Tata-અંબાણીએ માર્યો જેકપોટ, એક અઠવાડિયામાં કર્યો 1.18 લાખ કરોડનો ખેલ, જાણો કેવી રીતે
ગયા અઠવાડિયે દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છ કંપનીઓના માર્કેટ કેપમાં 1,18,626.24 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને સૌથી વધુ ફાયદો થયો. ગયા સપ્તાહે, BSE સેન્સેક્સ 659.33 પોઈન્ટ વધ્યો હતો. NSE નિફ્ટી 187.7 પોઈન્ટ વધ્યો.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી શેરબજારમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ગયા અઠવાડિયે, BSE પર લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓના બજાર મૂડીકરણમાં 1.18 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ટીસીએસના રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો. એક અઠવાડિયામાં રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો થયો.

ગયા અઠવાડિયે દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી છ કંપનીઓના માર્કેટ કેપમાં 1,18,626.24 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને સૌથી વધુ ફાયદો થયો. ગયા સપ્તાહે, BSE સેન્સેક્સ 659.33 પોઈન્ટ અથવા 0.83 ટકા વધ્યો હતો. NSE નિફ્ટી 187.7 પોઈન્ટ અથવા 0.78 ટકા વધ્યો.

આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, HDFC બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ અને ITC ના મૂલ્યાંકનમાં વધારો થયો. બીજી તરફ, ભારતી એરટેલ, ICICI બેંક, બજાજ ફાઇનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના મૂલ્યાંકનમાં ઘટાડો થયો. TCSનું બજાર મૂલ્યાંકન 53,692.42 કરોડ રૂપિયા વધીને 12,47,281.40 કરોડ રૂપિયા થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 34,507.55 કરોડ ઉમેર્યા, અને તેનું મૂલ્યાંકન રૂ. 17,59,276.14 કરોડ થયું.

ઇન્ફોસિસનું બજાર મૂલ્ય 24,919.58 કરોડ રૂપિયા વધીને 6,14,766.06 કરોડ રૂપિયા થયું અને HDFC બેંકનું બજાર મૂલ્ય 2,907.85 કરોડ રૂપિયા વધીને 14,61,842.17 કરોડ રૂપિયા થયું.

બીજી તરફ, ભારતી એરટેલનું મૂલ્યાંકન ₹41,967.5 કરોડ ઘટીને ₹10,35,274.24 કરોડ થયું અને હિન્દુસ્તાન યુનિલિવરનું ₹10,114.99 કરોડ ઘટીને ₹5,47,830.70 કરોડ થયું. આ સમયગાળા દરમિયાન, બજાજ ફાઇનાન્સ અને ICICI બેંકના બજાર મૂડીકરણમાં પણ ઘટાડો થયો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મૂલ્યવાન કંપનીનો ખિતાબ જાળવી રાખ્યો છે, ત્યારબાદ HDFC બેંક, TCS, ભારતી એરટેલ, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITCનો સમાવેશ થાય છે.

બજાર વિશ્લેષકો કહે છે કે 28 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં સાવધાનીનું વાતાવરણ રહી શકે છે. ટેકનિકલ સૂચકાંકો અનુસાર, નિફ્ટીમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે, જ્યારે રોકાણકારો કેટલાક સ્થાનિક ક્ષેત્રોમાં રસ જાળવી શકે છે. રોકાણકારો માટે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સ્થાનિક આર્થિક સૂચકાંકો વચ્ચે સંતુલન જાળવવું પડકારજનક રહેશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
