક પરિણામ પ્લેઓફની દોડનો માર્ગ બદલી શકે છે. જીત હોય કે હાર, દરેક મેચ અંતિમ ચારનો આકાર નક્કી કરશે. પરંતુ માત્ર જીત કે હાર જ નહીં, વરસાદ પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આનું કારણ એ છે કે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આગામી મેચમાં વરસાદની આગાહી છે, અને મેચ રદ પણ થઈ શકે છે.

1 / 5
IPL 2026 ની 48મી મેચ દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે 5 મે, મંગળવારના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. જોકે, આ મેચમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 5 મેની સાંજે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. આ પૂર્વ દિલ્હી અને મધ્ય દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં થઈ શકે છે, જ્યાં જેટલી સ્ટેડિયમ સ્થિત છે.

IPL 2026 ની 48મી મેચ દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે 5 મે, મંગળવારના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. જોકે, આ મેચમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 5 મેની સાંજે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. આ પૂર્વ દિલ્હી અને મધ્ય દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં થઈ શકે છે, જ્યાં જેટલી સ્ટેડિયમ સ્થિત છે.

2 / 5
હવામાન વિભાગની ચેતવણી અને આગાહી મુજબ, મેચ શરૂ થવાના સમયે સાંજે 7 વાગ્યા પછી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, તે સમય પહેલા વરસાદ અને કરા પડવાથી મેદાન પાણીથી ભરાઈ શકે છે. આના પરિણામે મેચ શરુ થવામાં વિલંબ થઈ શકે છે, અને જો મેદાન સમયસર તૈયાર ન થાય, તો મેચ રદ પણ થઈ શકે છે. આ ફક્ત ચાહકોને નિરાશ કરશે નહીં પરંતુ બંને ટીમો માટે નુકસાનકારક પણ રહેશે.

હવામાન વિભાગની ચેતવણી અને આગાહી મુજબ, મેચ શરૂ થવાના સમયે સાંજે 7 વાગ્યા પછી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, તે સમય પહેલા વરસાદ અને કરા પડવાથી મેદાન પાણીથી ભરાઈ શકે છે. આના પરિણામે મેચ શરુ થવામાં વિલંબ થઈ શકે છે, અને જો મેદાન સમયસર તૈયાર ન થાય, તો મેચ રદ પણ થઈ શકે છે. આ ફક્ત ચાહકોને નિરાશ કરશે નહીં પરંતુ બંને ટીમો માટે નુકસાનકારક પણ રહેશે.

3 / 5
આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ હાલમાં પ્લેઓફની દોડમાં પાછળ છે અને પોઈન્ટ ટેબલની મધ્યમાં છે. તેથી, આ મેચ જીતવી બંને માટે મહત્વપૂર્ણ છે. પરંતુ જો મેચ રદ થાય છે તો કોને ફાયદો કે નુકસાન થશે? આ એક મોટો પ્રશ્ન છે. શું દિલ્હીની સફર સમાપ્ત થશે, કે ચેન્નાઈ બહાર થઈ જશે? હકીકતમાં, પોઈન્ટ ટેબલને ધ્યાનમાં રાખીને, મેચ રદ થવા છતાં દિલ્હી કે ચેન્નાઈની પ્લેઓફની આશાઓ ઠગારી નીવડે નહીં.

આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ હાલમાં પ્લેઓફની દોડમાં પાછળ છે અને પોઈન્ટ ટેબલની મધ્યમાં છે. તેથી, આ મેચ જીતવી બંને માટે મહત્વપૂર્ણ છે. પરંતુ જો મેચ રદ થાય છે તો કોને ફાયદો કે નુકસાન થશે? આ એક મોટો પ્રશ્ન છે. શું દિલ્હીની સફર સમાપ્ત થશે, કે ચેન્નાઈ બહાર થઈ જશે? હકીકતમાં, પોઈન્ટ ટેબલને ધ્યાનમાં રાખીને, મેચ રદ થવા છતાં દિલ્હી કે ચેન્નાઈની પ્લેઓફની આશાઓ ઠગારી નીવડે નહીં.

4 / 5
અત્યારસુધી બંને ટીમોએ IPL 2026 માં નવ મેચ રમી છે, અને બંનેએ ચાર-ચાર મેચમાં જીત મેળવી છે. પોઈન્ટટેબલમાં બંનેના આઠ-આઠ પોઈન્ટ છે અને ચેન્નાઈ છઠ્ઠા સ્થાને, જ્યારે દિલ્હી સાતમા સ્થાને છે. જો મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે, જેનાથી તેમના નવ પોઈન્ટ રહેશે. આ પછી પણ, તેમની પાસે હજુ પણ ચાર મેચ બાકી રહેશે. તેથી, જો આ બંને ટીમો તેમની બાકીની મેચ જીતી જાય, તો તેઓ પ્લેઓફમાં પહોંચી શકે છે. (PC:PTI/X)

અત્યારસુધી બંને ટીમોએ IPL 2026 માં નવ મેચ રમી છે, અને બંનેએ ચાર-ચાર મેચમાં જીત મેળવી છે. પોઈન્ટટેબલમાં બંનેના આઠ-આઠ પોઈન્ટ છે અને ચેન્નાઈ છઠ્ઠા સ્થાને, જ્યારે દિલ્હી સાતમા સ્થાને છે. જો મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે, જેનાથી તેમના નવ પોઈન્ટ રહેશે. આ પછી પણ, તેમની પાસે હજુ પણ ચાર મેચ બાકી રહેશે. તેથી, જો આ બંને ટીમો તેમની બાકીની મેચ જીતી જાય, તો તેઓ પ્લેઓફમાં પહોંચી શકે છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયા માટે નથી રમી એક પણ મેચ, હવે સીધી વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ, જાણો કોણ છે 24 વર્ષીય નંદિની શર્મા

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">