AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghambhira Bridge Collapse : દુર્ઘટનાના 24 કલાક બાદ પણ સર્ચ ઑપરેશન યથાવત, નદીના પ્રવાહને લીધે મુશ્કેલીઓ વધી, હજુ પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મહિસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે.

Ghambhira Bridge Collapse : દુર્ઘટનાના 24 કલાક બાદ પણ સર્ચ ઑપરેશન યથાવત, નદીના પ્રવાહને લીધે મુશ્કેલીઓ વધી, હજુ પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા
Ghambhira Bridge Collapse
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jul 10, 2025 | 9:49 AM
Share

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મહિસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે. ગઈકાલે સવારે અચાનક જર્જરિત ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા અનેક વાહનો સાથે માણસો પણ નદીમાં ખાબક્યા હતા. જેમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનને 24 કલાક થયા છતા પણ NDRF દ્વારા સતત સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.

નદીમાં પાણીનો પ્રવાહ વધતા મુશ્કેલી !

મળતી માહિતી અનુસાર આજે પૂનમ હોવાના કારણે દરિયામાંથી પાણી બેક મારતું હોવાથી મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. નદીમાં ભારે માત્રામાં કાંપ હોઈ વાહનો કાઢવામાં પણ મુશ્કેલી આવી રહી છે. જો કે હજી પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા છે. અનેક પરિવારના સ્વજનોની હજુ પણ ભાળ મળી નથી.

મહીસાગરમાં સર્ચ ઑપરેશન યથાવત

ઉલ્લેખનીય છે કે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કરી કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની કરશે તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે.ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો આપશે . માર્ગ-મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેરનો કમિટીમાં સમાવેશ કરાયો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">