Navratri 2025
મંત્ર
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
દરેક જીવોમાં શક્તિના રૂપમાં વાસ કરનારી દેવીને વારંવાર નમસ્કાર છે. જે તમામ જીવોમાં શક્તિ તરીકે રહે છે. આ મંત્રમાં માતા દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. જે સમગ્ર સૃષ્ટિના દરેક જીવની અંદર શક્તિના રૂપમાં બિરાજે છે. શક્તિનો અર્થ માત્ર શારીરિક શક્તિ જ નથી, પરંતુ તેમાં માનસિક, આધ્યાત્મિક શક્તિનો પણ સમાવેશ થાય છે. મા દુર્ગાને આ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તે વિશ્વના તમામ જીવોને શક્તિ, હિંમત, ઊર્જા અને જીવનશક્તિ પ્રદાન કરે છે. આ મંત્ર દ્વારા આપણે દેવીને વારંવાર પ્રણામ કરીએ છીએ અને દેવી પોતાની શક્તિથી આપણને હંમેશા બચાવતા રહે એ માટે વારંવાર માતાને વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ.
આર્ટિકલ
વીડિયો
વેબ સ્ટોરી
View More
ધુરંધર ફિલ્મના ડિરેક્ટરનો આવો છે પરિવાર
'બોર્ડર 2' ની અભિનેત્રીનો આવો છે પરિવાર
T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે?
Stock Market: 1 શેર ઉપર '2 શેર' ફ્રી! ચોખાના બિઝનેસમાં જોડાયેલી અગ્રણી કંપનીએ રોકાણકારોને ભેટ આપી
ક્રિકેટ કરતા 10 ગણી વધુ છે ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની પ્રાઈઝ મની
ગેલેરી
ચાંદીનો બાદશાહ કોણ? દુનિયાના આ ટોપ-5 દેશ પાસે છે સૌથી વધારે ચાંદી
10 Images
ટીમ ઈન્ડિયાએ સફળતાની નવી સ્ટોરી લખી
9 Images
ઘરમાં પારિજાતનો છોડ લગાવવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
8 Images
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ઐતિહાસિક છૂટછાટ
6 Images
ફ્રિજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોમાં કેમ 3 પિનવાળો પ્લગ હોય છે?
8 Images
સોનું થયું વધારે મોંઘુ, ચાંદીની ચમક પણ સતત બીજા દિવસે વધી
8 Images
5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો આવો છે પરિવાર
24 Imagesસમાચાર
શારદીય નવરાત્રી 2025:
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે શક્તિની ભક્તિનો અનોખો ઉત્સવ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં બે નવરાત્રીની ઉજવણી કરવામા આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રી. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. ગુજરાતમાં નવરાત્રીનો અનોખો માહોલ હોય છે, યુવાનોથી લઇને બાળકો, વૃદ્ધો તમામ લોકો ઉત્સાહ સાથે ગરબા-રાસમાં ભાગ લે છે અને માતાજીના ગરબા ભક્તિભાવપૂર્વક ગાય છે.