AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS સરસંઘચાલક મોહન ભાગવતે વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, કહ્યું ધર્મ બધાને જોડીને સાથે ચાલે છે

RSS સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે છે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું બધાના રસ્તાઓ અલગ છે પરંતુ જવાનું એક જગ્યાએ છે. આચરણમાં જ ધર્મ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2026 | 1:27 PM
Share

RSS સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે છે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત કરી હતી.અમદાવાદ હેડગેવાર ભવન ખાતે પ્રાંત કાર્યકર્તાઓ અને પરિવાર સાથે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી વર્ષ આયોજન નિમિત્તે તેમણે ભાગ લીધો. RSS સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતુ કે,ધર્મ બધાને જોડીને સાથે ચાલે છે. ધર્મ લોકોને ઉન્નત બનાવે છે.

તમામ પરિસ્થિતિ સામે લડી શકશો

ધર્મની રક્ષા આપણે જ કરવાની છે. સારી વાત બધાને ખબર છે. વિચારીને કરવું તે માટે પ્રેક્ટિસ કરવી જરુરી છે. પરિસ્થિતિઓ તો આવતી -જતી રહેશે. પોતાને સ્વસ્થ રાખો. જો સ્વસ્થ હશો તો તમામ પરિસ્થિતિ સામે લડી શકશો.કોઈ વ્યક્તિ અયોગ્ય હોતી નથી. કોઈના કોઈ ગુણ હોય જ છે.બધાના રસ્તાઓ અલગ છે પરંતુ જવાનું એક જગ્યાએ છે. આચરણમાં જ ધર્મ છે. ગુજરાતમાં વ્યસન મુક્તિ તેમજ સેવાની પ્રવૃતિઓ ખુબ સારી છે. સામાજિક સમરસતાનો ભાવ રાખવો જરુરી છે.

તમને જણાવી દઈએ કે, આરએસએસ પ્રમુખ અનેક વખત ગુજરાત પ્રવાસ આવી ચૂક્યા છે. ઓક્ટોબર 2025માં , 14 ઓક્ટબરમાં ગુજરાતના 3 દિવસના પ્રવાસ પર આવ્યા હતા. રાજ્યની અગાઉની મુલાકાતો દરમિયાન, તેમણે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં સહભાગીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજે છે.

RSS સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે  મોહન ભાગવતનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">