AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડનું જોશીમઠ નષ્ટ થઇ જશે ? જમીન કેમ ખસી રહી છે ? 561 મકાનોમાં તિરાડો પડી, અત્યાર સુધીમાં 66 પરિવારોએ સ્થળાંતર કર્યું

જોશીમઠની ઇમારતો અને દિવાલોમાં તિરાડો પ્રથમ વખત 2021 માં નોંધવામાં આવી હતી કારણ કે ચમોલી વારંવાર ભૂસ્ખલન અને પૂરનો અનુભવ કરી રહ્યું હતું. જોશીમઠ સમુદ્ર સપાટીથી 6000 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને ભૂકંપના ઉચ્ચ જોખમ સાથે 'ઝોન-5'માં આવે છે.

ઉત્તરાખંડનું જોશીમઠ નષ્ટ થઇ જશે ? જમીન કેમ ખસી રહી છે ?  561 મકાનોમાં તિરાડો પડી, અત્યાર સુધીમાં 66 પરિવારોએ સ્થળાંતર કર્યું
જોશીમઠમાં મકાનોમાં તિરાડ (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 9:26 AM
Share

ઉત્તરાખંડના જોશીમઠમાં જે થઈ રહ્યું છે તે કોઈ દુર્ઘટનાથી ઓછું નથી. સેંકડો ઘરોમાં તિરાડો પડી રહી છે. ત્યાંની જમીન ડૂબવા લાગી છે. લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. સેંકડો પરિવારોને ત્યાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે જોશીમઠમાં આવું કેમ થઈ રહ્યું છે? શુક્રવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીએમ ધામીએ લોકોને તેમના પુનર્વસન સુધી સલામત સ્થળે લઈ જવાના આદેશ આપ્યા હતા. બેઠકમાં, મુખ્યમંત્રીએ અધિકારીઓને જોશીમઠમાંથી 600 જેટલા પરિવારોને તાત્કાલિક અસરથી બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી શનિવારે જોશીમઠની મુલાકાત લેશે, જ્યાં તેઓ અસરગ્રસ્ત લોકોને મળશે અને અધિકારીઓ સાથે બેઠક કરશે.

પહેલા તાજેતરની ઘટના વિશે જાણો

જોશી મઠના ઘરોમાં તિરાડો કેમ પડી રહી છે અને ત્યાંની જમીન કેમ ધસી પડી છે તે જાણતા પહેલા… તાજેતરમાં બનેલી ઘટના વિશે જાણી લો. હકીકતમાં, ગયા વર્ષે 24 ડિસેમ્બર, 2022 ના રોજ, જોશીમઠના વિવિધ મકાનોમાં તિરાડો અને જમીન ધસી જવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોએ આ અંગે માહિતી આપી હતી. નગરપાલિકા દ્વારા કરાયેલા સર્વે બાદ એક વર્ષમાં શહેરમાં 500થી વધુ મકાનોમાં તિરાડો પડી હોવાનું બહાર આવ્યું છે. આ પછી પણ વહીવટીતંત્ર તરફથી કોઈ સુધારો ન આવતાં ત્યાંના લોકોએ પ્રશાસન પર કોઈ સુધારાત્મક પગલાં ન લેવાનો આક્ષેપ કરીને રેલી કાઢી હતી.

ત્રણ દિવસ પછી, એટલે કે 27 ડિસેમ્બરે, નિષ્ણાતોની પાંચ સભ્યોની ટીમે શહેરનું નિરીક્ષણ કર્યું. આ ટીમમાં વરિષ્ઠ અધિકારીઓ, ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતો અને એન્જિનિયરો સામેલ હતા. તેમણે જે ઈમારતોમાં તિરાડો પડી હતી તેનું નિરીક્ષણ કર્યું. આ સિવાય અધિકારીઓએ અસરગ્રસ્ત લોકો સાથે વાત કરી, જેમના ઘરોમાં તિરાડો પડી ગઈ છે. આ પછી પાંચ સભ્યોની ટીમે જિલ્લા વહીવટીતંત્રને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

ઘરોમાં તિરાડો અને જમીન કેમ ધસી રહી છે?

જોશીમઠની ઇમારતો અને દિવાલોમાં તિરાડો પ્રથમ વખત 2021 માં નોંધવામાં આવી હતી કારણ કે ચમોલી વારંવાર ભૂસ્ખલન અને પૂરનો અનુભવ કરી રહ્યું હતું. અહેવાલો અનુસાર, ઉત્તરાખંડ સરકારની નિષ્ણાત પેનલે 2022 માં શોધી કાઢ્યું હતું કે જોશીમઠના ઘણા ભાગો માનવસર્જિત અને કુદરતી પરિબળોને કારણે ડૂબી રહ્યા છે.

પેનલના તારણો જણાવે છે કે જોશીમઠમાં ભૂસ્ખલનનું કારણ પૃથ્વીની સપાટી, આડેધડ બાંધકામ, પાણીનો સીપેજ, ઉપરની જમીનનું ધોવાણ અને માનવસર્જિત કારણોસર પાણીના પ્રવાહના કુદરતી પ્રવાહમાં અવરોધ છે. તે જ સમયે, અભ્યાસોએ વર્તમાન પરિસ્થિતિને કુદરતી પરિબળોને આભારી છે જેમ કે ધોવાણ પામેલા ખડકો, શહેરનું સ્થાન અને માનવ પ્રેરિત ઇમારતોના ઝડપી બાંધકામ, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો વગેરે.

અત્યાર સુધીમાં 66 પરિવારોએ સ્થળાંતર કર્યું છે

જોશીમઠમાં કેટલાંક ઘરોમાં તિરાડો પડી જતાં ઓછામાં ઓછા 66 પરિવારો ભાગી ગયા છે, જ્યારે અન્ય લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં ભૂસ્ખલનથી 3000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એનકે જોશીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જોશીમઠના વિવિધ વિસ્તારોમાં 561 મકાનોમાં તિરાડો પડી ગઈ છે.

જેમાં રવિગ્રામમાં 153, ગાંધીનગરમાં 127, મનોહરબાગમાં 71, સિંહધારમાં 52, પરાસરીમાં 50, અપરબજારમાં 29, સુનીલમાં 27, મારવાડીમાં 28 અને લોઅર બજારમાં 24 મકાનોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના માર્ગ પર આવતું જોશીમઠ સમુદ્ર સપાટીથી 6000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે અને ભૂકંપના ઉચ્ચ જોખમ સાથે ‘ઝોન-5’માં આવે છે.

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">