ઈન્ડિયા ગઠબંધન
દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને ઈન્ડિયા અલાયન્સની રચના કરી છે. ઈન્ડિયા ગઠબંધનમાં I (I)-ભારતીય, N (N)-રાષ્ટ્રીય, D (D)-વિકાસલક્ષી, I (I)-સમાવેશક અને A (A)-ગઠબંધન- એલાયન્સનો સમાવેશ થાય છે. જેને ટુંકમાં ઈન્ડિ એલાયન્સ પણ કહેવામાં આવે છે.
ઈન્ડિયા એલાયન્સનું પૂરું સ્વરૂપ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ છે. આ ગઠબંધન 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં શરુઆતના તબક્કે આમ આદમી પાર્ટી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, આરજેડી, શિવસેના (ઉદ્ધવ જૂથ), કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ), તમામનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ફોરવર્ડ. બ્લોક, કેરળ કોંગ્રેસ (જોસેફ), અપના દળ, રાષ્ટ્રીય લોકદળ જેવા 26 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.
જો કે પાછળથી ઈન્ડિયા એલાયન્સમાંથી કેટલાક રાજકીય પક્ષ એલાયન્સમાંથી ફસકી ગયા છે.
Bihar Election: ‘મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડીએ,’ તેજસ્વીએ કોંગ્રેસનો તણાવમાં કર્યો વધાર્યો
બિહારના રાજકારણમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચર્ચા તેજ બની છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે મહાગઠબંધન મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડે.
- Disha Thakar
- Updated on: Sep 20, 2025
- 8:56 am
Breaking News: બિહાર ચૂંટણીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદની સૌથી મોટી જાહેરાત, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાનું કર્યુ એલાન
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. જેનાથી રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. આ જાહેરાતથી ખાસ કરીને મહાગઠબંધન અને NDA છાવણીમાં હલચલ મચી ગઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરાત કરી છે કે તેઓ બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ગૌભક્ત ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારશે.
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 7:19 pm
મૌત નો સૌદાગર, ચોકીદાર ચોર હૈ, ચાય વાલા અને હવે મા વિશે અપશબ્દો…. શું વિપક્ષ સામે ચાલીને મોદીને હથિયાર આપી દે છે ?
બિહાર ચૂંટણી પહેલા વિપક્ષના મંચે થી પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવાનો મુદ્દો હવે વધુ ગરમાઈ રહ્યો છે. જાપાન-ચીનની મુલાકાત બાદ દેશ પરત ફરતા જ પીએમ મોદીએ આ સમગ્ર વિવાદ પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપતા વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ એ લોકો માટે તેમની માતાને અપશબ્દો કહેવા એ કોઈ મોટી વાત નથી, જેઓ ભારત માતાનું અપમાન કરે છે.
- Mina Pandya
- Updated on: Sep 2, 2025
- 6:54 pm
ધનખર મુદ્દે કોઈ વિવાદ નથી, આરોગ્યને કારણે આપ્યું છે રાજીનામું : અમિત શાહ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા બાદ, કોંગ્રેસ સહિત વિપક્ષ તેમના મૌન પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે, ધનખરની બંધારણીય ભૂમિકા અને સ્વાસ્થ્ય કારણોસર રાજીનામાનો ઉલ્લેખ કરતા, અમિત શાહે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીની પણ ટીકા કરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 25, 2025
- 1:22 pm
હવે પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો, ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો
જો કોઈ મંત્રી ગંભીર ગુનાના આરોપસર સતત 30 દિવસ સુધી જેલમાં રહેશે, તો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સલાહ બાદ તેમણે તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. જો વડા પ્રધાન પોતે ફણ આવા કોઈ પણ આરોપસર 30 દિવસ જેલમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે. આ બિલ લોકસભામાં આજે રજૂ થાય ત્યારે તેના પર હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2025
- 10:13 am
વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બી સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર, જાણો કોણ છે ?
જગદીપ ધનખરના રાજીનામાથી ખાલી પડેલ ઉપરાષ્ટ્રપતિના પદ માટે, ભાજપની આગેવાનીના એનડીએ એમહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ અને મૂળ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણન પર પસંદગી ઉતારી છે, તેની સામે કોંગ્રેસની આગેવાનીમાં બનેલ ઈન્ડિયા ગઠબંધને, તેલંગાણાના બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 19, 2025
- 6:11 pm
Voter list dispute: ‘વોટ ચોરી’ના વિરોધમાં અખિલેશ રેલિંગ કુદ્યા, મહુઆ મોઇત્રા બેભાન થયા, રાહુલ-પ્રિયંકા અટકાયત, જુઓ Video
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષના સાંસદો સંસદના મકર દ્વારથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની પોલીસે અટકાયત કરી છે.
- Tanvi Soni
- Updated on: Aug 11, 2025
- 1:52 pm
Breaking News: સોનિયા ગાંધીની અચાનક લથડી તબિયત, શિમલાની IGMC હોસ્પિટલમાં કરાયા દાખલ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે, જેના કારણે તેમને શિમલાના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ખાતે લઈ જવામાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 7, 2025
- 6:57 pm
ચૂંટણીમાં હાર પર હાર, ઈન્ડિયા ગઠબંધનનું ફ્યુચર… જાણો WITT માં શું કહ્યુ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ TV9 નેટવર્કની ગ્લોબલ સમિટ What India Thinks Today 2025માં તાજેતરની ચૂંટણીમાં હાર, ઈન્ડિયા ગઠબંધનના ભાવિ અને કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારોની ચર્ચા કરી. તેમણે પાર્ટીની અંદર સુધારા પર ભાર મુક્યો, જમીની સ્તરથી મજબૂત કરવા અને યુવા નેતાઓને આગળ લાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
- Mina Pandya
- Updated on: Mar 29, 2025
- 9:37 pm
INDIA ગઠબંધન તૂટવાને આરે…શું લોકસભા ચૂંટણી પૂરતું જ હતું આ ગઠબંધન ?
દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જે રીતે ટસલ જોવા મળી રહી છે, તેને જોતાં વિપક્ષી પક્ષોના INDIA ગઠબંધનના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હકીકતમાં INDIA ગઠબંધનમાં સમાવિષ્ટ તમામ પક્ષોના મંતવ્યો અલગ અલગ છે. દિલ્હીમાં મોટાભાગની પાર્ટીઓએ કોંગ્રેસને બદલે AAPને ટેકો આપ્યો છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 25, 2025
- 3:45 pm
આંબેડકરના અપમાનને મુદ્દો બનાવી દેશના 20 કરોડથી વધુ દલિતોની વોટબેંકને પોતાની તરફ કરવાની રણનીતિ પર કામ કરી છે કોંગ્રેસ ?
કોંગ્રેસે 19 સેકન્ડનો અમિત શાહનો સંસદના ભાષણનો વીડિયો પોસ્ટ કરી લખ્યુ કે RSS અને ભાજપના મનમાં બાબા સાહેબ આંબેડકરને લઈને ધૃણા છે અને જે વીડિયો પોસ્ટ કરાયો તેમા અમિત શાહ વિપક્ષ પર પ્રહાર કરતા એવુ કહી રહ્યા છે " અત્યારે એક ફેશન થઈ ગઈ છે કે આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલુ નામ જો ભગવાનનું લીધુ હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જતુ." જો કે 90 મિનિટના ભાષણમાંથી કોંગ્રેસ માત્ર 19 મિનિટના અમિત શાહના નિવેદનને તોડી મરોડીને રાજકીય ફટકાબાજી કરી રહી છે તેની પાછળ દલિત વોટબેંકની મજબુત રણનીતિ કામ કરી છે.
- Mina Pandya
- Updated on: Dec 19, 2024
- 6:57 pm
ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:01 pm
આંબેડકરને લઈને ભાજપ-કોંગ્રેસના સાંસદોના દેખાવો, ધક્કા મુક્કી, જુઓ ફોટા
ડૉ. આંબેડકરને લઈને સંસદ ભવનના પ્રાંગણમાં આજે ભાજપ-એનડીએ અને કોંગ્રેસ ઈન્ડિયા એલાયન્સના સાંસદો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ધક્કા મુક્કીમાં પડી જવાથી શાસક પક્ષના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા, જેના માટે ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા અને શાસક પક્ષના સાંસદો પર વિપક્ષી સાંસદોને રોકવાનો આરોપ લગાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 1:53 pm
વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2024
- 3:35 pm
લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ
હવે ભારત ગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે સાથી પક્ષો વચ્ચે પરસ્પર અભિપ્રાય બનતો જણાય છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પણ કોંગ્રેસ છોડી દીધી છે. તેમણે મમતા બેનરજીના નામનું સમર્થન કર્યું છે.
- Devankashi rana
- Updated on: Dec 10, 2024
- 11:26 am