Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

Breaking News : દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2025 | 6:43 PM

સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આવતીકાલ 5 એપ્રિલને શનિવારના રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે. 

સુરતમાં વર્ષ 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિને કોર્ટે આજે દોષિત ઠરાવ્યા છે. સુરત કોર્ટ દ્વારા આરોપી જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષી જાહેર થયા છે.

અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો. દુષ્કર્મ ગુનામાં અઠવા પોલીસે કરી હતી ધરપકડ. ગુનો દાખલ થતાં જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે. વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.

સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આવતીકાલ 5 એપ્રિલને શનિવારના રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">