અમદાવાદના વધુ બે સ્લમ વિસ્તારોની થશે કાયાપલટ, AMCએ આ કંપનીને સોંપ્યું કામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા ગરીબ લોકો પણ પાકા મકાનમાં રહી શકે તે માટે અનેક વિસ્તારોની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રીડેવલમેન્ટનું કાર્ય પૂર્ણ થતાં આ વિસ્તારના ગરીબ લોકોને સારી સુવિધાઓ સાથેનું પાકું મકાન મળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા ગરીબ લોકો પણ પાકા મકાનમાં રહી શકે તે માટે અનેક વિસ્તારોની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ ગજરાજગીરીની ચાલી ઉપરાંત ફુલઘરની ચાલીની કાયાપલટ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ટેન્ડર આપવામાં આવ્યું છે.

AMC દ્વારા અમદાવાદમાં આવેલ હોલિવુડ વિસ્તારને રિડેવલપ કરવાની સાથે આ બંને વિસ્તારોની પણ કાયાપલટ કરવા માટે નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે.

AMC દ્વારા નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને રૂપિયા 10.92 કરોડના ખર્ચે 125 રહેણાંક મકાનો બનાવવા માટેનું ટેન્ડર આપવામાં આવ્યું છે.

નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને આ કામ માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. રીડેવલમેન્ટનું કાર્ય પૂર્ણ થતાં આ વિસ્તારના ગરીબ લોકોને સારી સુવિધાઓ સાથેનું પાકું મકાન પ્રાપ્ત થશે.
