અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરનો જન્મ 26 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તે એક બોલિવુડ સ્ટાર છે. કપૂર પરિવારમાં જન્મેલા અર્જુન કપૂર ફિલ્મ નિર્માતા બોની કપૂર અને મોના શૌરીનો પુત્ર છે. અર્જુન કપૂરે 2012 માં ઇશ્કઝાદે ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી, આ ફિલ્મ હિટ રહી હતી અને તેને શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ માટે ઝી સિને એવોર્ડ મળ્યો હતો. અર્જુન કપૂરે 2014ની ફિલ્મો ગુન્ડે અને 2 સ્ટેટ્સમાં વધુ સફળતા મેળવી હતી. આ પછી કોમેડી-ડ્રામા ફિલ્મ કી એન્ડ કા (2016)માં જોવા મળ્યો હતો.

અર્જુન પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ઓછી અને પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર બોલિવૂડના કપૂર પરિવારનો પુત્ર છે જેના પરિવારના લગભગ તમામ સભ્યો ફિલ્મોમાં છે, તેમના પિતા બોની કપૂર ફેમસ ફિલ્મ નિર્માતા છે જ્યારે તેમના કાકા અનિલ કપૂર બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ અભિનેતાઓમાંના એક છે. અર્જુનની બહેનો સોનમ (કઝીન) અને જાહ્નવી કપૂર અને ખુશી કપુર (સાવકી બહેન) પણ ફિલ્મોમાં એન્ટ્રી કરી ચૂકી છે.

અર્જુન કપૂર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને મલાઈકા લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ આ બંન્ને હજુ સુધી લગ્નને લઈ કોઈ વાત કરી નથી.

Read More

Year Ender 2024 : આ વર્ષનો સૌથી મોંઘો વિલન કોણ બન્યો,જેમણે 10 મિનિટના રોલ માટે 20 કરોડનો ચાર્જ લીધો

2024 Highest Paid Villain : દર વર્ષે જેટલી ધુમ હીરો મચાવે છે, એટલી જ ધમાલ વિલન મચાવતા જોવા મળે છે. હવે તો અભિનેતા કરતા વિલન ધમાલ મચાવી રહ્યા છે. કેટલાક અભિનેતા પહેલી વખત વિલન બનતા જોવા મળ્યા હતા. જેની કિસ્મત ચમકી ગઈ છે. તો ચાલો જાણીએ વર્ષ 2024માં સૌથી મોંઘો વિલન કોણ હતુ.

પિતા પ્રોડ્યુસર, પત્ની, દિકરી, દિકરો અને ભાઈ બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ફિલ્મો

કપૂર પરિવારે માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જ મોટું યોગદાન આપ્યું નથી પરંતુ આ પરિવારમાંથી અનેક ફિલ્મ સ્ટાર્સ પણ આવ્યા છે. તો આજે આપણે બોની કપૂરના પરિવાર તેમજ તની પર્સનલ લાઈફ વિશે જાણીશું.

અર્જુન કપૂરના શરીરને નુકસાન પહોંચાડી રહી છે આ બીમારી, ‘સિંઘમ અગેઇન’ના વિલને વર્ણવી તેની આપવીતી

અજય દેવગનની 'સિંઘમ અગેન'માં તમામ સ્ટાર્સના કેમિયોની સાથે સાથે ફિલ્મના વિલનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અર્જુન કપૂરે ડેન્જર લંકા બનીને બધાને ખુશ કરી દીધા છે. અભિનેતાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તે એક બીમારીથી પીડિત છે, જેની તેના શરીર પર ઊંડી અસર પડી રહી છે.

11 વર્ષની હતી તો માતા-પિતાએ છુટાછડા લીધા, 19 વર્ષ બાદ અભિનેત્રી પતિથી અલગ થઈ, આવો છે મલાઈકાનો પરિવાર

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂકેલા અનિલે એક ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યા હતા. ચાલો આજે તમને મલાઈકાના પરિવાર વિશે જણાવીએ.

બ્રેકઅપની અફવાઓ વચ્ચે એક જ ઈવેન્ટમાં પહોંચ્યા મલાઈકા અને અર્જુન, પણ એકબીજાથી રહ્યા દૂર-દૂર, જુઓ-Video

થોડા મહિનાઓથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન બંનેની મુલાકાત મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન થઈ હતી.

12 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અર્જુન કપૂર, કાકા અનિલ કપૂરે આપી હિંટ

બિગ બોસ ઓટીટી 3ને હોસ્ટ કરી રહેલા અનિલ કપુરે કહ્યું કે, તેના પરિવારમાં જેના લગ્ન થશે તે કોણ હશે. અભિનેતાએ કહ્યું બીજું કોઈ નહિ પરંતુ અર્જુન કપુર હશે જેના ટુંક સમયમાં લગ્ન થશે.

Malaika Arjun Breakup : શું મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ નથી થયું? ફોટોએ સત્ય બહાર પાડ્યું

Malaika Arjun Breakup : મલાઈકા અરોરા અને અર્જુન તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંને લગભગ 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે હવે આ બ્રેકઅપનું સત્ય સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો? ચાલો અમને જણાવો.

જાહ્નવી કપૂરના સંબંધો કન્ફર્મ ? અભિનેત્રીએ ગળામાં પહેર્યું રુમર્ડ બોયફ્રેન્ડના નામનું નેકલેસ, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર લાંબા સમયથી શિખર પહાડિયાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જોકે બંનેએ ક્યારેય પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી. પરંતુ હાલમાં જ જાહ્નવી કપૂરે અજાણતામાં કંઈક એવું કર્યું, જેના કારણે તેના અને શિખર પહાડિયાના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે.

પુત્રને ફિલ્મમાં લેવાને કારણે બોની કપૂરે ભાઈને બતાવ્યો બહારનો રસ્તો, અનિલ કપૂર થયો ગુસ્સે

2005માં આવેલી ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલ આવવાની છે. પરંતુ આખી સ્ટારકાસ્ટ બદલાય ગઈ છે. બોની કપૂરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાં ના લેવાને કારણે અનિલ કપૂર નારાજ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આખો મામલો શું છે.

વીડિયો : અનંત અને રાધિકાની પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપવા સલમાન ખાન અને અર્જૂન કપૂર પહોંચ્યા જામનગર

જામનગરમાં અનંતના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. ત્યારે અભિનેતા અર્જૂન કપૂર અને સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે.

g clip-path="url(#clip0_868_265)">