હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા

પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PMS પશ્ચિમ મધ્ય રેલવેના ઘણા સ્ટેશનોના પાર્સલ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. જબલપુર રેલ્વે વિભાગમાં જબલપુર પ્રથમ સ્ટેશન હતું જ્યાં આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી.

હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા
પાર્સલની તમામ માહિતી ગ્રાહકના મોબાઈલ પર ઉપલબ્ધ રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:32 AM

રેલવે (Railway)દ્વારા હવે પાર્સલ વિભાગ(Railway Parcel Service)માં લગેજ બુકિંગ(luggage booking) અત્યંત સરળ બનાવી દેવામાં આવ્યું છે. પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ(parcel management system) એટલે કે પીએમએસ(PMS)ની મદદથી ગ્રાહકો હવે તેને ખૂબ જ સરળતાથી ટ્રેક(Parcel Tracking) કરી શકે છે. આ અંતર્ગત પાર્સલના બુકિંગથી લઈને તેને ટ્રેનમાં મોકલવા સુધીની માહિતી અને ડિલિવરીના સ્થાન પર ડિલિવરીજી જાણકારી ઓનલાઈન ઉપલબ્ધ થશે. રેલવેની આ આધુનિક સિસ્ટમ લગેજ બુકીંગ કરાવનારને માલની ડીલીવરીની ચોકસાઈની ખાતરી કરાવે છે તો રેલવે વિભાગને સુવિધા સચોટ ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે છે. સમાન રવાના થવાથી લઈ માર્ગમાં અટકવો અને ડિલિવરીના સ્થાન સુધી પહોંચવા સુધી તમામ માહિતી હવે મોબાઈલ પર SMS દ્વારા ઉપલબ્ધ થશે.

ગ્રાહકના મોબાઈલ પર તમામ માહિતી ઉપલબ્ધ રહેશે

પાર્સલ વિભાગમાં સામાન બુક કરાવ્યા પછી ટ્રેનમાં ચડવાથી લઈને ડિલિવરી સુધીની તમામ માહિતી ગ્રાહકના મોબાઈલ પર ઉપલબ્ધ રહેશે. એટલું જ નહીં સામાન લઈને જતી ટ્રેનની માહિતીથી લઈને તેના લોકેશન અને ડિલિવરીના સ્થળે પહોંચવાના સમય સુધીની આ તમામ માહિતી હવે મોબાઈલ પર SMS દ્વારા ઉપલબ્ધ થશે. હવે જ્યારે તમે તમારો સામાન બુક કરો ત્યારે તેને ટ્રેક કરવાનું વધુ સરળ છે.

પશ્ચિમ મધ્ય રેલવેએ પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી

પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PMS પશ્ચિમ મધ્ય રેલવેના ઘણા સ્ટેશનોના પાર્સલ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. જબલપુર રેલ્વે વિભાગમાં જબલપુર પ્રથમ સ્ટેશન હતું જ્યાં આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. આ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કર્યા પછી પાર્સલ બુક કરવાની મેન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેને PMS સાથે લિંક કરવામાં આવી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તમામ માહિતી ઓનલાઈન મળી જશે

આ અંતર્ગત પાર્સલના બુકિંગથી લઈને તેને ટ્રેનમાં મોકલવા સુધીની માહિતી અને ડિલિવરીના સ્થાન પર ડિલિવરી ઓનલાઈન ઉપલબ્ધ થશે. પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમમાં સામાનના કારણ માટે કોમ્પ્યુટરની મદદથી બારકોડ જનરેટ થાય છે. આ બારકોડ્સ પાર્સલમાં મૂકવામાં આવે છે અને તેની માહિતી બુક કરનારને આપવામાં આવે છે. ટ્રેનમાં સામાન ચઢતાની સાથે જ વ્યક્તિને મોબાઈલ પર માહિતી મળે છે કે તેનો સામાન સંબંધિત ટ્રેનમાં લોડ થઈ ગયો છે. જેવો સામાન ડિલિવરીના સ્થાન પર પહોંચે છે તેની માહિતી વ્યક્તિના મોબાઈલ પર પહોંચી જાય છે. જો જરૂરી હોય તો તે મોબાઇલ નંબર દ્વારા પણ ડિલિવરીના સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. એટલું જ નહીં સમાન જે ટ્રેનમાંથી જઈ રહ્યો છે તેના લોકેશનની માહિતી મેળતી રહે છે.

હાલની સિસ્ટમ મુશ્કેલી ઊભી કરતી હતી હવે સરળતા રહેશે

હાલમાં અત્યાર સુધી મુસાફરોએ પાર્સલ વિભાગમાં જવું પડે છે અને સામાન બુક કરાવવા માટે તેનું વજન કરાવવું પડે છે. ત્યારબાદ સંબંધિત વ્યક્તિને એક રસીદ આપવામાં આવે છે અને પછી ટ્રેનમાં ચડવાથી લઈને ડિલિવરીના સ્થાન સુધીના તેના સામાન વિશેની માહિતી વ્યક્તિને આપવામાં આવતી નથી. તેને ફક્ત સમયસર ડિલિવરીના સ્ટેશન પર પહોંચવા માટે જાણ કરવામાં આવે છે. કેટલીકવાર પાર્સલ ખોટી જગ્યાએ પહોંચી જાય છે જેને શોધવા માટે સંબંધિત વ્યક્તિ અને વિભાગના અધિકારીઓને ઘણી મહેનત કરવી પડે છે. ક્યારેક તેને શોધવામાં લમ્બો સમય પણ લાગી જાય છે.

આ પણ વાંચો : સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી

આ પણ વાંચો : રશિયા-યુક્રેન સંકટની ભારત પર થશે ઊંડી અસર, 30 ટકા સુધી ઘટી શકે છે શેર બજાર

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">