
ઈન્ડિયા ગઠબંધન
દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને ઈન્ડિયા અલાયન્સની રચના કરી છે. ઈન્ડિયા ગઠબંધનમાં I (I)-ભારતીય, N (N)-રાષ્ટ્રીય, D (D)-વિકાસલક્ષી, I (I)-સમાવેશક અને A (A)-ગઠબંધન- એલાયન્સનો સમાવેશ થાય છે. જેને ટુંકમાં ઈન્ડિ એલાયન્સ પણ કહેવામાં આવે છે.
ઈન્ડિયા એલાયન્સનું પૂરું સ્વરૂપ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ છે. આ ગઠબંધન 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં શરુઆતના તબક્કે આમ આદમી પાર્ટી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, આરજેડી, શિવસેના (ઉદ્ધવ જૂથ), કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ), તમામનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ફોરવર્ડ. બ્લોક, કેરળ કોંગ્રેસ (જોસેફ), અપના દળ, રાષ્ટ્રીય લોકદળ જેવા 26 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.
જો કે પાછળથી ઈન્ડિયા એલાયન્સમાંથી કેટલાક રાજકીય પક્ષ એલાયન્સમાંથી ફસકી ગયા છે.
ચૂંટણીમાં હાર પર હાર, ઈન્ડિયા ગઠબંધનનું ફ્યુચર… જાણો WITT માં શું કહ્યુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ TV9 નેટવર્કની ગ્લોબલ સમિટ What India Thinks Today 2025માં તાજેતરની ચૂંટણીમાં હાર, ઈન્ડિયા ગઠબંધનના ભાવિ અને કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારોની ચર્ચા કરી. તેમણે પાર્ટીની અંદર સુધારા પર ભાર મુક્યો, જમીની સ્તરથી મજબૂત કરવા અને યુવા નેતાઓને આગળ લાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
- Mina Pandya
- Updated on: Mar 29, 2025
- 9:37 pm
INDIA ગઠબંધન તૂટવાને આરે…શું લોકસભા ચૂંટણી પૂરતું જ હતું આ ગઠબંધન ?
દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જે રીતે ટસલ જોવા મળી રહી છે, તેને જોતાં વિપક્ષી પક્ષોના INDIA ગઠબંધનના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હકીકતમાં INDIA ગઠબંધનમાં સમાવિષ્ટ તમામ પક્ષોના મંતવ્યો અલગ અલગ છે. દિલ્હીમાં મોટાભાગની પાર્ટીઓએ કોંગ્રેસને બદલે AAPને ટેકો આપ્યો છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 25, 2025
- 3:45 pm
આંબેડકરના અપમાનને મુદ્દો બનાવી દેશના 20 કરોડથી વધુ દલિતોની વોટબેંકને પોતાની તરફ કરવાની રણનીતિ પર કામ કરી છે કોંગ્રેસ ?
કોંગ્રેસે 19 સેકન્ડનો અમિત શાહનો સંસદના ભાષણનો વીડિયો પોસ્ટ કરી લખ્યુ કે RSS અને ભાજપના મનમાં બાબા સાહેબ આંબેડકરને લઈને ધૃણા છે અને જે વીડિયો પોસ્ટ કરાયો તેમા અમિત શાહ વિપક્ષ પર પ્રહાર કરતા એવુ કહી રહ્યા છે " અત્યારે એક ફેશન થઈ ગઈ છે કે આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલુ નામ જો ભગવાનનું લીધુ હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જતુ." જો કે 90 મિનિટના ભાષણમાંથી કોંગ્રેસ માત્ર 19 મિનિટના અમિત શાહના નિવેદનને તોડી મરોડીને રાજકીય ફટકાબાજી કરી રહી છે તેની પાછળ દલિત વોટબેંકની મજબુત રણનીતિ કામ કરી છે.
- Mina Pandya
- Updated on: Dec 19, 2024
- 6:57 pm
ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:01 pm
આંબેડકરને લઈને ભાજપ-કોંગ્રેસના સાંસદોના દેખાવો, ધક્કા મુક્કી, જુઓ ફોટા
ડૉ. આંબેડકરને લઈને સંસદ ભવનના પ્રાંગણમાં આજે ભાજપ-એનડીએ અને કોંગ્રેસ ઈન્ડિયા એલાયન્સના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ધક્કા મુક્કીમાં પડી જવાથી શાસક પક્ષના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા, જેના માટે ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા અને શાસક પક્ષના સાંસદો પર વિપક્ષી સાંસદોને રોકવાનો આરોપ લગાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 1:53 pm
વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2024
- 3:35 pm
લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ
હવે ભારત ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે સાથી પક્ષો વચ્ચે પરસ્પર અભિપ્રાય બનતો જણાય છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પણ કોંગ્રેસ છોડી દીધી છે. તેમણે મમતા બેનરજીના નામનું સમર્થન કર્યું છે.
- Devankashi rana
- Updated on: Dec 10, 2024
- 11:26 am
Maharashtra Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત પર BJP કાર્યકર્તાઓને સંબોધિત કરતા બોલ્યા પીએમ મોદી, આ વિકાસવાદની, સાચા સામાજિક ન્યાયની જીત, નકારાત્મક પરિવારવાદી રાજનીતિની હાર
Maharashtra and Jharkhand Assembly Election Results 2024 LIVE Counting and Updates: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા મથકોએ વિધાનસભાની 288 બેઠકોની મતગણતરી શરુ થઈ ચૂકી છે. બપોર સુધીમાં કયા પક્ષ-જૂથને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધીમાં સામે આવી રહેલા શરૂઆતી વલણોમાં બહુમતીના આંકડાને સ્પર્શવા માટે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ભારે રસાકસી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 23, 2024
- 9:19 pm
Jammu Kashmir Election Result : બડગામ બેઠક પર ઓમર અબ્દુલ્લાનો 18485 મતે વિજય, જમ્મુ કાશ્મીરના CM બનશે
નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલાએ બડગામ બેઠક પરથી જીત મેળવી છે. ઓમરે જમ્મુ કાશ્મીરની બડગામ બેઠક પરથી ચૂંટણી લડવા ઉપરાંત અન્ય બેઠક પરથી પણ ઝંપલાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ઈન્ડિયા એલાયન્સને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાથી જમ્મુ કાશ્મીરમાં મુખ્ય પ્રધાન બની શકે છે ઓમર અબ્દુલ્લા.
- TV9 Gujarati
- Updated on: Oct 9, 2024
- 1:49 pm
ભાજપનો વોટ શેર ઓછો પણ બેઠકો વધુ; કોંગ્રેસને મતની ટકાવારી વધુ છતાં આંકડામાં કેમ પાછળ ?
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપને મોટી બહુમતી મળતી દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર દર્શાવાતા આંકડા અનુસાર જે રૂઝાન સામે આવી રહ્યું છે તે મુજબ ભાજપને 48 અને કોંગ્રેસને 36 બેઠકો મળી રહી છે. જો કે આ પરિણામોમાં એક બાબત જોવા જેવી છે તે છે વોટ શેર.
- TV9 Gujarati
- Updated on: Oct 8, 2024
- 12:40 pm
મોદી સરકાર કાર્યકાળ તો પૂરો કરશે જ, 2029માં પણ આવશે તો મોદી જ : અમિત શાહ
અમિત શાહે ચંડીગઢમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણની એનડીએ સરકાર પોતાનો કાર્યકાળ તો પૂરો કરશે જ, પરંતુ આગામી સરકાર પણ એનડીએની જ બનશે અને મોદી ફરી એકવાર પીએમ બનશે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં શાહે કહ્યું કે, લોકસભાની 3 ચૂંટણીમાં કોંગ્રેસે જેટલી બેઠકો મેળવી હતી એના કરતા પણ વધુ બેઠકો ભાજપે આ ચૂંટણીમાં જીતી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2024
- 6:54 pm
બજેટના વિરોધમાં ઈન્ડિયા બ્લોકના સાંસદ આવતીકાલે કરશે પ્રદર્શન, નીતિ આયોગની બેઠકનો કરશે બહિષ્કાર!
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને ઈન્ડિયા ગઠબંધનના પક્ષોએ ભેદભાવપૂર્ણ બજેટ ગણાવ્યું છે. ઈન્ડિયા એલાયન્સના સાંસદ બુધવારે તેનો વિરોધ કરશે અને તમામ ઈન્ડિયા એલાયન્સના સીએમ પણ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરી શકે છે.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 23, 2024
- 9:29 pm
‘બંધારણ બતાવવાથી સત્ય નહીં બદલાય’, અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, જુઓ Video
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજકાલ રાહુલ ગાંધી બંધારણ પ્રત્યે વધુ પ્રેમ બતાવી રહ્યા છે પરંતુ બંધારણની પ્રતિ દેખાડવાથી સત્ય બદલાશે નહીં. ઠાકુરે કહ્યું કે જો કોઈએ બંધારણનું અપમાન કર્યું છે તો તે કોંગ્રેસ અને ગાંધી પરિવાર છે.
- Sagar Solanki
- Updated on: Jul 21, 2024
- 8:02 pm
સમાચારમાં ચમકવાનો નુસખો, બાકી રોજેરોજ થઈ રહી છે સંવિધાનની હત્યા, કોંગ્રેસ – મમતાની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વધુમાં કહ્યું કે, 4 જૂન, 2024 ભારતના લોકો માટે ઈતિહાસમાં મોદી લિબરેશન ડે તરીકે ઓળખાશે. 2024 માં નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હાર સહન કરતા પહેલા તેમણે દસ વર્ષ માટે અઘોષિત કટોકટી લાદી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 12, 2024
- 7:21 pm
કટોકટીના કાળા દિવસ 25 જૂન હવેથી સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવા કેન્દ્ર સરકારે કરી જાહેરાત
samvidhaan hatya diwas : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. લોકસભા ચૂંટણી બાદથી જ વિપક્ષ બંધારણને લઈને મોદીની આગેવાનીની એનડીએ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 12, 2024
- 5:02 pm