WGTT 2026 : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે આજના સોશિયલ મીડિયા અને રીલ યુગમાં લોકો ઝડપથી માહિતી લે છે, પરંતુ ઊંડાણપૂર્વક વિચારવાની પ્રવૃત્તિ ઘટી રહી છે.
TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ What Gujarat Thinks Todayમાં આજે Rameshbhai Oza દ્વારા સનાતન ધર્મ અને આજના “રીલ યુગ” વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. TV9 Gujarati ના વિચારમંચ પર યોજાયેલા મહામંથનમાં તેમણે યુવાનો, ટેક્નોલોજી અને સંસ્કાર અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા.
રીલ યુગમાં સનાતન પર સંકટ
રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે આજના સોશિયલ મીડિયા અને રીલ યુગમાં લોકો ઝડપથી માહિતી લે છે, પરંતુ ઊંડાણપૂર્વક વિચારવાની પ્રવૃત્તિ ઘટી રહી છે. આવા સમયમાં સનાતન મૂલ્યોને સમજવા અને જાળવવા માટે યુવાનોને વધુ જાગૃત બનવાની જરૂર છે.
Gen-Z માટે ખાસ સંદેશ
તેમણે Gen-Z યુવાનોને સંદેશ આપ્યો કે ટેક્નોલોજી પોતે સારી કે ખરાબ નથી. પણ “ટેક્નોલોજી માત્ર સાધન છે, અને નિર્ણય આપણો છે.” તે સાથે તેમણે જણાવ્યું કે “AI એક મોટી શક્તિ છે, પરંતુ તેની સાથે સંસ્કાર હોવા જરૂરી છે.”
રીલ યુગમાં જાગૃત બનવાની જરૂર
રમેશભાઈ એ કહ્યું કે આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવે છે. તેથી તેઓએ સાચી માહિતી, સંસ્કૃતિ અને સનાતન મૂલ્યો વિશે સમજદાર બનીને વિચારવું જોઈએ. તેમણે જણાવ્યું કે આપણે અને આખી દુનિયા એ ટેકનોલોજીને સાથે લઈને ચાલવું પડશે. AIથી ઘણા લોકો ગભરાય છે પણ હવે પછીનો જમાનો AIનો છે. આથી ટેકનોલોજીને ઉપયોગ કરવાની વિવેકબુદ્ધિ તે માણસ પાસે હોવી જરુરી છે.
રીલ્સથી સનાતનની સેવા પણ થઈ શકે ને નુકસાન પણ પહોંચી શકે
આ મુદ્દે અંગે રમેશભાઈએ જણાવ્યું કે નાની નાની રીલ્સથી સનાતનની સેવા પણ થઈ શકે છે અને સનાતનને નુકસાન પણ પહોંચી શકે છે. ટેકનોલોજીના યુગમાં લોકો સનાતન ધર્મ પ્રત્યે જાગૃત બને તેવી અપેક્ષા હતી પણ લોકો હજુ પણ તેટલા જાગૃત થયા નથી અને પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં રીલ્સ દ્વારા ધર્મના નામે અંધશ્રદ્ધાને વધારો આપવામાં પણ ભાગ ભજવી રહી છે.
