AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા બાગેશ્વર ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામમાં કરશે હનુમંત કથા, તડામાર તૈયારીઓ શરુ

વિશ્વ ઉમિયાધામ, અમદાવાદમાં જાન્યુઆરી 2024માં બાબા બાગેશ્વરની દિવ્ય હનુમાન કથાનું આયોજન થઈ રહ્યું છે. આ કથા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 29 ડિસેમ્બરે ભવ્ય બાઇક અને કાર રેલી યોજાશે. કથા 3 થી 6 જાન્યુઆરી સુધી ચાલશે. આ ધાર્મિક કાર્યક્રમ સનાતન ધર્મના પ્રચાર અને ઉમિયા માતાની આસ્થાને વધારવા માટેનું છે.

બાબા બાગેશ્વર ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામમાં કરશે હનુમંત કથા, તડામાર તૈયારીઓ શરુ
Jignesh Patel
| Edited By: | Updated on: Dec 25, 2024 | 9:30 AM
Share

વિશ્વભરમાં સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયા આસ્થાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં સનાતન પર્વની ઉજવણી કરાઈ રહી છે. જેમાં વિશ્વપ્રસિદ્ધ બાબા બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીજી અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વઉમિયાધામ મંદિરમાં દિવ્ય હનુંમત કથાનું રસપાન કરાવશે.

વિશ્વઉમિયાધામ દ્વારા આયોજિત દિવ્ય હનુમંત કથાના આયોજનના ભાગ રૂપે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 1000થી વધુ ઉમાસેવકો પધાર્યા હતા. આ બેઠકમાં વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ તમામ કમિટીના હોદ્દેદારો એવમ ઉમા સેવક મિત્રો હાજર રહ્યા હતા. વિશ્વ ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

‘સનાતન સમાજ માટે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ’ 

બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવમ પ્રમુખ આર પી પટેલે જણાવ્યુ હતુ કે ત્રણ થી છ જાન્યુઆરીએ યોજાનાર દિવ્ય હનુમંત કથા એ સમગ્ર સનાતન સમાજ માટે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં તમામ લોકો સહભાગી થઈ જગતજનની મા ઉમિયા આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની છે.

જાણો શું છે બાબા બાગેશ્વરનો સમગ્ર કાર્યક્રમ

29 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદમાં ભવ્ય બાઈક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. 2 જાન્યુઆરી 2024 વિશ્વઉમિયાધામ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. 3 જાન્યુઆરી 2024ના રોજ બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. 4 જાન્યુઆરી 2024ના રોજ પણ બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. 5 જાન્યુઆરી 2024ના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર સવારથી જ યોજવામાં આવશે.તો 6 જાન્યુઆરી 2024ના રોજ બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">