ઈન્ડિયા ગઠબંધન

ઈન્ડિયા ગઠબંધન

દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને ઈન્ડિયા અલાયન્સની રચના કરી છે. ઈન્ડિયા ગઠબંધનમાં I (I)-ભારતીય, N (N)-રાષ્ટ્રીય, D (D)-વિકાસલક્ષી, I (I)-સમાવેશક અને A (A)-ગઠબંધન- એલાયન્સનો સમાવેશ થાય છે. જેને ટુંકમાં ઈન્ડિ એલાયન્સ પણ કહેવામાં આવે છે.

ઈન્ડિયા એલાયન્સનું પૂરું સ્વરૂપ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ છે. આ ગઠબંધન 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં શરુઆતના તબક્કે આમ આદમી પાર્ટી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, આરજેડી, શિવસેના (ઉદ્ધવ જૂથ), કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ), તમામનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ફોરવર્ડ. બ્લોક, કેરળ કોંગ્રેસ (જોસેફ), અપના દળ, રાષ્ટ્રીય લોકદળ જેવા 26 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. 

જો કે પાછળથી ઈન્ડિયા એલાયન્સમાંથી કેટલાક રાજકીય પક્ષ એલાયન્સમાંથી ફસકી ગયા છે. 

Read More

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર, ખડગે, પ્રિયંકા – સોનિયા ગાંધી રહ્યાં હાજર

ઉમેદવારી નોંધાવતી વખતે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર રહ્યા હતા.

પીએમ મોદી અને રાહુલ ગાંધીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, 29 એપ્રિલ સુધીમાં માંગ્યો જવાબ

કેન્દ્રીય ચૂંટણી પંચે, આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નેતા રાહુલ ગાંધીને તેમના ભાષણોમાં બોલાયેલા શબ્દોને લઈને નોટિસ ફટકારી છે. પંચે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી, આગામી 29મી એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ છે.

Election 2nd Phase : 13 રાજ્યોની 88 બેઠકો પર પ્રચાર થયો બંધ, રાહુલ ગાંધી, હેમામાલિની, શશિ થરૂર, અરુણ ગોવિલની પ્રતિષ્ઠા દાવ પર

બીજા તબક્કામાં વાયનાડથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મથુરાથી હેમા માલિની અને મેરઠથી અરુણ ગોવિલ મેદાનમાં છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર સામે ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ લોકસભા સીટ પરથી ભાજપના જુગલ કિશોર કોંગ્રેસના રમણ ભલ્લા સામે ચૂંટણી લડી રહ્યા છે.

પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત, જાણો કયા રાજ્યમાં કઈ કઈ બેઠક પર 19 એપ્રિલે થશે મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે બુધવારે સાંજે શાંત થઈ ગયા છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલ 102 બેઠક પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 19 એપ્રિલે મતદાન થશે.

નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધીથી લઈને યુસુફ પઠાણ સુધીના VVIP ઉમેદવારોને કેટલા મળશે વોટ, જાણો

PEOPLE’S INSIGHT, POLSTRAT અને TV9એ ફાઈનલ ઓપિનિયન પોલ દ્વારા અનુમાન લગાવ્યું છે કે બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને કુલ 362 સીટો મળી શકે છે. આ ઓપિનિયન પોલમાં તમે દેશની દરેક VIP બેઠક પર લડતા ઉમેદવારની હાલત જાણી શકો છો. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે.

Tv9 Polstrat Opinion Poll: રાજસ્થાનમાં BJPને લાગી શકે છે ઝટકો, આ દિગ્ગજ હારે તો નવાઈ નહીં

પ્રથમ તબક્કાના મતદાન પહેલા TV9, Peoples Insight, Polstrat નો સર્વેના પરિણામ સામે આવી ગયા છે. રાજસ્થાનમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે તે જણાવતા પહેલા, તમને જણાવી દઈએ કે આ સર્વે આશરે 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ છે. રાજસ્થાનની વાત કરીએ તો સર્વે કહે છે કે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને 6 બેઠકોનું પર નુકસાન થઈ રહ્યું છે.

Tv9 Polstrat Opinion Poll: મહારાષ્ટ્રમાં NDA 28 અને INDI Alliance 20 બેઠકો જીતી શકે છે, અજિત પવારની પત્નીને લાગી શકે છે ઝટકો

લોકસભા ચૂંટણીને લઈને TV9, Peoples Insight, Polstrat દ્વારા કરાયેલ સર્વે દર્શાવે છે કે, મહારાષ્ટ્રમાં બેઠકો અંકે કરવા માટે હરીફાઈ થવાની છે. રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી એનડીએ 28 બેઠકો કબજે કરી શકે છે. આમાં 25 બેઠકો ભાજપને અને ત્રણ બેઠકો શિવસેના (શિંદે જૂથ)ને જાય તેમ જણાય છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 20 સીટો મળી રહી છે.

Tv9 Opinion Poll Survey : ગુજરાતમાં ભાજપના ગઢના કાંગરા પણ કોંગ્રેસ નહીં ખેરવી શકે

Tv9, Peoples Insight, Polstrat દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ફરી મોટી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ નહીં ખોલાવી શકે.

Tv9 Opinion Poll : ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, દેશભરમાં NDAને પણ મળશે માત્ર આટલી સીટ, જુઓ VIDEO

ચૂંટણી તૈયારીઓ વચ્ચે Tv9 દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ લઈને આવ્યું છે. આ ઓપિનિયન પોલમાં દેશની તમામ 543 સીટોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં NDAની સરકાર 400ને પાર કરી શકશે કે નહી તેમજ INDIA ગઠબંધન કેટલા મતો મળશે ચાલો અહીં જાણીએ.

PM મોદી પ્રિયંકા ચોપરા, અક્ષય કુમારને મળે છે પરંતુ ખેડૂતોને નહી, આંધીની જેમ આવ્યા હતા, વાવાઝોડાની જેમ જતા રહેશે: તેજસ્વી યાદવ

ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જોડાયેલ રાજકીય પક્ષ સિવાયના દેશના વિપક્ષોએ એકઠા થઈને રચેલ ઈન્ડિ ગઠબંધનની આજે દિલ્હીમા રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતા બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે, તેમના તેજાબી અંદાજમાં ભાજપ અને વડાપ્રધાન મોદી ઉપર વાક પ્રહારો કર્યા હતા.

મેચ ફિક્સિંગ વિના ભાજપ 180નો આંકડો પણ પાર ના કરી શકે: રાહુલ ગાંધી

દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઈન્ડિ ગઠબંધનની રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધન કરતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદી ઉપર વાકપ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈ, ઈડીના દૂરપયોગથી વિપક્ષનો અવાજ દબાવી રહી છે. મોદી મેચ પહેલા જ મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરે છે. ફિક્સિંગ વિના ભાજપ 180નો આંકડો પણ પાર કરી શકે તેમ નથી.

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDI ગઠબંધનના નેતાઓ પહોંચ્યા ચૂંટણી પંચ, તપાસ એજન્સીઓના દુરુપયોગનો કર્યો આક્ષેપ

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. હવે કેજરીવાલની ધરપકડ પર વિપક્ષી ઈન્ડિ ગઠબંધનમાં સામેલ પક્ષો દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે. ગઈકાલ ગુરુવારે રાત્રે ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

મોદી કા પરિવાર – ડરો મત, ઈ-કોમર્સ સાઈટ પર વેચાઈ રહ્યી છે ચૂંટણીલક્ષી વસ્તુ

આજકાલ, તમે તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચૂંટણી સંબંધિત ચીજ વસ્તુની ખરીદી અને વેચાણ કરી શકો છો. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસને લગતી ઘણી ચીજવસ્તુઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.

Lok Sabha Election: શું NDAનો ભાગ બનશે MNS? અમિત શાહને મળ્યા રાજ ઠાકરે, આ માટે જરૂરી છે સાથ

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. એવા અહેવાલો છે કે મહારાષ્ટ્રમાં NDAને MNS એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સમર્થન મળી શકે છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, રાજ ઠાકરેની દિલ્હી મુલાકાત પર, NCPએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે રેલવે એન્જિનની બેવડી ભૂમિકા આખરે સ્પષ્ટ થઈ ગઈ છે. આ પ્રસંગને સરકારની લાચારી કહો કે EDની તપાસથી બચવાની તકેદારી કહો.

મુંબઈ: શિવાજી પાર્કમાં I.N.D.I.A ગઠબંધનની રેલી સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું થયુ સમાપન, સપા, ટીએમસી, CPIM ની ગેરહાજરી- જુઓ વીડિયો

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આજે મુંબઈના શિવાજી પાર્કમાં મહારેલી સાથે સમાપન થયુ છે. રાહુલ ગાંધીની આ રેલીમાં મહાગઠબંધનના નેતા પણ જોડાયા હતા. જો કે આ રેલીમાં સમાજવાદી પાર્ટી, ટીએમસી અને માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ જોડાયા ન હતા.

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">