T20 World Cup 2024 : બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ આસાન નહીં હોય, ટીમ ઈન્ડિયાએ આ 5 પડકારોનો સામનો કરવો પડશે

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની સફર 5 જૂનથી આયર્લેન્ડ સામેની મેચથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની 4માંથી 3 મેચ ન્યૂયોર્કમાં જ રમવાની છે. તે પહેલા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે આજે પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ મેચ ટૂર્નામેન્ટની તૈયારીની દૃષ્ટિએ મહત્વની બની રહેશે. જોકે આ મેચ ભારતીય ટીમ માટે આસાન નહીં હોય.

T20 World Cup 2024 : બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ આસાન નહીં હોય, ટીમ ઈન્ડિયાએ આ 5 પડકારોનો સામનો કરવો પડશે
Team India
Follow Us:
| Updated on: Jun 01, 2024 | 5:36 PM

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ખરી સફર 5 જૂનથી શરૂ થશે, પરંતુ તે પહેલા તેને શનિવારે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ ટક્કર ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે, તેથી આ મેચ ભારતીય ટીમની તૈયારીઓની કસોટી કરશે અને ટૂર્નામેન્ટની મુખ્ય મેચો માટે સારો અનુભવ પણ આપશે. ટીમ ઈન્ડિયાને આ મેચમાં 5 મહત્વના પડકારોનો સામનો કરવો પડશે.

ટીમને એકજુટ થઈ રમવું જરૂરી

કોઈપણ ટીમની સફળતા માટે એકજુટ થઈને રમવું જરૂરી છે. ભારતીય ટીમ માટે આની પાછળ બે કારણો જવાબદાર છે. પ્રથમ, ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરીથી એકપણ T20 મેચ રમી નથી. તમામ ખેલાડીઓ 2 મહિના સુધી IPL રમ્યા પરંતુ અલગ-અલગ ટીમો સાથે. ત્યારે ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ નિયમિત નથી, તેથી બાકીની ટીમ સાથે તેમનું તાલમેલ જરૂરી રહેશે.

બીજું, કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવની અફવા છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિકને કમાન સોંપી હતી. ત્યારપછી આખી ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે તિરાડના સમાચાર આવ્યા હતા અને મેદાન પર પણ સંબંધોમાં ઉદાસીનતા જોવા મળી રહી હતી અને હવે અહીં રોહિત કેપ્ટન છે, આવી સ્થિતિમાં બંનેનું એક થવું ખૂબ જ જરૂરી છે.

હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?
Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો

પિચ અને હવામાનને સમજવું પડશે

અમેરિકામાં ખાસ કરીને ન્યૂયોર્કમાં પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાસો કાઉન્ટીમાં બનેલ અસ્થાયી સ્ટેડિયમ ટીમ ઈન્ડિયા માટે દરેક રીતે એક કોયડો બની રહેશે. બાંગ્લાદેશ માટે પણ આ એક નવો અનુભવ હશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ તેની 3 ગ્રુપ સ્ટેજ મેચો અહીં રમવાની છે. આવી સ્થિતિમાં, અહીંની પિચને સમજવી સૌથી મહત્વપૂર્ણ રહેશે. અહીં ડ્રોપ-ઈન પિચો લગાવવામાં આવી છે અને ટીમ ઈન્ડિયાને આવી પિચો પર રમવાનો બહુ અનુભવ નથી. ઉપરાંત, તે જાણવું પડશે કે મેદાનની બાઉન્ડ્રી કેટલી મોટી છે અને ત્યાંના હવામાનની પહેલા કે પછીની બેટિંગ પર કેટલી અસર પડશે.

વિકેટકીપરની પસંદગી

આ પછી પ્લેઈંગ ઈલેવનની પસંદગી ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર છે. આ મેચમાં વિરાટ કોહલીના રમવાની અપેક્ષા નથી, તેથી કેપ્ટન રોહિતની સાથે માત્ર યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં રમશે. આવી સ્થિતિમાં વિકેટકીપર કોણ હશે એના પર સવાલ છે. આ રોલ રિષભ પંતને મળવો જોઈએ કે સંજુ સેમસનને? પંત ડાબા હાથના બેટ્સમેનનો વિકલ્પ પૂરો પાડે છે, જ્યારે સેમસનને બેટિંગ ક્રમમાં ટોચ પરથી ફિનિશર જેવી ભૂમિકાઓ માટે મેદાનમાં ઉતારી શકાય છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા આનો ઉકેલ શોધવો સૌથી મહત્વપૂર્ણ રહેશે.

કેટલા સ્પિનરને તક મળશે?

આ વખતે ટીમ ઈન્ડિયામાં ચાર સ્પિનરોને તક આપવામાં આવી હતી, જેમાં રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ રિસ્ટ સ્પિનર્સ છે. પસંદગીકારોએ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી સુપર-8, સેમીફાઈનલ અને ફાઈનલને ધ્યાનમાં રાખીને આ દાવ લીધો હતો. પરંતુ શું ન્યૂયોર્કમાં પણ સ્પિનરો અસરકારક રહેશે? હોય તો પણ કેવા સ્પિનરો? આ વાત પ્રેક્ટિસ મેચથી જાણવા મળશે. તેથી ટીમ કેટલા સ્પિનરોને મેદાનમાં ઉતારશે, તે એક મોટો પ્રશ્ન છે. રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ રમશે એ નિશ્ચિત જણાય છે, પરંતુ શું તેમના સિવાય બીજા કોઈને સ્થાન મળશે?

બુમરાહ સિવાય બીજો ઝડપી બોલર કોણ હશે?

ટીમ ઈન્ડિયામાં માત્ર ત્રણ મુખ્ય ફાસ્ટ બોલર છે, જેમાં જસપ્રીત બુમરાહનું રમવાનું નિશ્ચિત છે, પરંતુ તેનો પાર્ટનર કોણ હશે? અર્શદીપ સિંહ ડાબા હાથના ઝડપી બોલરનો વિકલ્પ પૂરો પાડે છે, જ્યારે મોહમ્મદ સિરાજ પાસે સારો અનુભવ છે. આ સિવાય ટીમ ઈન્ડિયા પાસે હાર્દિક પંડ્યાના રૂપમાં બીજા સીમરનો વિકલ્પ છે, તો શું માત્ર બે મુખ્ય ઝડપી બોલર હશે કે ત્રણેયને તક મળશે?

આ પણ વાંચો : T20 World Cup 2024માં તુટી શકે છે આ 5 મોટા રેકોર્ડ, કોહલી કરી શકે છે આ અજાયબીઓ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">