કાનુની સવાલ: સાસુના મૃત્યુ પછી ઘરેણાં પર કોનો હક, દીકરી કે વહુનો? જાણો કાયદો શું કહે છે
ભારતમાં વારસાગત હક અને સંપત્તિના મુદ્દાઓ ઘણીવાર પરિવારની અંદર વિવાદનું કારણ બને છે. ખાસ કરીને જ્યારે સાસુના મૃત્યુ પછી ઘરેણાં કોને મળશે – દીકરીને કે વહુને – તેવો સવાલ ઘણીવાર ઉભો થાય છે. આ પ્રશ્નનો જવાબ ભારતીય વારસાગત કાયદામાં સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે.

સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે ઘરેણાં (જ્વેલરી) વ્યક્તિગત સંપત્તિ (self-acquired property) ગણાય છે. જો સાસુએ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ વસીયત (Will) બનાવી હોય, તો તે મુજબ જ ઘરેણાં વહેંચાશે. એટલે કે, જો વસીયતમાં કોઈ ખાસ વ્યક્તિ – દીકરી, વહુ અથવા અન્ય કોઈ –નું નામ લખ્યું હોય, તો કાયદેસર રીતે તે વ્યક્તિને જ હક મળશે.

પરંતુ જો કોઈ વસીયત ન હોય, તો હિન્દુ વારસાગત કાયદા (Hindu Succession Act, 1956) મુજબ સંપત્તિનું વહેંચાણ થાય છે.

આ કાયદા મુજબ, સાસુના મૃત્યુ પછી તેની સંપત્તિ તેના “Class 1 heirs” એટલે કે પતિ, પુત્ર અને પુત્રી વચ્ચે સમાન હિસ્સામાં વહેંચાય છે. અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે વહુ સીધી રીતે વારસદાર નથી ગણાતી.

વહુને ઘરેણાં પર સીધો હક ત્યારે જ મળે છે જ્યારે તે તેના પતિ (સાસુના પુત્ર) મારફતે હિસ્સો મેળવે છે. એટલે કે, જો સાસુના પુત્રને તેની માતાની સંપત્તિમાંથી હિસ્સો મળે છે, તો તે હિસ્સો તેના પરિવાર સાથે વહેંચી શકે છે, જેમાં તેની પત્નીનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ, દીકરી કાયદેસર વારસદાર છે અને તેને પુત્ર જેટલો જ અધિકાર મળે છે. એટલે કે, સાસુના ઘરેણાંમાં દીકરીનો હક કાયદાથી સુરક્ષિત છે.

સારાંશમાં, જો વસીયત ન હોય તો ઘરેણાં પર પ્રથમ હક દીકરી અને પુત્રનો છે, વહુનો નહીં. આવા સંજોગોમાં પરિવારના સભ્યોએ કાયદાની સમજ સાથે અને શાંતિપૂર્ણ રીતે નિર્ણય લેવો જરૂરી છે જેથી વિવાદ ટાળી શકાય. (All Image Credit: Whisk AI Image)
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
