Knowledge: શું સફરજનના બીજ શરીર માટે ઝેરનું કરે છે કામ ? જો તમે આટલા ખાઈ લેશો તો થઈ શકે છે મૃત્યુ
Apple Seeds Facts: સફરજનના બીજ વિશે એવું કહેવાય છે કે તે ઝેરનું પણ કામ કરે છે. તો આજે તમને જણાવીએ કે સફરજનના બીજ શરીર પર કેવી અસર કરે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે સફરજન (Apple) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ એવું પણ કહેવાય છે કે, સફરજનના બીજ શરીર માટે હાનિકારક હોય છે, પરંતુ ઘણા લોકો આ વાતને અવગણે છે. તો સવાલ એ થાય છે કે શું સફરજનના બીજ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જો એમ હોય તો તેના શું ગેરફાયદા છે. જાણો સફરજનના બીજ સાથે જોડાયેલી ખાસ વાતો...

બ્રિટાનીકા પર પ્રકાશિત એક લેખ અનુસાર સફરજનના બીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એક સમયે તે તમારા શરીર માટે ઝેરનું કામ કરે છે. પરંતુ એવું નથી કે તમે કેટલાક બીજ ખાશો અને તે ઝેરની જેમ કામ કરવા લાગશે.

સફરજનના બીજ અને સમાન પ્રજાતિના અન્ય ફળો, જેમ કે નાશપતી અને ચેરીના બીજમાં એમીગડાલિન હોય છે. જે સાયનાઇડ અને ખાંડનું બનેલું સાયનોજેનિક ગ્લાયકોસાઇડ છે. જો તેની માત્રા વધારે થઈ જાય તો શરીર તેને પચવામાં અસમર્થ હોય છે, તો આ રસાયણ ઝેરી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે. આ હાઈડ્રોજન સાઈનાઈડ થોડીવારમાં કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

પરંતુ, એવું નથી કે સફરજનના બીજ ખાવાથી વ્યક્તિ મરી જાય. તેના ઝેર બનવા અને શરીરને નુકસાન પહોંચાડવાના ઘણા કારણો છે. વાસ્તવમાં જ્યારે બીજને ચાવવામાં આવે છે અથવા કચડી નાખવામાં આવે છે, ત્યારે એમીગડાલિન કામ કરે છે અને જો બીજ ન તૂટે તો કોઈ સમસ્યા નથી.

આ સિવાય HCNના નાના ડોઝથી શરીરમાં કોઈ સમસ્યા નથી થતી અને કેટલાક બીજ બિલકુલ સમસ્યા નથી કરતા. રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ 150થી વધુ બીજ ખાય છે, તો તેના માટે સમસ્યા થઈ શકે છે. એક સફરજનમાં 4-5 હોય છે અને વધુ બીજ માટે ઘણા કિલો સફરજન લેવા પડે છે.